SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૨ પાંડવ ચિરત્રમ્ ૩૮ યુદ્ધ કર!” પછી બંને મલ્લો પણ, બંને પ્રતિમલ્લો કૃષ્ણ અને બલભદ્ર સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે મહાન યુદ્ધ થતાં ચાણ્રે છલકપટ કરીને કૃષ્ણના હૃદય પર મુષ્ટિ મારીને ભૂમિ પર પાડ્યો અને મૂર્છિત થયો (કર્યો). કૃષ્ણને મૂર્છામાં પડેલો જોઈને લોક હાહારવ કરવા લાગ્યા અને કંસ આસનથી ઊઠીને કપડું ઉછાળતો હસવા લાગ્યો. તેટલામાં કલ્પાંત કાળના અગ્નિ સમાન બલભદ્ર મુટ્ઠીના પ્રહારથી મૌષ્ટિક મલ્લને હણીને કૃષ્ણની પાસે ગયા. ત્યારબાદ બલભદ્રે કૃષ્ણને પોતાના ખેસથી વાયુને વીંઝવા થકી અને શીતલ ઉપચાર કરવા થકી ચૈતન્યવાળો કર્યો. યાદવના મનોરથો (ઇચ્છાઓ) સાથે ઉઠેલા કૃષ્ણે ચાણ્રને કહ્યું. “હે ચાણ્ર ! આવ, જેથી હું યમનો મહેમાન કરૂં...' તે સાંભળીને ક્રોધે ભરાયેલો ચાણ્ર મુઠ્ઠી ઉગામીને કૃષ્ણ તરફ જવા દોડે છે, ત્યાં કૃષ્ણે વજ્ર સમી મુષ્ટિ ચાણ્રને છાતી પર મારી. તે પણ પ્રહારથી મરીને ભૂમિ પર પડ્યો અને હવે કંસ ચાલૂરને યમનો મહેમાન બનેલો જોઈને વિચારે છે, તે આ મારો દુશ્મન છે. જે પહેલાં મુનિએ કહ્યું હતું તો આને હું હણું, એ પ્રમાણે વિચારીને પોતાના માણસોને આદેશ (આજ્ઞા) કરી. રે, રે, પકડો, પકડો, આ ગોપાલ બાલકને તે સાંભળીને કૃષ્ણે સિંહની જેમ ઉછળીને (છલાંગ મારીને) મંચ પર ચઢીને કંસને કહ્યું : “અરે, ઓ નિર્લજ નિષ્ઠુર હૃદયી! જન્મતા એવા મારા ભાઈઓનું તું સ્મરણ કર, હું તને મોટી શિલા પર અફળાવીશ. હે કંસ ! જો તને તારા બળનો ખૂબ ગર્વ હોય તો પોતાનું રક્ષણ કરવા માટે શસ્ત્રમાં મન આપ, એ પ્રમાણે કહીને પગના પ્રહારથી તેના મોટા મુગટને ભાંગીને કેશિજીતે (કૃષ્ણ) કંસને કેશથી પકડીને મંચ પરથી ભૂમિ પર ફેંક્યો. વળી પણ કૃષ્ણે તે કંસને તે મંડપમાં ઘણી રીતે વિડંબણા (હેરાન) કરીને પગના પ્રહારથી હૃદય ફાડીને કંસને યમનો ગ્રાસ (કોળીયો) બનાવ્યો. અહીંયા રહેલા કંસના સુભટોએ આ કૃષ્ણને મારો, મારો એ પ્રમાણે બોલતા એવા તેઓને બલવાન એવા બલભદ્રે દૂર કર્યા... દૂર ભગાડ્યા. પછી સમુદ્રવિજય આદિ યાદવોએ કંસના સૈન્યનો વિનાશ કર્યો. તે અવસરે બે વસ્તુ બની. એક જીવયશા સાથે કંસનું સૈન્ય પલાયન થઈ ગયું, બીજું કૃષ્ણ, બલભદ્ર અને યાદવ સૈન્ય ખુશ થયું. અહો ! સંસાર એકના ઘરે હર્ષ, બીજાના ઘરે શોક કરાવે છે. ,, કારણ કે– સૂર્યનો ઉદય અને ચંદ્રનો અસ્ત થાય ત્યારે કુમુદ વન ગ્લાન થાય છે. કમલવન ખીલે છે, શોભાવાળું થાય છે. સૂર્યનો ઉદય થાય છે, ત્યારે ઘુવડ નારાજ થાય છે અને ચક્રવાક રાજી થાય છે... આનંદ પામેલો અનાવૃષ્ણિ બલભદ્રની સાથે આદરપૂર્વક કૃષ્ણને રથમાં બેસાડીને વસુદેવ (શૌરિ)ના ઘરે પહોંચ્યા અને ત્યાં સમુદ્રવિજય આદિ યાદવો કૃષ્ણને વારંવાર આંખોથી જોતાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy