SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૨ ૩િ૧] પાંડવ ચરિત્રમ્ ત્યારે દેવતાથી અધિષ્ઠિત કૃષ્ણ તેઓને ખતમ કર્યા. એ પ્રમાણે કૃષ્ણ હાથ વડે અને ઘૂંટણીએ ચાલતાં... સિંહના બચ્ચાની જેમ ખેલતા, દહીં, દૂધના વાસણોને ગબડાવતો ગોકુલમાં ફરે છે. એ પ્રમાણે ક્રમે કરીને વધતો સાત-આઠ વર્ષનો થયેલો તે (કૃષ્ણ) પોતાના યશ વડે કરીને કેતકીની સુગંધની જેમ દિશાઓમાં પ્રસરી ગયો... તેને લોકોત્તર ગુણોએ કરીને કૃષ્ણ હમણાં ગોકુલમાં મોટો થઈ રહ્યો છે, એ પ્રમાણે લોકોએ કહેલી કીર્તિની વાર્તા સાંભળીને વસુદેવે કૃષ્ણના હિતને માટે બલદેવને મોકલ્યો. કૃષ્ણ પણ બલદેવની પાસેથી સકલ કલા શીખી લીધી. આથી બલદેવ કૃષ્ણનો ઉપાધ્યાય (ગુરુ) અને બંધુ બંનેય થયા. હવે તે કામદેવથી હારેલી (હણાયેલી) તે ગોવાલણો તેને રૂપે કરીને કામદેવ જેવો જાણીને કૃષ્ણની જ સેવા કરે છે. કેવી રીતે તે કહે છે- જેની રોમરાજી ખીલી ગઈ છે. તેવી આનંદપૂર્વક કેટલીક ચંદનના પાણીથી માંસલ ખભા ઉપર પત્તરવેલી ચીતરવા લાગી. એ પ્રમાણે કેટલીકે મોરપિંછીથી મુગટ કર્યો. કેટલીકે પુષ્પમાલાથી છાતીને શોભાવી. કેટલી ગોપીઓ સુંદર મંડેલી કરીને તાલીને આપતી લીલાને કરતી, હલ્લો હલ્લો બોલતી હતી, એ પ્રમાણે ગોપાલ બાલિકાઓથી લાડ (વ્હાલ) કરાતો બલદેવથી પાલન કરાતા કૃષ્ણ ગોકુલમાં ઘણો કાળ પસાર કર્યો. આ બાજુ શૌર્યપુર નગરમાં સમુદ્રવિજય રાજાની પટ્ટરાણી શ્રી શિવાદેવીએ કાર્તિક વદ બારસની તિથિએ રાત્રિના બીજા પ્રહરે ચિત્રા નક્ષત્રમાં ચંદ્ર આવ્યું છતે તીર્થકર જન્મના સૂચક ચૌદ મહાન સ્વપ્નો જોયા. તેથી જાગેલી રાણી આનંદને પામી. ત્યાંથી ઊઠીને દેવી રાજાની પાસે આવી અને આ પ્રમાણે કહ્યું : “હે સ્વામિન્ ! મેં આવા સ્વપ્નો જોયા છે.” જેવા કે. હાથી, ઋષભ, સિંહ, અભિષેક કરાતી લક્ષ્મી, પુષ્પમાલા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કળશ, પદ્મસરોવર, દેવવિમાન, રતરાશિ અને અગ્નિ. હે સ્વામિન! આ સ્વપ્રોનું મને શું ફલ મળશે? રાજાએ કહ્યું : “તને મહાન પુત્ર થશે.” એ પ્રમાણે કહીને રજા અપાયેલી, સ્વસ્થાનમાં આવેલી તે શિવાદેવીએ દેવ-ગુરુની કથાઓ વડે બાકી રહેલી રાત્રિને પસાર કરી. હવે પ્રભાત થતાં કૌકિ આદિ નૈમિત્તિકોને બોલાવીને સ્વમનું ફલ પૂછ્યું. ત્યારે વિચારીને નૈમિત્તિકે કહ્યું: “હે રાજન! તીર્થકરોની માતા આવા સ્વજુવે છે. આથી લોકોત્તર પ્રભાવવાળો તમારો પુત્ર તીર્થંકર થશે.” એ પ્રમાણે સાંભળીને રાજા-રાણી બને અત્યંત પ્રીતિ (હર્ષ)ને પામ્યા અને નૈમિત્તિકોને ઘણું દ્રવ્ય દાનમાં આપીને સંતોષીને રાજા અને રાણીએ વિસર્જન કર્યા. તે ગર્ભના પ્રભાવથી દેવી લાવણ્યને પામી. સારા દોહદો (મનોરથો) પૂર્ણ કર્યા. રાજા ઉદય (ચડતી)ને પામ્યો. દેશ વિઘ વિનાનો બન્યો. હવે શ્રાવણ સુદ પંચમીને દિવસે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયે છતે, સૌમ્ય ગ્રહોએ લગ્ન જુએ છતે, શિવારાણીએ પુત્રને જન્મ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy