SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ (૨૮). સર્ગ - ૨ વાજિંત્રોનો શબ્દ (સૂર)સાંભર્યો. દષ્ટિ નાખતાં વિદ્યાધરના વિમાનોની હારમાળા જોઈ, તેમાંથી કોઈક વિદ્યાધરે આવીને જણાવ્યું કે, હે દેવ! વિમાનોથી પરિવરેલા વસુદેવ આવે છે. એ પ્રમાણે જ્યાં કહે છે, ત્યાં જ આવેલી વિમાન શ્રેણીને જોઈને સમુદ્રવિજય આનંદ પામ્યો. પછી રાજા ઊંચા તોરણની (શ્રેણીથી) શોભિત ઉડતી ધજાઓથી નગરને સજાવીને સામો ગયો. ત્યારે વસુદેવ વિમાનથી ઉતરીને ચરણમાં નમીને અત્યંત હર્ષથી એકબીજા ભેટ્યા. સમુદ્રવિજય અને નાનાભાઈ ઇન્દ્ર અને ઉપેન્દ્રની જોડી જેવા બંને ભાઈઓએ પણ નગરમાં પ્રવેશ કર્યો. આ બાજુ મથુરાથી મિત્રતાને યાદ કરીને આવેલા કંસે અન્ય રાજાઓને જીતેલા એવા શૌરિ (વસુદેવ)નો વિજય મહોત્સવ કર્યો તથા સમુદ્રવિજયને જણાવીને કંસે વસુદેવને પોતાના કાકા દેવકની સ્વરૂપવાન પુત્રી દેવકીને અનુરૂપ શૌરિ સાથે તેને પરણાવી. દેવકીના કરિયાવર (દહેજ) વખતે રાજા દેવકે હાથીઓ અને ઘોડાઓ આપ્યા તથા એક લાખ ગાયો સાથે ગોકુળ (ગાય રાખવા માટેની જગ્યા) આપ્યું. તેના રક્ષક તરીકે નંદ આપ્યો. તેને યશોદા નામની સ્ત્રી હતી. પછી વસુદેવ દેવકીને લઈને ગોકુળ સાથે કંસરાજા સહિત મથુરાનગરીમાં આવ્યો. મથુરા આવીને કત, વસુદેવ અને દેવકીનો મહોત્સવ કરતો હતો, ત્યારે કંસનો ભાઈ અતિમુક્તક નામના મુનિ માસક્ષમણને પારણે ભિક્ષા (ગોચરી) લેવા માટે કંસના ઘરે આવ્યા ત્યારે કંસની પતી જીવયશા યૌવનના ઉન્માદથી ઉદ્ધત (ઉન્મત્ત) બનેલી મુનિની સન્મુખ ગઈ. તે કેવા પ્રકારની હતી, તે કહે છે– ચોટલો જેનો ઢીલો થઈ ગયો છે તેવી, છાતી પરના કપડા અસ્તવ્યસ્ત કરી નાખ્યા છે તેવી, દારૂના નશાથી ઉન્મત્ત બનેલી તેવી, વળી કમરના ભાગથી અસ્તવ્યસ્ત થઈ ગયા છે કપડા તેવી, આંખો લાલ થઈ છે તેવી, કામ (વિષય) સુખની ઇચ્છાવાળી જીવયશાએ બે હાથથી મુનિના કંઠને આલિંગન (ભેટીને) કરીને આ પ્રમાણે બોલી : “હે દેવર આવો ! તમારી બેનના મહોત્સવમાં આપણે બંને જણા નૃત્ય કરીને ક્રિડા કરીએ.” મુનિએ કહ્યું : અરે, ઓ પાપિણી, શું બોલે છે ?” મારું એક વચન સાંભળ ! જે વિવાહના ઉત્સવ પ્રસંગમાં અત્યંત ગર્વથી મદોન્મત્ત બનેલી તું નાચી રહી છે. તેનો સાતમો ગર્ભ તારા પતિને હણશે. એ પ્રમાણેના મુનિના વચનો સાંભળીને આર્તધ્યાનમાં પડેલી, ઉતરી ગયેલ મદવાળી એવી તેણીએ મુનિના કંઠને છોડી દીધો. મુનિ પોતાના સ્થાનમાં ગયા. તે પણ કંસ પાસે ગઈ. અત્યંત આકુળ-વ્યાકુળથી વાત તેણીએ મુનિએ કહેલું સર્વ કંસને કહ્યું. તે સાંભળીને કંસ ડરી ગયો. કારણ કે મરણ જેવો બીજો કોઈ ભય નથી. જેવી રીતે મુસાફરી જેવી કોઈ જરા (ઘડપણ) નથી. દારિદ્ર જેવો કોઈ પરાભવ નથી. મરણ જેવો કોઈ ભય નથી અને ભૂખ જેવી કોઈ વેદના નથી.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy