SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૩ [૪૭] પાંડવ ચરિત્રમ્ કર્યો. તે ગર્ભના પ્રભાવથી તેણીને આવા પ્રકારના ભાવો (દોહદો) ઉત્પન્ન થયા, જેવા કે વાળેલા ધનુષ્યથી સાગર સુધીની પૃથ્વીને જાતે હું ઉપદ્રવ રહિત બનાવું તથા સમય આવે છતે પ્રજાનું સંહરણ કરતાં યમનો પણ નિગ્રહ કરું એ પ્રમાણે સંપૂર્ણ પૃથ્વીને વશ કરું (કજામાં લઉં). આ પ્રમાણે ગર્ભના પ્રભાવથી ધીર ઉદાર મનોરથવાળી કુન્તીએ શુભમુહૂર્ત પુત્રને જન્મ આપ્યો. તે જ વખતે આકાશમાં દેવી વાણી ચારે બાજુ સંભળાઈ. વડીલો (મોટાભાઈ)ની ભક્તિ કરનાર આ જગતમાં એક અજોડ ધનુર્ધારી છે, જે દુઃખે કરી જીતી શકાય (અજિત) તેવો અત્યંત સૌમ્યમુખ, પરાક્રમી, ન્યાયપ્રિય, ક્રમે કરીને કર્મરહિત થઈ મુક્તિપ્રિય થશે. તે પુત્રનો જન્મ થતાં આકાશમાં રંભા-ઉર્વશી આદિ અપ્સરાઓ સંગીત અને નૃત્ય કરવા લાગી તથા કિન્નરેશ્વરીઓ મનોહારી મૂર્છાના સંયુક્ત ગાન ગાવા લાગી. ઈન્ડે આપેલ તે પુત્રના જન્મના આનંદમાં પાડુ રાજાએ મહામહોત્સવ કર્યો. તેવી જ રીતે બારમો દિવસ પ્રાપ્ત થયો. સુવર્ણ વર્ણ હોવાથી અર્જુન એ પ્રમાણે પહેલું નામ રાજાએ પાડ્યું. (આપ્યું.) સ્વમમાં ઈન્દ્રના દર્શનથી જન્મ્યો. આથી ઇન્દ્રપુત્ર એમ બીજું પણ નામ આપ્યું. આ ત્રણેય (યુધિષ્ઠિર-ભીમ અને અર્જુન) કુન્તીના પુત્રો જાણવા. હવે મદ્ર પુત્રી માદ્રી પણ પાડુ પત્નીએ શુભ સ્વમ સૂચિત શોભાના સમૂહરૂપ યુગલરૂપે બે પુત્રોને જન્મ આપ્યો. ત્યારે પણ તેઓ ભવિષ્યમાં જે થવાના છે, તેવી વાણી આકાશમાં થઈ. સત્ત્વશાલી, શૂરવીર, ગુરુવત્સલ અને સિદ્ધિને મેળવનારા થશે. ક્રમે કરી બાર દિવસના થતા પાડુ રાજાએ આપેલા નામથી યુધિષ્ઠિર-ભીમ-અર્જુન-નકુલસહદેવ, એ પ્રમાણે પાંચેય કુમારો કલ્પવૃક્ષની જેમ પ્રસિદ્ધિને પામ્યા. હવે ધૃતરાષ્ટ્રને ગાંધારી આદિ આઠ પત્નીઓ હતી. તેઓને દુર્યોધન પછી નવ્વાણું પુત્રો થયા. તેમના નામ આ પ્રમાણે છે. (૧) દુઃશાસન, (૨) દુઃસહ, (૩) દુશલ, (૪) રણપ્રાન્ત, (૫) રામાત્ય, (૬) વિન્દ, (૭) સર્વસ, (૮) અનુવિન્દ, (૯) સુભીમ, (૧૦), સુબાહુ, (૧૧) દુષ્મઘર્ષણ, (૧૨) દુર્મર્ષણ, (૧૩) સુગાત્ર, (૧૪) દુષ્કર્ણ, (૧૫) દુઃશ્રવા, (૧૬) વરવંશ, (૧૭) વિકીર્ણ, (૧૮) દીર્ઘદર્શી, (૧૯) સુલોચન, (૨૦) ઉપચિત્ર, (૨૧) વિચિત્ર, (૨૨) ચારુચિત્ર (૨૩) શિરાસન, (૨૪) દુર્મદ, (૨૫) દુપ્રગાહ, (૨૬) યુયુત્સુ, (૨૭) વિકટ, (૨૮) ઉર્ણનાભ, (૨૯) સુનાભ, (૩૦) નંદ, (૩૧) ઉપનંદક, (૨) ચિત્રબાણ, (૩૩) ચિત્રવર્મા, (૩૪) સુવર્મા, (૩૫) દુર્વિમોચન, (૩૬) અયોબાહુ, (૩૭) મહાબાહુ, (૩૮) શ્રુતવાન, (૩૯) પદ્મલોચન, (૪૦) ભીમબાહુ, (૪૧) ભીમબલ, (૪૨) સુષેણ, (૪૩) પંડિત, (૪૪) શ્રુતાયુધ, (૪૫) સુવીર્ય, (૪૬) દણ્ડધાર, (૪૭) મહોદર, (૪૮) ચિત્રાયુધ, (૪૯) નિષંગી, (૫૦) પાસ, (૫૧) વૃન્દારક, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy