SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૩ [૬૩] પાંડવ ચરિત્રમ્ માટે અર્જુનને દૂરથી બોલાવ્યો; આ બાજુ અંગ દેશનું સામ્રાજ્ય મળ્યાનું સાંભળીને કર્ણનો પિતા અતિરથિ સારથી ત્યાં આવ્યો. પછી પિતાને આવતા જોઈને કર્ણ બાણ (ધનુષ)ને દૂર ફેંકીને તેના ચરણોમાં પડ્યો. તે અતિરથિ સારથિએ પણ આનંદરૂપી અશ્રુના પાણીથી પુત્રના શિરને રાજ્યાભિષેકની જેમ વારંવાર સીંચ્યો. પગમાં પડેલા પુત્રને ઊભો કરીને તે સારથિ સર્વ અંગથી ભેટ્યો. (આલિંગન કર્યું). વિકસિત નયનવાળા સારથિએ પુત્ર કર્ણને દૃષ્ટિ (નજર)ના દોષને દૂર કરવા માટે મસ્તકને વારંવાર ચૂમ્યું. હવે વિદ્વાનોમાં તિલક સમાન ભીમે કર્ણને સારથિનો પુત્ર જાણીને નજીકમાં આવીને આ પ્રમાણે કહ્યું : “હે રથિકતનય ! તું અર્જુનની સાથે શા માટે યુદ્ધ કરવા ઇચ્છે છે. તું તારા કુલને ઉચિત આચરણ કર અને રથની આગળ બેસીને ચાબુકને હાથમાં લે અથવા સુથારના ઉપકરણો હાથમાં લે, ધનુષ્યને છોડી દે, મારી સેવાને કર, નિજકુલ ઉચિત કરીને આત્માનું રક્ષણ કર, અકાલે મર નહિ. શું તું જીવનથી ઉદ્વિગ્ન (કંટાળી) થઈ ગયો છે. જેથી અર્જુનની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થયો છે. દેવોથી પણ જીતી ન શકાય તેવો અર્જુન છે. આથી તારે અર્જુનની સાથે યુદ્ધ કરવું યોગ્ય નથી.” હે કર્ણ ! તારે રાજ્યથી શું ? તું ચંપા નગરીના રાજ્યને શું યોગ્ય છે ? સિંહના સ્થાન પર હરણ... સજ્જનો થકી પ્રશંસાને પામે ? એ પ્રમાણે ભીમ ઇચ્છા પ્રમાણે બોલતો હતો, ત્યારે ભાઈઓની વચ્ચેથી દુર્યોધને ત્યાં શીધ્ર આવીને ઊંચા સ્વરે કર્કશ વાણીથી ભીમને કહ્યું : “હે ભીમ ! તું પુરુષના લક્ષણોને જાણતો નથી. કારણ કે કર્ણ જેવો પુરુષ આવા રાજકુલમાં કેવી રીતે ઉત્પન્ન થાય? પરંતુ અહીંયા કંઈ કારણ દેખાય છે.” ત્યારે નજીકમાં બેઠેલા અતિથિ સારથિ બોલ્યા : “સારું, સારું હે રાજેન્દ્ર ! આ કંઈ મારો પુત્ર નથી, પરંતુ આ મારો ધર્મપુત્ર છે.” ત્યારે દુર્યોધને કહ્યું: “કેવી રીતે તારો ધર્મપુત્ર છે ? સત્ય કહે ?” અતિથિ સારથિએ કહ્યું : “હે રાજેન્દ્ર ! સાવધાન થઈને સાંભળો. જ્યારે એક દિવસ હું પ્રાત:કાળે સ્નાન કરવા માટે ગંગાના કાંઠે ગયો હતો, ત્યાં મેં ગંગાના પ્રવાહમાં વહેતી પોતાની પુણ્ય લક્ષ્મીની જેમ એક રત્નજડીત પેટી જોઈ. તે પેટીને ઘરે લઈ જઈ પતી આગળ મૂકીને દ્વાર ખોલીને જ્યાં જોવા જાઉં છું, ત્યાં જ અવર્ણનીય શોભાવાળો દેદીપ્યમાન કુંડલયુક્ત રાજપુત્રના જેવી કાન્તિથી ચારે દિશાઓને પ્રકાશિત કરતા મુખવાળો કાનની નીચે હાથ રાખેલા મેં એક બાલકને જોયો.” તે બાલકને જોઈને પ્રિય એવી રાધાને કહ્યું : “હે પ્રિયે ! પુત્ર વિનાની તારો આ પુત્ર થાઓ. આ પુત્રથી તું પુત્રવાળી બને.” રાધાએ પણ અત્યંત પ્રેમપૂર્વક મને કહ્યું : “હે પ્રાણેશ ! આજ સવારે મેં એક સ્વપ્ર જોયું છે, તે આ પ્રમાણે છે.” સૂર્ય આવીને કૃપાપૂર્વક મને કહ્યું : “હે દીકરી ! તને આજે શૂરવીરોમાં તિલક સમાન પુત્ર પ્રાપ્ત થશે.” તે (સ્વપ્રને) જોઈને હર્ષને ધારણ કરતી હું જાગી. ત્યારે જ તમારા વડે આ પુત્રની વધામણી અપાઈ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy