SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ પિ૨] સર્ગ - ૩ રસાયણ (ઔષધ) બની જાય છે, શત્રુ પ્રીતિને ધારણ કરે છે, દેવો વશ થાય છે. અથવા વધારે શું કહેવું, જે ધર્મને માને છે, તેના પર દેવો સતત રત્નોને વરસાવે છે. એ પ્રમાણે ભીમ સાથે વિરોધ કરતાં દુર્યોધનના દિવસો પસાર થાય છે. પરંતુ ભીખ તે બધા ધૃતરાષ્ટ્રના પુત્રો પર ક્રોધથી મલિન અલ્પ પણ મનને થવા દેતો નથી, પરંતુ દુર્યોધનાદિએ કરેલું બધું માત્ર ક્રિડા (રમત) રૂ૫ માને છે. એ પ્રમાણે સર્વ કુમારો ક્રિડામાં તત્પર (મગ્ન) સુખપૂર્વક કાળને પસાર કરે છે, તો પણ નિષ્ફળ પુરુષાર્થ કરનારા ધૃતરાષ્ટ્રના પુત્રો દુર્યોધન આદિ પાડુ રાજાના પુત્રોના તેજથી જલે છે. હવે વિદૂરે તે ઉદ્ધત કુમારોનો કલહ જાણીને ભીષ્ઠાદિના સ્વજનોની આગળ આ પ્રમાણે કહ્યું: “આ બધા કુમારો કવચ ધરનારા, અતિ બુદ્ધિશાળી હોવાથી કલાઓ શીખવવાની ઉપેક્ષા ન કરવી, પરંતુ કલાચાર્ય પાસે ભણાવવા જોઈએ, તો તેઓને કલાઓ શીખવાડનાર કોણ ઉપાધ્યાય (ગુરુ) થશે.” એ પ્રમાણે વિચારોના વમળમાં પડેલા તે કૌરવોને વિદૂરે કહ્યું: “આજ નગરમાં કૃપ નામના કલાચાર્ય સર્વ વિદ્યાના સાગરને પાર કરનારા રહે છે. તે કૃપ તમારા કહેવાથી આ કુમારોને ભણાવશે.” તેવા વિદૂરના વચન સાંભળીને ગાંગેય આદિએ કૃપાચાર્યને બોલાવીને બહુમાનપૂર્વક વિનંતી કરી. હે કૃપ ! આ અમારા કુમારોને અભ્યાસ કરાવો. પછી સુવર્ણ રતાદિથી પૂજાયેલો કૃપ તે એકસોને પાંચ કુરુપુત્રોને લઈને પોતાના ઘરે આવ્યો. કૃપાચાર્ય શુભમુહૂર્ત ગુરુપુષ્ય સુદ પાંચમને દિવસે તે બધા કુમારોને પંક્તિમાં બેસાડીને પહેલાં સરસ્વતી મંત્ર શીખવાડીને પછી શબ્દશાસ્ત્ર ભણાવવા માટે શરૂઆત કરી. તેઓ એ પ્રમાણે સાહિત્ય, છંદ, અલંકારાદિ સકલ શાસ્ત્રને ભણ્યા. પછી સકલ શાસ્ત્રને પાર પામેલાં તે કુમારોએ કંટાળ્યા વિના ધનુર્વેદને ભણવા માટે આરંભ (શરૂઆત) કર્યો. આ બાજુ ત્યાં રહેનારો વિશ્વકર્માના ભાઈ જેવો સુથાર અતિરથિ નામનો હતો. તેને રાધા નામની પતી હતી. તેઓને સત્ત્વની એક ભૂમિ જેવો ક્લાનો એક ભંડાર એવો ર્ણ નામનો પુત્ર હતો. જે ર્ષમાં ઔદાર્ય અને વળી શૌર્ય એ બે ગુણ સીમા વિનાના હતા તથા તે કાદવની ઉપમા જેવા કુલમાં શ્રેષ્ઠ વૃદ્ધિને પામેલા કમળની જેમ તે કર્ણને ઉત્તમ પુરુષો સાથે જ સોબત (સંગ) હતી. પ્રવીણ એવો તે કર્ણકુમાર ગુરુની પાસે (નિશ્રામાં) શસ્ત્ર શાસ્ત્રની શિક્ષાને ઇચ્છતો કૃપાચાર્યને નમસ્કાર કરીને વિનયપૂર્વક કુમારોની સાથે નિરંતર શસ્ત્ર શાસ્ત્રને શીખવા માટેનો શ્રમ-પુરુષાર્થ શરૂ કર્યો હવે તે કુમારોની વચ્ચે કૃપાચાર્યનો ઉપદેશ ચારે બાજુ સ્વાતિ નક્ષત્રના વરસાદની જેમ વરસે છે. કર્ણ અને અર્જુન મોતીની છીપ જેવા બની ગયા છે. કૃપાચાર્યની પાસેથી બધી વિદ્યા પ્રાપ્ત કર્યા પછી પણ અર્જુન અને કર્ણની બુદ્ધિ જરા પણ સંતોષને પામતી નથી. એક વખત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy