SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૩ ૫૯ પાંડવ ચરિત્રમ્ રંગમંડપ કરાવ્યો. બધા નગરજનોએ રંગમંડપને જોયો. તે રંગમંડપમાં વિદૂરે રાજાને માટે ઝરૂખો બનાવ્યો. તેવી રીતે અંતઃપુરની વધૂઓને માટે ઊંચા પ્રકારની બેઠક બનાવી તથા બીજા દેશના રાજાઓને યોગ્ય ઊંચા મંચો કરાવ્યા. એ પ્રમાણે શુભ દિવસે શુભમુહૂર્ત દૂત મારફત બોલાવાયેલા રાજાઓએ આવીને ઊંચા મંચોને અલંકૃત કર્યા, પછી ધૃતરાષ્ટ્ર સહિત ગાંગેયની સાથે પાડુ રાજા ઝરૂખામાં આવ્યા. પુત્રની શિક્ષા (કલા)ને જોવાને માટે કુન્તી, ગાંધારી અને સત્યવતી આદિ સહિત ત્યાં આવીને યોગ્ય સ્થાને બેઠા. એ પ્રમાણે કુમારોની પરીક્ષાને જોવાની ઉત્સુકતાવાળા તે સર્વે રાજાઓ અને યુવરાજ આદિ મંચ ઉપર ચઢી ગયા... વિવિધ શસ્ત્રોને ધરનારા દ્રોણાચાર્ય અને કૃપાચા કુમારોની સાથે રંગમંડપમાં પ્રવેશ કર્યો. યુધિષ્ઠિરને, ભીમને, કર્ણને, દુર્યોધનને અને અર્જુનને છોડીને બીજા કુમારોના શ્રમ (કાર્યો જોવાને માટે દ્રોણ ગુરુએ અનુજ્ઞા આપી. કેટલાક કુમારો ગજશિક્ષામાં વિચક્ષણ ગજશિક્ષાને બતાવે છે. એ પ્રમાણે અશ્વશિક્ષાને, રથશિક્ષાને, બાણના કૌશલને, ગદાના શ્રમને, તલવારના શ્રમને અને ૩૬ પ્રકારના શસ્ત્રના અભ્યાસને બધા કુમારોએ જુદા જુદા પ્રદર્શિત કર્યા બતાવ્યા). એ પ્રમાણે બધા રાજપુત્રો લક્ષ્ય સિદ્ધ થયે સારૂં, સારૂં એ પ્રમાણે લોકોની પ્રશંસાને પામ્યા. કેટલાક ગુરુની પ્રશંસા કરે છે. કેટલાક માતા અને પિતાની પ્રશંસા કરે છે. એ પ્રમાણે પુત્રાદિની પ્રશંસાને સાંભળતા માતા-પિતા ખૂબ ખુશ થયા, આનંદને પામ્યા. એ પ્રમાણે બધા રાજકુમારોનો શાસ્ત્ર અભ્યાસ જોઈને આશ્ચર્ય ચકિત થયેલા સભામાં આવેલા સર્વ લોકોએ દ્રોણની પ્રશંસા કરી. પણ દ્રોણે યુધિષ્ઠિરને ઉઠાડીને આ પ્રમાણે કહ્યું : “હે યુધિષ્ઠિર! તું પણ બધા રાજવીઓને તારી કલાને બતાવ. જેથી આ લોકો તને વખાણશે.” યુધિષ્ઠિર પણ રંગમંડપમાં આવી ગયા અને તેમના પર બધા રાજાઓની દૃષ્ટિ પડી. આ અચિંત્ય પ્રભાવશાળી, જગતમાં પ્રખ્યાત, સર્વ પ્રકારે શૂરવીર, ન્યાયમાર્ગને પ્રવર્તાવનારા, સત્યવાણી બોલનારા, આ પાડુ પુત્ર ધન્યવાદને પાત્ર છે. આ પ્રમાણે લોકોએ કરેલી પ્રશંસાને સાંભળીને પ્રસન્ન ચિત્તવાળા થયેલા પાડુ રાજાની કમલની ઉપમા સમાન દૃષ્ટિ યુધિષ્ઠિર પર ગઈ (પડી). હવે રથમાં બેઠેલા યુધિષ્ઠિરે સર્વ પ્રકારનું સંપૂર્ણ) શસ્ત્ર ચાતુર્ય બતાવ્યું. દુર્યોધન અને વૃકોદર બખ્તર પહેરી તૈયાર થઇને ગદાયુદ્ધને માટે રંગમંડપમાં આવી ગયા ને સૂર્ય-ચંદ્રની જેમ તે મંડપમાં પ્રદક્ષિણા દેતા ફરે છે. કેટલાક દુર્યોધનની પ્રશંસા કરે છે. કેટલાક વૃકોદર (ભીમ)ની પ્રશંસા કરે છે. તે સમયે સભા બે વિભાગમાં વહેંચાઈ ગઈ. અહો ! ભીમનું પૈર્ય, અહો ! દુર્યોધનનું શૌર્ય એવી લોક પ્રશંસાને સાંભળીને દુર્યોધન અને ભીમ હર્ષ પામ્યા. તે બેમાં દુષ્ટાત્મા દુર્યોધને પોતાને નાશ કરનાર ભીમને માનીને ઇર્ષ્યાથી ઘેરાયેલો પોતાના આંખમાંથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy