SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૨ પાંડવ ચિરત્રમ્ ૪૧ પૃથ્વીના તિલકરૂપ સર્વ પ્રકારના સૌંદર્યનો ભંડાર, લક્ષ્મીના જન્મનો આવાસ, સરસ્વતીનો નિવાસ, ઉજ્જવલ દેવકુલોથી શોભિત, પરચક્રના ભયરહિત અખંડ રાજ્ય. અત્યંત ધવલ ઘરોથી શોભતી, કુકવિઓના દૂષણરહિત, સુવર્ણ હાટડીઓ(દુકાનો)ની શ્રેણીઓથી મનોહર, હંમેશાં સુમંત્રીઓથી પાલન કરાતી, ખાઈઓથી વિંટળાયેલી, સુવર્ણના મોટા કિલ્લાઓથી યુક્ત સર્વ પ્રકારના આશ્ચર્યનું ઘર, ચારે બાજુથી વાવડીઓ, કૂવાઓથી શોભતી, ચારે દિશાઓમાં શોભતા સરોવરવાળી, બગીચા વાટિકાથી સુંદરતાવાળી, પુરુષરૂપ રતની ઉત્પત્તિકારક રતની ખાણ, ફુલવધૂરૂપ કલ્પલત્તા માટે મેરૂપર્વત સમી તે દ્વારિકા નગરી છે. વળી તે કેવી છે, તે કહે છે... જે નગરીમાં જડતા (પાણી)પણું સરોવરમાં છે, પણ મનુષ્યના મનમાં (જડતા-જડપણું) નથી, ખલ (ખોળ) તેલીની દુકાનમાં છે, ખલ (લુચ્ચાઈ) મનુષ્યોમાં નથી. પોપટ અને મેનાનું બંધન પાંજરામાં છે. વ્યાકરણમાં ઉપસર્ગો છે. કમળની નાલમાં કાંટા છે, કાવ્યમાં બંધ છે, છત્રીઓમાં દંડો છે, કુટિલતા સ્ત્રીઓના ચોટલામાં છે. સ્ત્રીની નાભિમાં ઊંડાઈ છે. નારીઓની આંખોમાં ચંચલતા છે. શાસ્ત્રોમાં ચિંતા (વિચારણા) છે. ધનમાં વ્યસન છે (આદત), વાદોમાં વાચાળતા છે, પણ તે નગરવાસી લોકમાં નથી. જે નગરી ધન કનકાદિથી સમૃદ્ધ છે, પૃથ્વી પર પ્રસિદ્ધ છે, અત્યંત સુંદર છે, દેવોને પણ ઇચ્છા થાય તેવી છે. આવા પ્રકારની બનાવેલી આ નગરી છે. ધનપતિ (કુબેર)ની બુદ્ધિથી બનેલી આવા પ્રકારની દ્વારિકા નગરીમાં બધા રાજાઓને ધનદે (કુબેરે) યથાસ્થાને બેસાડ્યા (રાખ્યા). પછી કુબેરે કૃષ્ણને પીળા કપડાં, નક્ષત્રની માળા, મુગટ અને મહાન રન કૌસ્તુભ આપ્યું. વળી શાર્ગ, ધનુષ્ય નાશ ન પામે તેવા બાણો, નંદક, તલવાર, કૌમુદિ ગદા, ગરુડની ધ્વજા, ૨થ તે કૃષ્ણને આપ્યો તેવી રીતે રામને વનમાલા નીલવર્ણ, કપડું, તાલના ધ્વજવાળો ૨થ, અક્ષય બાણવાળા ધનુષ્ય, હળ, મુશલ શસ્ત્રો આપ્યા. અરિષ્ટનેમિને ગળાનો હાર, બાહુરક્ષક, ત્રણ લોકના વિજયના ચિહ્નરૂપ હાર, ચંદ્ર, સૂર્ય નામના બે કુંડલ, ગંગાના તરંગ જેવા સફેદ વસ્ત્ર, સર્વ (પ્રકારના) તેજને હરનાર રત ધનદે આનંદ સાથે આપ્યા. એ પ્રમાણે સમુદ્રવિજયાદિ યાદવોને પણ શસ્ત્ર, વસ્ત્ર, આભૂષણ આપીને સાડા ત્રણ દિવસ સુવર્ણ અને રતની વૃષ્ટિ કરીને ધનદે ઘણા દેવો વડે સમુદ્રવિજયાદિ યાદવોને અને બલભદ્ર સંયુક્ત કૃષ્ણનો રાજ્યાભિષેક કર્યો. તે દ્વારિકામાં સમુદ્રવિજયની આજ્ઞાથી બલભદ્રની સાથે કૃષ્ણ રાજ્ય કરે છે, એ પ્રમાણે યાદવો સહિત બલભદ્ર અને કૃષ્ણ તે દ્વારિકા નગરીમાં આનંદ સાથે ઇચ્છાપૂર્વક ફરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy