SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ સર્ગ - ૩ પાંડવ ચરિત્રમ્ પુરીના આંગણમાં ક્રીડાને કરતાં (રમતાં-રમતાં) કુમારોનો દડો તેઓના ફટકાના ભયથી ડર્યો હોય તેમ કૂવાની અંદર પડ્યો. તે કુમારોએ દડાને પાછો લેવાને માટે વિવિધ ઉપાયો કર્યા. પરંતુ પુરુષાર્થ ફોગટ જવાથી તે કુમારો અતિ ખેદને પામ્યા. તે દડાને માટે ખેદ કરતા તે કુમારો પાસે એક વૃદ્ધ બ્રાહ્મણ, એક યુવાન બ્રાહ્મણ સાથે કૂવાના કાંઠે આવી ચડ્યો. તે વૃદ્ધ બ્રાહ્મણે તે કુમારોને આ પ્રમાણે કહ્યું : “હે પુત્રો ! આ દડાને માટે શા કારણે દુઃખી થાઓ છો ? કારણ કે આ તમારી મનોહર કાયા તથા આ તમારી કીશાવલીમાં બતાવેલી બાણની ચાતુરીને જાણનારા તમે, તો પછી આવા અલ્પકાર્યમાં આવા પ્રકારનો પ્રયાસ શા માટે કરો છો ? કારણ કે હાથથી પ્રાપ્ત થતાં ફળ માટે વૃક્ષ પર કોણ ચડે ?” વળી વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું : “આ હું હમણાં તમારું ઇચ્છિત કરીશ. એટલે હું હમણાં તમારી ઇચ્છાને પૂરી કરીશ. એ પ્રમાણે કહીને હાથમાં રહેલ મંત્રિત કરેલ સળી બતાવીને કહ્યું, મેં મંત્રેલી આ સળી કૂવામાં રહેલો દડો લઈ આવશે.” એમ કહીને તે બ્રાહ્મણે દડાની સામે એક સળી ફેંકી. તે સળીએ પલમાત્રમાં દડાને બાણની જેમ વીંધ્યો, કુશળ માણસના હાથે મૂકાયેલું તણખલું પણ બાણનું કામ કરે છે અને તેના ઉપર છોડેલી બીજી સળી તે સળીના છેડે તેવી રીતે લાગી ગઈ કે પોતાના હાથે મૂકાયેલી સળીઓએ (ઇષિકાઓએ) બાણની જેમ કામ કર્યું. એક પછી એક લાગી ગયેલી તે ઇષિકાઓએ (સળીઓએ) દડાને ખેંચી કાઢ્યો. લોકમાં અભૂત આ કાર્યથી આશ્ચર્ય પામેલા તે કુમારોએ તે વૃદ્ધ બ્રાહ્મણને નમસ્કાર કરીને અંજલિબદ્ધ આ પ્રમાણે વિનંતી કરી : “હે આર્ય! અમે બાણાચાર્ય હજારો જોયા, પરંતુ આ માનવલોકમાં કોઈને પણ આવા પ્રકારના જાણકાર અમે જોયા નથી.” (આથી તમે અમારા ગુરુ છો.) આજથી તમે અમારા ગુરુ છો, પિતા છો. અમે તમારા સેવક છીએ. કહો, અમે શું કરીએ? આ પ્રમાણે ફરી ફરી કહેવાથી વૃદ્ધ બ્રાહ્મણ આ પ્રમાણે બોલ્યો : “હે કુરુવંશ ભૂષણ ! હે સન્માર્ગના માર્ગે જનારા ! જેમ કતકના ચૂર્ણથી ડહોળું પાણી સ્વચ્છ થાય તેમ, તમારા વિનયથી અત્યંત માર્ગના શ્રમથી થાકેલું મારું મન અત્યંત પ્રસન્નતાને પામ્યું છે.” હે કુમારો ! મને તમારો ઉપાધ્યાય બતાવો. હું આજે તમારો અતિથિ છું. તમારા ઉપાધ્યાય કૃપ મારા સગા છે. (જેની પાસે આ કલાઓ અમે શીખ્યા છીએ.) હમણાં તેના શિષ્યો એવા તમને જોઈને ખુશ થયો છું. આ પ્રમાણે કહ્યું, ત્યારે કુમારો ચારે બાજુ વીંટળાઈ વળ્યા. અર્જુને આપેલા હાથનું આલંબન લઈને તે બ્રાહ્મણે નગરમાં પ્રવેશ કર્યો. ઘરની સામે આવતા ગુણના ઘર રૂપ તે બ્રાહ્મણને જોઈને રોમાંચ ખીલી ગયા છે તેવી કાયાવાળો કૃપ સામે ગયો. વળી તે દ્રોણાચાર્યને જોઈને ભીની આંખો થઈ છે જેની તેવા તેણે પંચાંગ પ્રણામપૂર્વક નમસ્કાર કર્યા. દ્રોણાચાર્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy