SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ (૫૪) સર્ગ - ૩ પણ કૃપને જોઈને બે બાહુ પ્રસારીને આલિંગન એવી રીતે કર્યું કે જાણે દ્રોણ અને કૃપનું શરીર એકરૂપ થઈ ગયું ન હોય ! પછી કૃપે દ્રોણાચાર્યને ઊંચા સિંહાસન પર ભક્તિપૂર્વક બેસાડીને કહ્યું : “હું ધન્ય છું, પુણ્યવાન છું, મારૂં પૂર્વકર્મ ફળ્યું છે. આપના ચરણની રજથી મારું ઘર પવિત્ર થયું છે. મારા મનોરથો ફળ્યા છે. કારણ કે મારે ઘેર તમે અતિથિરૂપે પધાર્યા છો.” કહ્યું છે કે :- બધા વર્ષોમાં શુભ ઉત્તમ દિવસ આ દિવસ છે કે જ્યાં સરસ્વતીના અવતારરૂપ તમારા જેવા અતિથિરૂપે પધાર્યા હોય. દ્રોણાચંયના પુત્ર અશ્વત્થામાએ કૃપાચાર્યને આદરપૂર્વક નમસ્કાર કર્યો. કૃપાચાર્ય પણ આશીર્વાદ સાથે તે અશ્વત્થામાને અભિનંદન આપ્યા. એ પ્રમાણે બંનેને પરસ્પર પ્રીતિવાળા જોઈને કુમારોએ કૃપાચાર્યને પૂછ્યું, આ પુત્ર સાથેના મહાત્મા કોણ છે ! જેની તમે આ પ્રમાણે ઉપાસના કરો છો. એ પ્રમાણે રાજકુમારોએ પૂછ્યું ત્યારે કૃપાચાર્યે કહ્યું : “હે વત્સો ! તે આ દ્રોણાચાર્ય છે, જે કલાનું કુલમંદિર (ઘર) છે. આ અશ્વત્થામા નામનો દ્રોણાચાર્યનો પુત્ર છે, તે ધનુર્વિદ્યાના રહસ્યને જાણનાર છે. બંને મહાબુદ્ધિશાળી, બંને મહારથિ, બંને વેદ-વેદાંતને પાર પામેલા મોટા જાણકાર છે. બંને કલાના કૌશલથી શોભે છે. બંને જગતને માન્ય છે. આથી અમે એમની સેવા કરીએ છીએ.” સાંભળીને બધા કુમારો પણ ખુશ થયા અને રજા મળતાં સ્વગૃહે પહોંચ્યા. પછી કૃપે પુત્ર સાથે દ્રોણને વિવિધ પ્રકારે મહેમાન ગતિ કરી સન્માન્યા. એક વખત દ્રોણને પ્રસન્ન કરીને કૃપાચાર્યે કહ્યું : હે દ્રોણ ! પ્રેમપૂર્વક કંઈક માંગુ છું, તે માંગણી નિષ્ફળ કરવી તમારા માટે યોગ્ય નથી.” દ્રોણે કહ્યું : “કહો શું ?” કૃપાચાર્યે કહ્યું : “સાંભળો, જેવી રીતે આ સંસારમાં તમારા સરીખો કોઈપણ કલાચાર્ય નથી તથા આ કુમારોથી ચડિયાતો બુદ્ધિશાળી બીજો કોઈ નથી. આથી આ કુમારોને તમારી ધનુર્વિદ્યા શીખવાડો.” જેમ કે શાલિબીજ (ડાંગર) અને વિદ્યા વાવવા અને આપવાની ઇચ્છાવાળા બુદ્ધિમાનને સારૂં ક્ષેત્ર અને ઉત્તમ પાત્ર પુણ્ય વિના મળતું નથી. આટલા દિવસ સુધી જેમ ચિત્ર બનાવનારાઓ ભીંતને પહેલા સાફ કરે છે. એટલે કે ચિત્રને યોગ્ય દિવાલ બનાવે છે, તેમ મેં આ કુમારોને તમારા ઉપદેશને યોગ્ય બનાવ્યા છે, તેવા કૃપાચાર્યના વચનનો દ્રોણાચાર્યે સ્વીકાર કર્યો. પછી કૃપાચાર્ય ભીખની પાસે ગયા. ત્યાં જઈને પહેલેથી લઈને છેલ્લે સુધીની દ્રોણાચાર્યની વાત કરી. ગાંગેયે પણ દ્રોણાચાર્યને બોલાવીને ઘણું સોનું આપી સત્કાર કરીને પોતાના પુત્રોને કલા પ્રાપ્ત કરવા માટે સોંપ્યા. ત્યારે ઉત્તમ જાતિના તે કુમારોમાં ગુરુના સંસ્કાર માણેકમાં મણિયારની કળાની જેમ દીપી ઉઠયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy