SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૩ (૪૫ ) પાંડવ ચરિત્રમ્ આ બાજુ જે દિવસે ગાંધારીએ તે પુત્રને જન્મ આપ્યો, તે જ દિવસે ત્રણ પહોર પછી કુન્તીએ પણ પુત્રને જન્મ આપ્યો. પરંતુ એક જ દિવસે બંનેનો જન્મ થયો હોવા છતાં પણ તે બંનેના ભાગ્યમાં મોટું અંતર હતું. કારણ કે પહેલો દુર્લગ્નમાં જન્મ્યો હતો. વળી બીજો સુલગ્નમાં જન્મ્યો હતો, તેમાં પાડુ રાજાના પુત્રને ઉદેશીને આકાશમાં આવા પ્રકારની વાણી થઈ. આ વજ જેવી કાયાવાળો તથા અત્યંત બલવાન થશે. મોટાભાઈનો ભક્ત થશે અને આધાર વિનાના જગતનો બંધુ થશે. ક્રમે કરીને સંપૂર્ણ મોહનો નાશ કરીને ભવિષ્યમાં સિદ્ધિ (મોક્ષ)ને પ્રાપ્ત કરશે. આ જાણીને કુન્તીએ પ્રીતિ ઉત્સવ કર્યો. દેવલોકમાં દેવોએ ઉત્સવ કર્યો. પાડુ રાજાએ તો બંને પુત્રોનો ઉત્સવ કર્યો. ક્રમે કરીને અશુચિકર્મ પૂર્ણ કરીને બારમે દિવસે પિતા ધૃતરાષ્ટ્ર પુત્રનું દુર્યોધન એ પ્રમાણે નામ રાખ્યું.” તેવી રીતે પાડુ રાજાએ પણ પુત્રનું ભીમ, એ પ્રમાણે નામ રાખ્યું તથા વાયુદેવે આપ્યો હોવાથી વાયુપુત્ર એ પ્રમાણે બીજું નામ પ્રસિદ્ધ થયું. દુર્યોધન અને ભીમ પાંચ પાંચ ધાત્રીઓથી લાલન-પાલન કરાતા ક્રમે કરી સિંહ બાળકની જેમ મોટા થયા. ઘૂંટણીએ ચાલતા દુર્યોધનને ઘૂંટણીએથી પાછળથી આવીને પગથી પકડીને ખેંચ્યો. ક્યારેક દુર્યોધનને આપેલું ખાવાનું ભીમે બળજબરીથી છીનવીને પોતે ખાઈ લીધું. ક્યારેક સાથે ખેલતાં, ક્યારેક એકબીજા ઝઘડતા, એ પ્રમાણે દિવસો જવા લાગ્યા. હવે એક વખત વસંતઋતુ આવી. તે વસંતઋતુ કેવી છે તે કહે છે – આંબાના મોરના બહાનાથી વસંતે લાવેલા પુષ્પરૂપી નવા અસ્ત્રો વડે જગતને ઘાસ સમાન ગણતા, જગતને જીતવાની ઇચ્છાવાળા કામદેવના બાણો પ્રમાણમાં જય જય બોલતા હોય તેમ કોયલોના મીઠા સૂર દુંદુભિ જેવા લાગતા હતા. પુષ્પની કેસરાઓ પડવાથી સમસ્ત પૃથ્વીતલ સોનવર્સી બન્યું હતું અને પુષ્પોથી શોભતું એવા ક્રિડાવનમાં પાડુ રાજા ગયા. એવા પ્રકારની વસંતઋતુ આવતા કુન્તી પોતાના છ માસના પુત્ર ભીમને લઈને પતિ સાથે વસંતઋતુની શોભા જોવા માટે વનમાં ગઈ. તે મનોહર ઉદ્યાનમાં કુન્તીએ પતિ સાથે સુખપૂર્વક ક્રિડા કરી. ક્યારેક પ્રિય સાથે હીંડોળા પર બેસીને હીંચવાનું, ક્યારેક પ્રિયા સાથે ક્રિડા કરતાં રાજા ક્રિડા કરવાના પર્વત ઉપર ચઢે છે. તે પર્વત ઉપર યથેચ્છ ક્રિડા કરતી પાડુ રાજા સાથે કુન્તી કંકેલી વૃક્ષની નીચે વિશ્રામ લેવાને બેઠી. પછી તે કુન્તી ભીમને ખોળામાં લઈને આ પ્રમાણે બોલવા લાગીઃ “હે કુરુવંશ મંડન ! હે જગતનેત્ર સુધાકર ! એ પ્રમાણે બોલતી કુન્તી પર્વતના શિખર પર પુષ્પની શૈયામાં સુખપૂર્વક સૂઈ ગઈ.” કારણ કે કુન્તીને અહીં તહીં ભ્રમણ કરવાથી નિદ્રા આવી ગઈ. પાડુ રાજા પણ કુન્તીને સુખે સૂઈ ગયેલી જોઈને એકલા જાતે ક્રિડા પર્વત પર ફરતાં ફરતાં ચંપક પુષ્પોની માલા બનાવીને પ્રિય એવી કુત્તીને જગાડીને તેના કંઠમાં આરોપી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy