SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૩ વિમાનોથી આકાશ પુખમય લાગ્યું તથા તેઓનું યુદ્ધ જોવાને માટે કુતૂહલી સૂર્ય પણ રથને સ્થિર કરીને ક્ષણવાર ઊભો રહ્યો. તે બંનેને પ્રજાએ વિદ્યાચલના વનમાં ઉન્મત્ત હાથી જેવા જોયા. કેટલાક વિદ્યાધરો કર્ણની પ્રશંસા કરે છે. કેટલાક અર્જુનની પ્રશંસા કરે છે. પુત્રના સ્નેહથી વિઠ્ઠલ બનેલી કુન્તીનો તે બેમાંથી કોનો જય અથવા કોનો પરાજય થશે, એવા ડરથી મૂર્છાને પામી અને વિદૂરે આશ્વાસન આપી કુન્તીને જગાડી (ભાનમાં લાવ્યો). પછી સ્વસ્થ ચિત્તવાળી થયેલી કુન્તી તેઓના યુદ્ધનું દૃશ્ય જોતી ઉભી રહી. આ બાજુ કૃપાચાર્યે કર્ણને કહ્યું : “હે કર્ણ! શા કારણે વિરોધ છે અર્જુન સાથે તારો ? જે કુરુવંશના ભૂષણરૂપ કુન્તી અને પાર્ટુના પુત્રો જગતમાં વિખ્યાત છે, તેની સાથે તારૂં યુદ્ધ કેવું? તું પણ તારા કુલાદિકને કહે. જેથી તારું પણ કુલાદિક આ લોકો સાંભળે.” આ કૃપાર્ણ (ખંજર) સરીખી કૃપાચાર્યની વાણી સાંભળીને ઝડપથી ઉઠીને દુર્યોધન બોલ્યો : “હે કૃપાચાર્ય, કુલથી શું કરશો ? વિદ્યા જ શ્રેષ્ઠ છે.” કહ્યું છે કે – “વિદ્યારહિત મનુષ્યનું વિશાલ કુલથી શું? કુલવાન ન હોવા છતાં પણ વિદ્યાવાન સર્વત્ર (બધે જ) પૂજાય છે.” આથી બધી જગ્યાએ યુદ્ધમાં શૂરવીરતા જોવી જોઈએ કુલ નહિ, કુલને શું કરવું? જો આવી શૂરવીરતા ન હોય તો પછી ખાડામાં પડેલા ડુક્કરની જેમ બીજાથી પરાભવ સહન કરે તેને શૂરવીર કેમ કહેવાય ? હવે જો કર્ણ રાજા નથી માટે કર્ણ સાથે અર્જુન યુદ્ધ ન કરે તેમ તમે કહેતા હો તો આ કર્ણને હમણાં જ હું અંગદેશના રાજ્ય પર અભિષેક કરું છું. એ પ્રમાણે ધૃતરાષ્ટ્રના પુત્રે કૃપાચાર્ય આદિને કહીને કર્ણના રાજ્યાભિષેકની તૈયારી કરી. વળી પુરોહિતને બોલાવીને કર્ણને સુવર્ણના સિંહાસને બેસાડીને સુવર્ણના કુંભમાં લાવેલા તીર્થના પાણી વડે દુર્યોધને અંગ દેશના રાજ્ય પર અભિષેક કર્યો. એટલે કે અંગ દેશના રાજ્ય પર બેસાડ્યો અને રાજ્ય આપીને દુર્યોધને કર્ણના મસ્તક પર કલંક રહિત ચંદ્ર મંડલ જેવું પોતાના બાહુબલથી મેળવેલું, પોતાના યશની રાશિ જેવું છત્ર ધર્યું. કર્ણને વારાંગનાઓ ચામર વીંઝે છે અને ચિરંજય ચિરનંદ એ પ્રમાણે ચારણો વડે સ્તવાતો ચંપાપુરીનું રાજ્ય પ્રાપ્ત કરનાર કર્ણ દુર્યોધનને કહ્યું : “તમારા ઉપકારનો બદલો શી રીતે વાળું ? હે રાજેન્દ્ર ! હે દુર્યોધન ! તે કહો.” તે દુર્યોધને કહ્યું : “આજીવન મૈત્રી ઈચ્છું છું (માંગુ છું) કર્ણ કહ્યું : “હે સ્વામિન્ ! મૈત્રી માત્ર શું? મારા પ્રાણો પણ તમારા જ છે.” એ પ્રમાણે કહેતા રાધેય (કર્ણ)ને સુયોધન હર્ષ સાથે ભેટી પડ્યો. પછી અંગ દેશના રાજ્યને પ્રાપ્ત કરીને કર્ણ ધનુષ્યને હાથમાં લઈને યુદ્ધની શરૂઆત કરવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy