SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૩ પાંડવ ચિરત્રમ્ ૪૪ વળી તે કુન્તીએ ક્યારેક વજને અંગુલીના ટેરવાથી કપૂરના કણની જેમ ચૂરી નાખ્યું. તે ગર્ભવતી કુન્તી મદથી ઉદ્ધત થયેલી અત્યંત સાહસ આદિએ કરીને ગર્ભને વહન કરે છે. આ બાજુ ક્રૂર ગર્ભના કારણે ગાંધારીએ ત્રીસ મહિના થવા છતાં બાળકને જન્મ ન આપ્યો, પરંતુ તે ગાંધારીએ કોળાના જેવું મોટું પેટ ધારણ કરતી ક્લેશને પરવશ થયેલ આ પ્રમાણે ચિંતવ્યું. અહો ! મારા પાપની અવિધ પરમ કક્ષાએ પહોંચી ગઈ છે. અર્થાત્ મારા પાપની કોઈ સીમા રહી નથી કારણ કે હું અહીંયા જ નારકના દુઃખને અનુભવુ છું તથા બીજું દુઃખ એ છે કે જે આ કુન્તીએ મારી પહેલાં એક પુત્રને જન્મ આપ્યો છે. વળી પાછી તે કુન્તી આધિ-વ્યાધિ રહિત બીજી વાર પણ પ્રસવની નજીકમાં એટલે કે (જન્મ આપવાની તૈયારીમાં) છે. એ પ્રમાણે ચિંતામાં પડેલી ગાંધારી દુઃખથી વિહ્વલ બનેલી અને જલ્દી પ્રસવને ઇચ્છતી તેણે અત્યંત ઉંદર (પેટ) પર થાપટો મારી. તે ગાંધારીએ વારંવાર તેમ અપરિપૂર્ણ હોવા છતાં પણ ઉદરને થપડાવાથી ગર્ભ બહાર નીકળી ગયો. તે માંસના પિંડ જેવા પુત્રને જોઈને ગાંધારી આંસુઓ ભરેલી આંખે તે બાલને જોતી વિષાદને પામી તથા નસીબને ઉપાલંભ આપવા માંડી. જે આમ— “હે કઠોર ભાગ્ય ! તું મારા મનોરથોને આ પ્રમાણે કેમ ખતમ કરે છે, એ પ્રમાણે દુઃખી થયેલી તે વારંવાર દૈવને ઉપાલંભ આપે છે.” હે દૈવ ! આ અતિ બિભત્સ માંસપિંડને હું શું કરૂં ? એ પ્રમાણે કહીને જ્યાં ઉકરડા પર તે ગાંધારી ત્યજવા માટે તૈયા૨ થઈ ત્યાં જ વૃદ્ધ સ્ત્રીઓએ તેને પાછી વાળી અને આ પ્રમાણે કહીને નિષેધ કર્યો અને તે પછી વૃદ્ધ સ્ત્રીઓએ કહ્યું : હે દેહલે ગાંધારી ! ‘આ તેં શું કર્યું અપૂર્ણ ગર્ભને પાડી દીધો.” ગાંધારીએ કહ્યું : “હે માત ! હું શું કરૂં ? કારણ કે હું પહેલાં રાજાની પત્ની થઇ નહિ, નહીં તો એવા પ્રભાવથી હું રાજમાતા બનતી (બની હોત).” આ પ્રમાણે હું આના વિચાર કરતી હતી ત્યાં કુન્તીએ એક યુધિષ્ઠિર નામના પુત્રને જન્મ આપ્યો. ફરી વળી તે નજીકના દિવસોમાં બાળકને જન્મ આપશે, એવું સાંભળીને વિષાદ (દુઃખ)થી મેં મારી કુક્ષિને મુઠ્ઠીઓ મારી. એટલે પછી મારા ઉદરથી આ ગર્ભ પડી ગયો. ત્યારે વૃદ્ધ સ્ત્રીઓએ કહ્યું : “હે ગાંધારી! મુન્ની ઉપર ઇર્ષ્યાને ન કર. કા૨ણ કે પૂર્વભવમાં કરેલા કર્મોને દેવોથી પણ ઉલ્લંઘવું શક્ય નથી, તો પછી માનવીનું શું ? કારણ કે હજારો ગાયોમાંથી બચ્ચું (વાછરડું) પોતાની માતાને શોધી લે છે. એ પ્રમાણે પૂર્વકૃત કર્મો, કર્મ કરનારની પાછળ દોડે છે. (અથવા કર્મ કરનારને શોધી લે છે.) આથી તું પણ ધર્મને કર.” પછી તે ગાંધારી ધર્મમાં રત બની અને સારી રીતે પુત્રનું પાલન કર્યુ. તે રીત કહેતાં કહે છે... એક રૂની ગોદડીને ઘી રેડી ભીની કરીને તેણે તે બાળકને વીંટાળીને એક સુવર્ણકુંડીમાં મૂકીને એકાંતમાં વ્યવસ્થિત સ્થાપીને ગાંધારી નિધાનની જેમ ધારણ કરે છે (સાચવે છે). એ રીતિએ તે ગર્ભ ગાંધારી માતાના સ્તનપાનથી છ મહિને સંપૂર્ણ સર્વ અંગવાળો થયો. કોની જેમ, વરસાદના પાણીથી નાના છોડવાની જેમ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy