SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ (૨૪) સર્ગ - ૨ તેને આ વૃત્તાંત (હકીકત) રાજા વસુદેવને કહ્યો. વસુદેવ તે સાંભળીને લગ્ન માટે ઓછા (મંદ) આદરવાળો થતાં સમુદ્રવિજય રાજાને આ પ્રમાણે જણાવ્યું, કેવી રીતે આ કન્યા બીજાને પરણે તેવો ઉપાય મને યાદ આવે છે, તેને તમે સાંભળો. તે આ પ્રમાણે : “હે સ્વામિન્ ! તમારી આજ્ઞાથી હું સિંહપુરે ગયો ત્યારે આ સિંહરથે નગરમાંથી નીકળીને મારા સૈન્યને જેવી રીતે ગુફામાંથી સિંહ નીકળીને જેમ હાથીઓને ત્રાસ આપે છે, તેમ ત્રાસ પમાડ્યો.” મારા સૈન્યને નાસતું જોઈને હું સામે ગયો. એણે પણ મને જોઈને ભયંકર યુદ્ધ કરવા માંડ્યું. ત્યારે મારો સેવક કંસ નામના સારથિએ રથથી ઉતરીને એને બાંધ્યો (પકડ્યો). તેથી હે પ્રભો ! તમારી પુત્રી જીવયશા કંસને આપો (કંસને માટે થાઓ). સમુદ્રવિજયે કહ્યું : “એ કંસ કોણ છે ?” “વસુદેવે કહ્યું : વણિકે મને સોંપેલ છે.” તો જરાસંઘ પોતાની પુત્રીને એ વણિક પુત્રને કેમ આપશે ? એ પ્રમાણે વાર્તાલાપ થઈ રહ્યો છે, ત્યારે સેવાને માટે કંસને આવેલો જોઈને વસુદેવે રાજાને કહ્યું : “તે આ કંસ છે, તેને જોઈને સમુદ્રવિજયે કહ્યું કે : “વણિક કુળમાં આવો અત્યંત અદ્દભૂત આકાર સુલભ નથી. તેથી એના પિતાને પૂછીને કુળનો નિર્ણય કરું.” પછી વણિકને બોલાવીને શપથપૂર્વક રાજાએ પૂછ્યું. કંસની સામે જ સર્વ સુભદ્ર નામના વણિકે સત્ય વાત કહી. હે રાજન્ ! એક વખત હું યમુના નદીએ શૌચને માટે ગયો હતો. ત્યાં મેં યમુના નદીના પ્રવાહમાં વહેતી કાંસાની પેટી જોઈ. તે પેટીને લઈને જ્યાં હું ઘરે આવ્યો ત્યાં મેં પેટીમાં આ પુત્ર જોયો. પુત્રના હાથમાં આ મુદ્રિકા અને ઉગ્રસેનના નામવાળી આ પત્રિકા જોઈ અને વાંચી. તેમાં શું છે, તે વાંચી સંભળાવું છું. ઉગ્રસેન રાજાની ધર્મપતી ધારિણીને ગર્ભના કારણે પતિના માંસનું ભક્ષણ કરવાના લક્ષણરૂપ દોહદ (ઈચ્છા) ઉત્પન્ન થયો. તે બુદ્ધિશાળી મંત્રીઓએ કોઈપણ રીતે તે પૂરો કર્યો. પોષકૃષ્ણ ચૌદશના દિવસે વૃષ્ટિકરણમાં આ પુત્ર જન્મ્યો છે. તે દોહદના પ્રભાવથી પિતાનો વૈરી જાણીને કાંસાની પેટીમાં નાખીને યમુનાના પ્રવાહમાં તરતી મૂકી દીધી. તેથી તે આ બાળક ઉગ્રસેન રાજાનો પુત્ર જણાય છે (જાણવો). પછી સમુદ્રવિજય બોલ્યા: “અમારા ગોત્ર સિવાય બીજાનું આવા પ્રકારનું બળ કેવી રીતે હોય.” ત્યારબાદ કંસની સાથે સમુદ્રવિજય રાજગૃહી ગયા. પછી મગધ રાજાની આગળ સિંહરથને ઊભો કર્યો અને આ સિંહરથને આ કંસે બાંધ્યો હતો, એ પ્રમાણે કહ્યું. પછી તેને રાજપુત્ર જાણીને મગધેશ્વરે કંસને પોતાની પુત્રી જીવયશા આપી. કારણ કે મહાત્માઓનું કથન યુગાન્ત પણ નિષ્ફળ થતું નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy