SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ४८ સર્ગ - ૩ (પર) શત્રુંજય, (૫૩) શક્રસહ, (૫૪) સત્યસબ્ધ, (૫૫) સુદુઃસહ, (૫૬) સુદર્શન, (૫૭) ચિત્રસેન, (૫૮) સેનાની, (૫૯) દુષ્પરાજય, (૬૦) પરાજિત, (૬૧) કુન્ડશાયી, (૬૨) વિશાલાક્ષ, (૬૩) જય, (૬૪) દઢહસ્ત, (૬૫) સુહસ્ત, (૬૬) વાતવેગ, (૬૭) સુવર્ચા, (૬૮) આદિત્ય, (૬૯) કેતુ, (૭૦) બલ્હાશી, (૭૧) નિર્બન્ધ, (૭૨) પ્રયાયિ, (૭૩) કવચી, (૭૪) રણશૌષ્ઠ, (૭૫) કુંડધાર, (૭૬) ધનુર્ધર, (૭૭) ઉગ્રરથ, (૭૮) ભીમરથ, (૭૯) શૂરબાહુ, (૮૦) અલોલુપ, (૮૧) અભય, (૮૨) રૌદ્રકર્મા, (૮૩) દઢરથ, (૮૪) અનાધૃત, (૮૫) કુંડમેદી, (૮૬) વિરાજી, (૮૭) દીર્ઘલોચન, (૮૮) પ્રથમ, (૮૯) પ્રમાથી, (૯૦) દીર્વાલાપ, (૯૧) વીર્યવાન, (૯૨) દીર્ઘબાહુ, (૯૩) મહાવક્ષા, (૯૪) દઢવક્ષા, (૯૫) સુલક્ષણ, (૯૬) કનક, (૯૩) કાંચન, (૯૮) સુધ્વજ, (૯૯) સુભજ અને (૧૦૦) વિરાજ. એ પ્રમાણે નામ જાણવા. આ બધા યુદ્ધ કરવાની રીતમાં વિશારદ હતા. યુદ્ધ શૂરવીર હતા. આ સર્વેય બાહુબલથી ગર્વધારી હતા. બધાય અહંના પર્વત જેવા હતા. બધાય સર્વ પ્રકારના અસ્ત્રમાં પ્રવીણ હતા. એ પ્રમાણે એકસો પાંચ ભાઈઓ ગંગાનદીના કિનારે સ્વેચ્છાપૂર્વક ક્રિડા કરતા હતા. એક દિવસ ધૃતરાષ્ટ્ર ભીખાદિ આસન પર બેઠા હતા ત્યારે મુહૂર્ત આપનારાઓને બોલાવીને સ્વચ્છ મનથી પૂછ્યું : “હે નૈમિત્તિકો ! આકાશવાણી થઈ હતી કે યુધિષ્ઠિર જગત પ્રશંસનીય રાજા થશે, એમાં કોઈપણ પ્રકારની શંકા નથી.” પછી બીજી વાત પૂછી. મારો પુત્ર દુર્યોધન રાજા થશે કે નહિ? એ સ્વજ્ઞાનથી નક્કી કરીને અમને કહો, એ પ્રમાણે ધૃતરાષ્ટ્ર જ્યાં પૂછ્યું તેટલામાં શું થયું? દિશાઓ ધૂળથી ઢંકાઈ ગઈ. પૃથ્વી કંપવા લાગી, ધરા ઘાત વિના ઉછળી, અમંગલકારી શિયાળીયાઓ રડવા લાગ્યા તથા સૂર્યમંડલનો પરિવેશ ભયંકર થયો. આવા પ્રકારના ખરાબ નિમિત્તો જોઈને અને પુત્રના લક્ષણો જોઈને જ્ઞાનવાન નૈમિત્તિકોએ સર્વે જાણનાર વિદૂરને ધીરે ધીરે કહ્યું, વિદૂર ! આ દુર્યોધન સકલ રાજાઓને જીતનારો મહારાજા થશે, પરંતુ સર્વજનોનો અને સ્વકુલનો ક્ષય-નાશ કરનારો થશે, એ પ્રમાણે નૈમિત્તિકે કહેલું અનિષ્ટ સાંભળીને વિદૂરે ધૃતરાષ્ટ્રના પૂછવાથી તથૈવ નૈમિત્તિકે કહેલું સર્વ સભા સમક્ષ કહ્યું. કાનને માટે વિષ સમાન તેના વચનો સાંભળી ધૃતરાષ્ટ્ર પોતાના કુળનું કુશળ ઇચ્છતો ફરી બોલ્યો : “હે નૈમિત્તિકો ! અમારા કુળનું કુશળ કેવી રીતે થશે ?” તેટલામાં વિદૂર બોલ્યો : “હે બાંધવ ! જો કુળનું કુશળ ઇચ્છે છે, તો આ દુષ્ટ પુત્ર તજી દેવો યોગ્ય છે.” કહ્યું છે કે – જે કુળનો નાશ કરનાર છે, તેવા પુત્ર વડે કરીને શું? હે આર્ય! કાનને કાપી નાખનારા તેવા સોનાથી પણ શું કામ? નવ્વાણું સુપુત્રોથી પણ સરો. કારણ કે કુળનો નાશ કરનારા દુપુત્રથી શું? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy