SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૨ નદી, પર્વત, વન આદિનું ઉલ્લંઘન કરી ક્રમે કરીને વિંધ્યા અટવીને પ્રાપ્ત કરી (પહોંચ્યા) ત્યાં કેટલાક દિવસો રહીને જ્યાં આગળ ચાલવાનો ક્રમ શરૂ કર્યો, તેટલામાં જીવ શાની પોકારરૂપ પ્રેરણાથી જરાસંઘે મોકલેલ બલવાન સૈન્યથી પરિવરેલો કાલકુમાર યાદવ સૈન્યની નજીક પહોંચી ગયો અને કૃષ્ણને સહાય કરનારી કુળદેવીએ બંન્નેના સૈન્યની વચ્ચે પર્વત વિદુર્વા (કરીને) અને તેની નજીકમાં ચિતાઓ વિક્ર્વી (કરીને) ચિતાની પાસે રહેલી રોતી ડોશીનું રૂપ કર્યું. મોહિત થયેલ (મુંઝાયેલ) કાલકુમાર વિચાર કર્યા વિના તે ચિતામાં પડીને મૃત્યુ પામ્યો. નાયક વિનાનું સૈન્ય પાછું ફરીને પોતાના સ્થાને ગયું, ત્યારે જરાસંઘે મંત્રીને પૂછ્યું : “હે મંત્રી ! શું થયું ? જે કાંઈ થયું હોય તે તે સત્ય કહે ?” મંત્રીએ કહ્યું : “હે રાજેન્દ્ર ! તમારા પુત્રની બીકથી બધા યાદવો અગ્નિમાં પ્રવેશી ગયા તેઓની પાછળ કરેલી પ્રતિજ્ઞાવાળા કાલકુમાર પણ અગ્નિમાં પ્રવેશી ગયા અને અમે અહીંયા આવી ગયા.” પછી પુત્રના શોકથી દુઃખી જરાસંઘ કેટલાક દિવસો પછી શોક (દુઃખ) રહિત બન્યો. આ બાજુ તે બલભદ્ર અને કૃષ્ણ અને બીજા પણ યાદવો ત્યાંથી ચાલ્યા. ક્રમે કરીને ગામ, આકર (ખાણ), નગર, ખેડા, નાના નાના ગામડા આદિ ઓળંગીને ક્ષેમકુશળ પશ્ચિમ સમુદ્રના કિનારા પર ક્રોકિએ બતાવેલા સ્થાને સૈન્યને રાખ્યું. તે સ્થાનમાં સત્યભામાએ પણ ભાવુક અને ભામર નામના શુદ્ધ સુવર્ણની કાન્તિવાળા બે પુત્રોને જન્મ આપ્યો. પછી નૈમિત્તિકના કહેવા પ્રમાણે કૃષ્ણ લવણસમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિતને પ્રત્યક્ષ કરવા માટે અઠ્ઠમ તપ કર્યો. તે તપથી બોલાવેલા સુસ્થિત રતથી ભરેલો થાળ આદિ ભેટયું લઈને હૃદયના અત્યંત આનંદ સહિત આવીને કૃષ્ણને આ પ્રમાણે કહ્યું: “હે કૃષ્ણ ! તું કહે, શું કરું?” * - કૃષ્ણ કહ્યું: “પહેલાના વાસુદેવની નગરીનું સ્થાપના સ્થાન આપ. સુસ્થિતે પાણીને ઉલેચીને નગરી માટેની ભૂમિને તૈયાર કરીને આપી. પછી કૃષ્ણને પાંચજન્ય શંખ અને કૌસ્તુભ રત અને બલભદ્રને સુઘોષ શંખ આપીને અને પછી એના સ્વરૂપને ઇન્દ્રને જણાવીને સ્વસ્થાને ગયો.” ઇન્દ્ર પણ અવધિજ્ઞાનથી કૃષ્ણના અભિપ્રાયને જાણીને ધનદ (કુબેર)ને આદેશ કર્યો. ધનદે પણ ત્યાં આવીને તે જ ભૂમિ ઉપર ૧૨ યોજન લાંબી અને ૯ યોજન પહોળી દ્વારકા નામની નગરીને સ્વર્ગપુરી જેવી એક દિવસ (અહો-રાત્રિ)માં બનાવી. હવે અહીં દ્વારકાનું વર્ણન કરતાં કહે છે. તે નગરીને વજમય કિલ્લો અને તેના ઉપર આકાશને સ્પર્શ કરતા કાંગરા અને વાદળને અડતા વિવિધ પ્રકારના મણિઓથી યુક્ત ઘરો. જાતજાતના મણિ-માણેક યુક્ત ચાર રસ્તા, ત્રણ રસ્તા પર પણ દિવ્ય જિનમંદિરો ત્યાં હતા. જેમ વાદળો વર્ષા વરસાવે છે, તેમ ઇન્દ્રની આજ્ઞાથી યક્ષોએ અમૂલ્ય રતોની વૃષ્ટિ કરી અને નંદનવનના ભાઈ જેવા મનોહર બગીચાઓ ઈન્દ્રની આજ્ઞાથી કુબેરે નોકરી પાસે કરાવ્યા. વળી તે નગરી કેવી છે તે જણાવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy