SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૫૮ સર્ગ - ૩ સાંનિધ્યમાં વિદ્યાભ્યાસ કરવા લાગ્યા. દ્રોણે પણ કુમારોને વિદ્યાભ્યાસ કરાવ્યો અને ભીમ અને દુર્યોધન ગદા યુદ્ધમાં વિચક્ષણ થયા. એ પ્રમાણે ક્રમથી સમસ્ત કુમારો સમસ્ત કલાના પારને પામ્યા. તેવી રીતે કોઈ એક દિવસ દ્રોણાચાર્યે રાધાવેધની શિક્ષા માટે બધા કુમારોની પરીક્ષા કરી. જેમ એક તાડવૃક્ષની ટોચે મયૂરપીછ બાંધીને દ્રોણે કહ્યું : “હે કુમારો ! તાડની ટોચે શું દેખાય છે?” ત્યારે કુમારોએ કહ્યું : “તમને, વૃક્ષને અને બંધુઓને અમે જોઈએ છીએ.” પછી અર્જુનને બોલાવીને ગુરુએ તે પ્રમાણે જ પૂછ્યું : “હે પાર્થ ! આ તાડવૃક્ષની ટોચે તું શું જુએ છે ? તેણે (અર્જુને) કહ્યું, મોરપીંછની વચ્ચે રહેલ ચંદ્રકને જોઉં છું.” તેવી અર્જુનની વાણી સાંભળી ખુશ થયેલા ગુરુ વિચારે છે. આ અર્જુન રાધાવેધના ઉપદેશને માટે યોગ્ય જણાય છે. એ પ્રમાણે નિશ્ચય કરીને દ્રોણ અર્જુનને બહુ માનવા લાગ્યા. એક વખત દ્રોણ સ્નાન કરવા માટે ગંગા નદીએ ગયા. તે પાણીમાં કોઈ જલચર પ્રાણી મગરે (ગ્રાહે) દ્રોણને જંઘાથી પકડ્યા, ત્યારે તે સ્વયં તેમાંથી છૂટવા માટે સમર્થ હોવા છતાં પણ તે કુમારોને આદેશ આપ્યો. ગ્રાહને હણવા માટે અસમર્થ તે કુમારો અગાધ જલમાં ડૂબેલ ગુરુને જાણીને ઉદાસીન થયેલા તે સર્વે કુમારો મૌન થઈ ગયા. તેઓને સ્તબ્ધ થયેલા જાણીને દ્રોણ ગુરુએ અર્જુનના મુખને જોયું. પછી ધનુર્ધર અર્જુને બાણની હારમાળા છોડીને પ્રાણીને પકડ્યું. તેથી ખુશ થયેલા ગુરુ દ્રોણે અર્જુનને ઇનામમાં રાધાવેધનો ઉપદેશ આપ્યો. એટલે કે રાધાવેધ શીખવાડ્યો. ગુરુના ઉપદેશથી સાધેલા (શીખેલા) રાધાવેધથી અર્જુન સારી રીતે પ્રખ્યાત થયો. હવે સર્વ વિદ્યાના પારગામી સર્વ કુમારોને જાણીને તે કુમારોથી પરીવરેલા દ્રોણાચાર્ય ભીખાદિની સાથે પાડુ રાજાની સભામાં ગયા. સભામાં જઈને આશીર્વાદ આપ્યા, તમારું કલ્યાણ થાઓ, કુશલપણું થાઓ. લાંબુ આયુષ્ય (ચિરાયુ) થાઓ. ગાય, હાથી, ઘોડા, ધન-ધાન્યાદિ, સમૃદ્ધિમત થાઓ. ઐશ્વર્યવાન થાઓ. વિજયને પામો. તમારા શત્રુનો નાશ થાઓ. તમારું કલ્યાણ થાઓ અને તમારામાં જિનભક્તિનો વાસ થાઓ. ઇત્યાદિ સ્તુતિઓથી ખુશ થયેલા પાડુ રાજાએ દ્રોણનો સત્કાર કરીને આસન પર બેસાડ્યા. પછી દ્રોણાચાર્ય જાણે દાંતની ચમક જેવા નિર્મળ પાણીથી સભાને સ્નાન કરાવતા ન હોય તેવી વાણી ઉચ્ચારી : “હે મહારાજ ! તમારા કુમાર શસ્ત્ર-શાસ્ત્રમાં વિચક્ષણ થયા છે (હવે) તેઓની પરીક્ષા કરો.” તેથી અત્યંત આનંદ પામેલા રાજાએ પ્રીતિપૂર્વક ગુરુ દ્રોણને અભિનંદીને (અભિનંદન આપીને) વિદૂર ગાંગેય આદિએ ગુરુ આજ્ઞાથી સૌધર્મ સભા સરીખો તેજવાળો મણિમય સ્તંભથી શોભતો, સ્થાને સ્થાને પાંચાલીથી વિંઝાતા ચામરવાળો, પાંચાલીના હાથથી બનાવેલું, કડછીથી અપાતા આચમનવાળો, સ્વર્ગથી ઉતરેલા દેવવિમાન જેવો નગરના પરીસરમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy