SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૨ પાંડવ ચિરત્રમ્ ૩૨ આપ્યો. ત્યારે છપ્પન દિક્કુમારીઓએ તેનું સૂતિકર્મ કર્યું તથા ૬૪ ઇન્દ્રોએ પણ મેરૂપર્વત પર સ્નાત્રપૂજા કરી. તે પ્રમાણે દેવોએ યાદવેન્દ્ર સમુદ્રવિજયના મહેલને ધનધાન્યથી અને રતના ઢગલાથી ભર્યો. તેમજ તેના પુત્રના જન્મ મહોત્સવે રાજાએ કારાગારને ખાલી કરાવ્યું અને અમારિની ઘોષણા કરાવી તથા દસ દિવસ જ્યાં રાજા તેના કુળોને ઉચિત મહોત્સવને કરે છે. બારમા દિવસે માતા અને પિતાએ તેના પુત્રનું અરિષ્ટનેમિ એ પ્રમાણે નામ પાડ્યું. શૌરિ અને સમુદ્રવિજયે જેવો નેમિ જન્મ સમયે મહામહોત્સવ કર્યો હતો, તેવો કૃષ્ણના જન્મ સમયે કર્યો નહિ. એ પ્રમાણે સુખથી દિવસો જાય છે. આ પ્રમાણે કુન્તીની આગળ કોરકે કહ્યું : “હે કુન્તી ! આ બધું જ મેં મારી નજરે જોયું છે.” વળી કોરક બોલ્યો. એક દિવસ કંસ દેવકીને જોવા માટે વસુદેવના ગૃહે ગયો. ત્યાં છેદાયેલા નાકવાળી કન્યાને ૨મતી જોઈ. તેને જોઈને મુનિનું વાક્ય સ્મરીને ભયથી આકુળ બન્યો અર્થાત્ કંપવા લાગ્યો. કારણ કે– મુસાફરી જેવી જરા નથી. દારિદ્ર સમો પરાભવ નથી. મરણસમ ભય નથી... ભૂખસમી કોઈ વેદના નથી. તે કંસે મહેલમાં આવીને ગુપ્ત રીતે નૈમિત્તિકને પૂછ્યું : “હે નૈમિત્તિક, મુનિએ જે કહ્યું તે સત્ય છે કે અસત્ય છે. ભાવિમાં જે થવાનું હોય તે કહે.” નૈમિત્તિકે કહ્યું કે : “દેવકીનો સાતમો ગર્ભ તમારો દુશ્મન જીવે છે. તું મૃત્યુને પામીશ. કારણ કે મુનિએ કહેલું તત્ત્વ સત્ય જ છે.” કંસે કહ્યું : “તે મને મારનારો છે. તે કેવી રીતે જણાશે. નૈમિત્તિક બોલ્યો : ‘‘હે કંસ રાજેન્દ્ર ! જે તારા દુષ્ટ અરિષ્ટ નામના બળદને હણશે, તે તારો હણનાર બનશે.'' જે કેશી નામનો શુક્લ અશ્વ હણનાર હશે તે તને મારનાર થશે. જે તારા ચાણ્ર નામના મલ્લને હણશે તે તને હણનારો છે. જે તારા પદ્મોત્તર અને ચંપક નામના હાથીઓ છે; તેનો જે હણનાર છે તે તારો હણનાર થશે. બીજા લોકો જેને અડી શકવા સમર્થ નથી, તેવા પ્રકારના શાર્ગ ધનુષ્યના ઉપ૨ જ્યાં દોરી ચઢાવશે તે તારો પ્રાણહર્તા જાણવો. જે કાલિન્દી નદીમાં રહેલા કાલિય નામના પન્નગ (સર્પ)ને વશ કરશે તે તારો પણ પ્રાણ હણનાર જાણવો...'' હે રાજેન્દ્ર ! આ બધું પહેલાં વિશિષ્ટ જ્ઞાનવાન મુનિવરોએ કહ્યું છે, તે મેં પણ કહ્યું, પરંતુ આ બધું સત્ય જાણવું. તે સાંભળીને ડરેલો કંસ તેને દાન આપી સંતોષીને જે કરે છે, તે કહું છું. હે મંત્રી ! અરિષ્ટ ઋષભ પ્રમુખનું સારા દ્રવ્યોથી પોષણ કરો. એવી રીતે પોષણ કરો કે મદોન્મત્ત થયેલા તેઓ તેનો (કૃષ્ણનો) નાશ કરે. હવે ગોપીઓના સમૂહમાં રહેલો કૃષ્ણ દિવસે ગાયોના સમૂહને વૃંદાવનમાં પાળે છે. તે કૃષ્ણ ગોપાલક બાળકોથી પિરવરેલો એક વખત કંસે છોડેલા અરિષ્ટ અને કેશિન નામના ઋષભ અને અશ્વ સ્વેચ્છાપૂર્વક ફરતા ગોકુળમાં આવ્યા. ત્યાં તે બંનેએ ગાયના વાછરડાને હેરાન કરતા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy