SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ સર્ગ - ૨ પાંડવ ચિરત્રમ્ તે સાંભળીને રોહિણીએ કુબડા આકારવાળો હોવા છતાં પડહ વાદકના કંઠમાં વરમાળા પહેરાવી (નાખી). તે પડહવાદકને વરી, તેથી બધા રાજાઓએ કોલાહલ મચાવ્યો. જરાસંઘની આજ્ઞાથી યુદ્ધ માટે તૈયારી કરી. રુધિર રાજાએ પડહવાદકના પક્ષે આવીને સામા પક્ષના બધા જ રાજાઓ સાથે યુદ્ધ કર્યું. પડહવાદક પણ વિદ્યાધરોએ લાવેલા રથમાં ચડીને વિદ્યાધરે આપેલા આયુધે કરીને રાજાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યો. રાજા જરાસંઘે તે અબલ ને સબલ જોઈને તથા તેને એકલો અનેક પ્રકારે યુદ્ધમાં દુર્જય જાણીને સમુદ્રવિજય રાજાને આદેશ કર્યો. હે સમુદ્રવિજય ! આ સૂર્યવાદકને માર. પછી શૌર્યપુરનો સમુદ્રવિજય રાજા સૈન્ય અને વાહનો સાથે યુદ્ધમાં તત્પર સંગ્રામને માટે જાતે આગળ આવ્યો. રુધિર રાજાના સૈન્યથી ઘેરાયેલા એવા વસુદેવ પણ યુદ્ધ કરવા લાગ્યા. તે વખતે જયરૂપ લક્ષ્મી વિચારે ચડી ગઈ કે, આમાંથી ક્યા રાજાને પરણું (કોને જીત અપાવું). આશ્ચર્ય પામેલો સમુદ્રવિજય તેના પરાક્રમને જોઈને આ શું દેવ છે અથવા દાનવ છે કે વિદ્યાધર ! જેથી કરીને મારૂં પૂર્ણ સૈન્ય ભાંગી પડ્યું છે. ત્યારે વસુદેવે સમુદ્રવિજયને જોયો. પાછળથી વસુદેવ નામના અંકિત બાણને છોડ્યું. તે બાણ સેવકની જેમ પગની આગળ પડેલું જોઈને સમુદ્રવિજયે તે બાણ કૌતુકથી હાથમાં લઈને તેના પર લખેલી વાત (અક્ષરાવલી) વાંચી. તે આ પ્રમાણે– હે દેવ ! આ શબ દાહનું બહાનું કાઢીને પહેલા નગરથી જે ગયો હતો તે વસુદેવ તમારા ચરણકમળને નમે છે, વંદન કરે છે. તે અક્ષરો વાંચીને રથને તજીને ભીની આંખોવાળો સમુદ્રવિજય સન્મુખ આવ્યો. હર્ષથી ભીંજાયેલ નેત્રોવાળા વસુદેવે પણ ઝડપથી આવીને સમુદ્રવિજયના ચરણોમાં નમસ્કાર કર્યો. તે બંને નીકળવાના દિવસથી આરંભીને સો વર્ષના અંતે મળ્યા. રુધિર આદિ સર્વે રાજાઓ અને જરાસંઘ આદિ સર્વે ચમત્કાર પામ્યા અને પછી રુધિરે વસુદેવનો વિવાહ રોહિણી સાથે કર્યો. સમુદ્રવિજયે વિવાહિત થયેલા વસુદેવને સ્વદેશ આવવા માટે કહ્યું, ત્યારે વસુદેવે સમુદ્રવિજયને કહેવડાવ્યું કે, હે દેવ ! તમે તમારા સ્થાને જાઓ. હું થોડા દિવસ પછી આવીશ. કારણ કે તમારા નાના ભાઈને મનુષ્ય રાજાની અને વિદ્યાધરની સેંકડો કન્યાઓ વધૂઓ છે, તેઓને જલ્દી લઈ આવીને તમારા ચરણમાં હું પ્રણામ કરીશ. આ પ્રમાણે કહીને સમુદ્રવિજયને પૂછીને વસુદેવ ઉત્તરદિશામાં ગયો. પરિવાર સહિત સમુદ્રવિજય પોતાની નગરીમાં આવ્યો. તે જરાસંઘ વગેરે સર્વે રાજાઓને પણ રુધિર રાજાએ પૂજ્યા, સન્માન્યા અને તેઓ પોતપોતાના સ્થાને ગયા. શૌરિ સમુદ્રવિજય હંમેશા વસુદેવના ગુણ ગાતા અને તેના સૌભાગ્યને વર્ણવતા આનંદપૂર્વક સમયને પસાર કરતા હતા. ત્યાં એક દિવસ ઉત્તરદિશામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy