SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૨ (૩૩) પાંડવ ચરિત્રમ્ ગાયોનું દૂધ પી જતાં લોકોને હેરાન કરતાં ગોકુલમાં ઘણો શોક પ્રવર્તાવ્યો. ગોકુલને શોકાકુલ જોઈને નંદે ગોપાલકોને કહ્યું : “હે ગોપાલો ! કૃષ્ણને બોલાવો.” ગોવાળોએ કૃષ્ણને વનથી બોલાવ્યો અને કૃષ્ણ આવીને દુઃખથી દમી શકાય તેવા ઋષભને જોઈને દોડીને શિંગડાઓ પકડીને મૂઠી વડે હણીને તેની ખાંધને કમળની નાળની જેમ મરડીને તેને યમનો મહેમાન બનાવ્યો... તેવી રીતે કેશિન નામના ઘોડાને ગોકુલને ઉપદ્રવ કરનારો જાણીને (જોઈને) કૃષ્ણ કહ્યું : “હે કેશિન! મારા જેવો સમર્થ નાથ હોવા છતાં અનાથની જેમ મારા ગોકુલને કેમ મળે છે (ડહોળે છે).” ઇત્યાદિ કહેવાથી સફેદ ઘોડો એવો કશી ખુરોથી પૃથ્વીને ખોદતો, દાંતો વડે દાંતોને કચકચાવતો સામે આવ્યો. કૃષ્ણ પણ તેના મુખ પર હાથ મૂકીને (હાથથી તેના મુખને બંધ કરીને) તેને લીલા માત્રમાં જુના વસ્ત્રની જેમ ફાડી નાખ્યો, તેથી ગોપવધુઓએ તે કૃષ્ણને વસ્ત્રના છેડાથી ઓવારણું કરીને વધાવ્યો. તે પછી તે બંનેની વધની વાત ગુપ્ત મનુષ્યોએ જલ્દી આવીને કંસને કહી. કંસે પણ બૃહસ્પતિ મંત્રીને કહ્યું : “હે મંત્રીનું ! મારો દુશ્મન નંદ (કૃષ્ણ) ગોકુલમાં રહે છે, તો તેનો ગ્રહણનો ઉપાય વિચારો. મત્રીએ કહ્યું : “હે દેવ ! શાર્ગ ધનુષ્યની ઉપરચાપ (બાણ) ચડાવવાના બહાનાથી સર્વ રાજાઓને બોલાવીને આ પ્રમાણે કહો. હે રાજાઓ ! મારા વચનને સાંભળો ! જે આ શાર્ગ ધનુષ્ય ઉપર બાણને ચડાવશે, તેને હું મારી બહેન સત્યભામાને આપીશ. પછી બાણ ચડાવવાના કાર્ય માટે આવેલા તે તમારા દુશ્મનને તમારે ગ્રહણ કરવો.” એ પ્રમાણે મંત્રીએ જે કહ્યું, તે બધું કંસે કર્યું.” બોલાવાયેલા બધા રાજાઓ આવી ગયા. ત્યારે વસુદેવનો પુત્ર બલદેવ (ભદ્ર)થી મોટો અનાવૃષ્ણિ નામનો શૌરિપુરથી આવીને મથુરા જવાની ઇચ્છાવાળો સૂર્ય અસ્ત થવાથી રાત્રિ ગોકુલમાં રહ્યો અને તે ત્યાંથી બલભદ્રને જણાવીને (આજ્ઞા લઈને) કૃષ્ણની સાથે મથુરા ચાલ્યો. માર્ગમાં અનાવૃષ્ણિનો રથ વડના ઝાડ પાસે અલીત થયો (અટકી ગયો). તે વડના ઝાડ પાસેથી રથને અનાવૃષ્ણિ ખેંચી કાઢવા માટે અસમર્થ બન્યો, ત્યારે કૃષ્ણ તે વડવૃક્ષને મૂળથી ઉખેડીને દૂર ફેંકી દીધું. તે જોઈને આનંદ પામેલો અનાવૃષ્ણિ તે નાના ભાઈ કૃષ્ણને બાજુમાં બેસાડીને વારંવાર (ફરી ફરીને) ચુંબન કર્યા અને વળી આગળ ચાલવા લાગ્યા, પછી મથુરા ગયા. ત્યાં બાણનો મંડપ જોઈને ઉચ્ચ સ્થાને બેઠા. પછી તે સર્વ રાજાઓ તે બાણને અને બાણ મંડપની નજીક રહેલી સત્યભામાને જોઈને ચિંતવવા (વિચારવા) લાગ્યા. , અહો ! ક્યાં આ બાણનું આરોપણ અને ક્યાં સત્યભામાનું પાણિગ્રહણ (લગ્ન) તોપણ પાણિગ્રહણ કરવાની ઇચ્છાવાળા કલિંગ-બંગ-કાશ્મીર-કર આદિના રાજાઓ ધનુષ્યની નજીકમાં આવીને મોટા કષ્ટ જોઈ શકાય તેવા બાણને જોઈને નમીને પોતપોતાના મંચમાં પાછા આવ્યા. હવે રાજાઓને હસીને (મશ્કરી કરીને) બાણ ગ્રહણ કરવાની ઇચ્છાવાળો અનાવૃષ્ણિ મોટા હાથને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy