SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૨ ૩૯ પાંડવ ચરિત્રમ્ આનંદ પામ્યા. કૃષ્ણ પણ પિતા અને દરેક કાકાઓના ચરણમાં નમ્યો અને વસુદેવે કૃષ્ણને પોતાની નજીક બેસાડીને દૃષ્ટિના દોષને (નજરને) દૂર કરવા મસ્તક પર ચુંબન કર્યુ. દેવકી પણ કૃષ્ણને પાસે બેસાડીને પુત્રને હાલ કરવામાં તત્પર બનેલી લાંબા સમય સુધી પુત્રના શરીરના સ્પર્શનું સુખ પામી. તેવી રીતે સમુદ્રવિજયે ઉગ્રસેનને મથુરાના રાજ્ય પર બેસાડ્યો, ઉગ્રસેન રાજાએ પણ પોતાની પુત્રી સત્યભામાને ધનુષ્ય ચડાવવાની પ્રતિજ્ઞા પૂરી કરનાર કૃષ્ણને આપી અને કૃષ્ણ તેને પરણ્યો. પછી કંસનો પરિજન ભૂમિ પર મરેલો પડેલો ધૂલિથી ખરડાયેલો કંસને જોઈ વિલાપ કરવા લાગ્યો. ત્યારે શોક્ય પનીઓ સાથે જીવયશા ત્યાં આવી અને આવી દશાવાળા પતિને જોઈને છાતી ફૂટવાપૂર્વક રોવા લાગી. પણ કંસનો સંસ્કાર થવા છતાં પણ મગધ રાજાની પુત્રી જીવયશાએ કંસને જલાંજલિ આપી નહિ, પરંતુ આ પ્રમાણે ઊંચા અવાજે બોલી, બલભદ્ર કૃષ્ણ યાદવો સાથે જલાંજલિ હું પ્રાણેશ (કંસ)ને આપીશ. એ પ્રમાણે કહીને જલાંજલિ આપ્યા વિના ગામ, નગરો ઉલ્લંઘીને પિતાને ઘેર રાજગૃહી સારી રીતે આવી. યાદવેશ્વરો જીવ શાને મગધેશ્વરની પાસે ગયેલી જાણીને બધા યાદવોને યાદવેશ્વરે (સમુદ્રવિજયે) બોલાવ્યા તથા કોષ્ટ્રકિ નૈમિત્તિકને પણ બોલાવીને બધા યાદવને જોતાં સમુદ્રવિજયે નૈમિત્તિકને પૂછ્યું: “હે ત્રિકાલજ્ઞ ! અમારે જરાસંઘ સાથે મોટો વિરોધ થયો છે. હવે શું કરશું, અમે અહીંથી ચાલીને ક્યાં જઈએ ? અમારો ઉદય ક્યાં થશે ? આ બધું પોતાના જ્ઞાનથી જાણીને અમને સત્ય કહો, શું છે ?” નૈમિત્તિક બોલ્યો : “હે રાજ! આપને શી ચિંતા? જેમના કુલમાં અરિહંત (નેમનાથ) બલભદ્ર, કૃષ્ણનો જન્મ થયો છે, તેમજ જેના સાંનિધ્યમાં દેવો રહ્યા છે, તેને શી ચિંતા? તો પણ પ્રાણીઓને ભાગ્યને આધીન દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને આશ્રયીને સંશયરહિત ઘણું ઘણું થાય છે. આથી તમે પરિવાર સાથે આ ક્ષેત્રને છોડીને પશ્ચિમ સમુદ્રના તટે જાઓ અને જયાં આ કૃષ્ણ પતી સત્યભામા બે પુત્રને જન્મ આપે તે સ્થાને તમે મહાનગરી સ્થાપજો. તે નગરીમાં આપનો ઉદય થશે.” એ પ્રમાણે નૈમિત્તિકનું કહેલું સાંભળીને સમુદ્રવિજય આદિ બધા યાદવો નૈમિત્તિકને દ્રવ્યાદિથી સત્કારીને અને તેને રવાના કરીને ચાલવાનો ક્રમ શરૂ કર્યો અર્થાત્ ચાલવા લાગ્યા. સમુદ્રવિજય રાજાને કુશાવર્ત મથુરાના લોકો સાથે પ્રસ્થાન કરતાં શુભ શુકનો થયા. જેવા કે કન્યા, ગાય, પૂર્ણકુંભ, દહીં, મધ, દેદીપ્યમાન બળદ જોડેલા રથ, ઘોડો, કલ્યાણકારી છત્ર, ખોદેલી જમીન, મત્સ્ય યુગલ, રાંધેલો આહાર, મુનિ, વેશ્યા, દારૂ, માંસ, હિતકારી વચન આવા "શુભ શુકન થયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy