SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ GO પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૩ ક્રોધરૂપ જ્વાલાની જેમ ખમીર પ્રગટ કર્યું. તેવી રીતે ભીમ પણ પરસેવાથી રેબઝેબ અને ઇર્ષાથી ઉદ્ધત દુર્યોધનના ભાવને જાણીને ક્રોધરૂપી અગ્નિની જ્વાળામાંથી નીકળતા ધુમાડાના ગોટા જેવા પોતાના માથામાં રહેલા વાળને ઊંચા કરતો ક્રોધના આવેશમાં આવી હોઠરૂપી પલ્લવને ચાવતો સામે આવ્યો. ત્યારબાદ દ્રોણે પરસ્પર ઇર્ષ્યાથી ઘેરાયેલા, સંહારરૂપ પવનથી પ્રેરાયેલા વિદ્યાચલ અને હિમાચલની જેમ તે બંનેને જોઈને પોતાના પુત્ર અશ્વત્થામા થકી દૂર કરાયા. પછી દ્રોણે વાજિંત્રના અવાજને બંધ કરાવીને અને લોકોના કોલાહલને શાંત પાડીને આવા પ્રકારની વાણી ઉચ્ચારી છે લોકો ! તમે સાંભળો : “જે મને પુત્રથી પ્યારો છે, પ્રાણથી પણ પ્રિય છે, સર્વ અસ્ત્ર સાગરને પાર પામેલો છે. તે આ અર્જુનને જુઓ. પછી ગુરુના આદેશથી અર્જુન રંગમંડપે આવ્યો અને તે અર્જુન કેવો છે ? તે કહે છે.” બંને ખભા પર બાણના ભાથા છે. જેના હાથમાં બાણ રહ્યું છે. જેણે અંગુલીઓમાં અંગુલી રક્ષક સાધન પહેર્યા છે. જેણે શરીર પર કવચ (બખ્તર) પહેર્યું છે. એવા અર્જુનને જોઈને ધૃતરાષ્ટ્ર અને પાડુ રાજી થયા હોય તેવો ડોળ કરીને અર્થાત્ ખુશ થયાના બહાનાથી સ્નેહના અંકુરા ઉગ્યા હોય તેવા થયા તથા શમીવૃક્ષની નીચે રહેલો સુયોધન ક્રોધ અગ્નિથી સળગવા લાગ્યો. અર્જુનને બાણથી યુક્ત સાક્ષાત ધનુર્વેદ જેવો અંગવાળો બધાએ જોયો. તે અર્જુને બધા રાજાઓના દેખતાં પોતાનું શસ્ત્ર ચાતુર્ય બતાવ્યું. સ્થિરલક્ષ, અસ્થિર (ચલ) લક્ષ, સ્થૂલ (મોટું) લક્ષ, લઘીયસ (નાનું) લક્ષ ઉપર અર્જુને બાણ છોડ્યા. તેને જોતાં કોણ આશ્ચર્યન પામે?તે જીતવાની ઇચ્છાવાળા અર્જુને લક્ષને વધેલા જોઈને શત્રુઓના મન ભેદાયા. આશ્ચર્ય પામ્યા, પછી ગુરુની આજ્ઞાથી રાધાવેધ સિવાય સર્વ દુષ્કર ત્યારે સાધ્યું (એટલે કે બાણની બધી કલા બતાવી.) જેને જોઈને દેવો પણ આશ્ચર્યને પામ્યા. તે સમયે અર્જુન સભાજનોને આવા પ્રકારનો દેખાયો. ક્ષણમાં મોટો, ક્ષણમાં નાનો, ક્ષણવારમાં ભૂમિ પર, ક્ષણવારમાં આકાશ પર, ક્ષણવારમાં રમતો, ક્ષણવારમાં મેદાનમાં. આવો અર્જુન દેખાયો. ત્યારપછી અર્જુને આગ્નેય, વારુણ વગેરે દિવ્ય શસ્ત્રોને, કુરુરાજ પાડુને બતાવ્યા. તેથી પૂર્ણ સભાસદો આશ્ચર્યને પામ્યા અને અર્જુનની પ્રશંસા કરી. અર્જુનની તે પ્રશંસાને સહન નહિ કરી શકનાર કર્ણ ભૂજા પર હાથ પછાડી અવાજ દ્વારા પુષ્કરાવર્તના વાદળની જેમ ગર્જના કરતો ઊભો રહ્યો. બધા લોકોને દુઃખે કરીને જીતી શકાય તેવો લાગ્યો, ત્યારે કર્ણની ભૂજાના સ્ફોટથી નીકળેલો શબ્દ (અવાજ) સાંભળીને અહો ! આ શબ્દથી શું પર્વતો પડી જશે અથવા શું પૃથ્વી ફાટી જશે અથવા સાગર શું ખળભળી જશે અથવા શું આકાશમાંથી વીજળી પડશે. એ પ્રમાણે વિતર્ક કરતાં સર્વ લોકો મનથી સાવધાન થયા. અર્થાત્ સાવધાન મનવાળા થયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy