SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ | (૪૯) સર્ગ - ૩ પાંડવ ચરિત્રમ્ કુલને માટે એકને છોડી દો. ગામને માટે કુળને છોડો. જનપદને માટે ગામ અને આત્મા માટે પૃથ્વીને છોડો. આથી આને કુળને માટે છોડી દો, આવું સાંભળીને ધૃતરાષ્ટ્ર જ્યાં કંઈ જ ઉત્તર આપ્યો નહિ, ત્યાં પાડુએ અત્યંત પ્રેમપૂર્વક વિદૂરને કહ્યું: “હે બાંધવ વિદૂર ! આવા પ્રકારના પુત્રો પુણ્ય વિના ક્યાં મળે છે. આ દુર્યોધન મને ઘણી માનતા, બાધાઓ કર્યા પછી પ્રાપ્ત થયો છે, તો પછી આ પુત્રને કેમ કરીને ત્યજવો. તેમજ જો પુત્રથી કુલક્ષય થાય તો કુલવૃદ્ધિ કેવી રીતે થાય ? જો આકાશમાં સૂર્યથી અંધકાર થાય તો પ્રકાશ શેનાથી થાય ?” આથી તે યુધિષ્ઠિર પછી રાજા થાઓ. કારણ કે આવા પુત્રથી ગોત્રનો ઉત્કર્ષ થશે... જેવી રીતે યુધિષ્ઠિર છે, તેવી રીતે દુર્યોધન પણ છે. આ બેમાં મારે કોઈ અંતર નથી. તે સાંભળીને વિદ્રાદિ મૌન થઈ ગયા. પાડુ રાજાએ રજા આપેલા વિદ્રાદિ સર્વે પોતપોતાના સ્થાનમાં ગયા. નૈમિત્તિકો પણ દાન અને માનથી સંતોષ પામેલા પોતાના સ્થાનમાં ગયા. આ બાજુ દુર્યોધનની દુશલ્યા નામની ભગિની હતી, તે ક્રમે કરીને મોટી થતાં યૌવનવયને પ્રાપ્ત થયેલી સિવુ દેશના રાજા જયદ્રથ સાથે પરણાવી. તે રાજાની સાથે વૈષયિક સુખને ભોગવે છે. - હવે તે ધૃતરાષ્ટ્રના બળવાન પુત્રો ત્રણ ભુવનને તોલવામાં સમર્થ હતા. તેવી રીતે પાડુ રાજાના પાંચેય પુત્રો તે બધા હસ્તિનાપુરની નજીકમાં ઈચ્છાપૂર્વક રમતા હતા, તે બધાય દરરોજ પ્રભાતે આવીને ભીષ્મને, ધૃતરાષ્ટ્રને, પાડુ રાજાને અને વિદૂરને ભક્તિપૂર્વક નમતા હતા. તેવી રીતે સત્યવતીને, અંબિકાને, અંબાલિકાને, અંબાને, ગાંધારી અને કુન્તીને પ્રણમતા હતા, તે ભીષ્માદિ ગુરુઓ, સત્યવતી આદિ માતાઓ, તેના બધા પુત્રો ઉપર એકસરખી વાત્સલ્યવાળી હતી. કારણ કે વડીલો બધા ઉપર એક સરખા મનવાળા હોય છે. (બધાપર એકસરખી દૃષ્ટિ હોય છે.) હવે તે બધા કુમારોની અંદર રહેલા પાંચેય પાંડવો બચપણથી જ પરમાતો (પરમેશ્વર-પરમાત્માના ભક્ત) હતા, જેનો જેવો પરલોક હોય તેવા પ્રકારની તેની ચેષ્ટા હોય છે. તેવી રીતે દિવસ અને રાત તેઓ પાંચેય જણ મનમાંથી પરમેષ્ઠિને મૂકતા નથી. એટલે કે (પાંચેય પરમેષ્ઠિને હૃદયમાં રાખે છે.) એ પ્રમાણે ધર્મમાં રત પાંચેય પાંડવો સુખપૂર્વક કાલને પસાર કરે છે. હવે તે એકસોને પાંચ કુમારો વેગ (દોડવાની ક્રિયા)ની પરીક્ષા માટે ગંગાનદીની રેતીમાં પરસ્પર એકબીજાને હાથતાળી આપીને દોડે છે. તેવી રીતે ગંગાનદીના કાંઠે રેતીના કોમલ કણોમાં બધા કુમારો રેતીની રમત રમે છે. તેઓ ક્યારેક પાણીની રમતમાં રત, તેઓ ઊંચા કિનારે ચડીને યમુના નદીમાં ઝંપલાવે છે. ગુખ ઘરોમાં, રજ ઘરોમાં, જલ ઘરોમાં ક્રિડાને કરતાં બલવાન ઉદાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy