SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૨ પાંડવ ચિરત્રમ્ ૨૫ ઉગ્રસેન રાજા પરના દ્વેષથી કંસે માંગેલી મથુરા પણ આપી અને જરાસંઘ રાજાએ ગાદીપરથી ઉઠાડી દીધેલા રાજા સિંહ૨થને પણ છોડને ખોદીને ફરી રોપવાની જેમ કંસનો સેવક કર્યો તે પણ કંસની સેવા કરતો રહ્યો છે પછી સન્માન કરીને મોકલેલ કંસ જરાસંઘની સાથે મથુરા તરફ ચાલ્યો. કંસનું સૈન્ય આવેલું સાંભળીને ઉગ્રસેન રાજા પણ ઉગ્રસેનાની સાથે પરિવરેલો સામે આવ્યો. બંનેના સૈન્યે મોટું યુદ્ધ કર્યું. પરંતુ ઉગ્રસેન મહાન હોવા છતાં પણ કંસે તેને જીતી લીધો. પૂર્વના વૈરથી પિતાને બાંધીને કાષ્ટના પાંજરે નાખ્યો (પૂર્યો). તેવી રીતે સુભદ્ર વણિકને કૃતજ્ઞપણાના કારણે કંસે શૌર્યપુરથી સુભદ્રવણિકને બોલાવીને મોટી ઋદ્ધિપૂર્વક સન્માન કરીને પિતાના પદે (સ્થાને) સ્થાપન કર્યો. પ્રથમ બચપણમાં મનુષ્યોનું થોડું આપેલું પાણી યાદ કરીને નારિયેર આજીવન અમૃત જેવું મીઠુ પાણી મનુષ્યોને આપે છે... ખરેખર, સજ્જન પુરુષો કરેલો ઉપકાર ભૂલતા નથી. બે પુરુષો પૃથ્વી ધારણ કરે છે અથવા બે પુરુષો વડે પૃથ્વી ધારણ કરાય છે. તે કયા પુરુષો... (૧) ઉપકાર કરવાની જેની બુદ્ધિ છે તે અને કરેલા ઉપકારને જે ભૂલતા નથી તે બીજો. હારી ગયેલો હોવા છતાં પણ ઉગ્રસેન પુત્રથી જીતાયેલો હોવાથી અત્યંત આનંદને ધરે છે. કંસ પણ મથુરાનું રાજ્ય કરતો વિચરે છે અને આ બાજુ વસુદેવ ક્રિડા પર્વતોમાં, વનોમાં, વાવડી, સરોવ૨ આદિમાં ઇચ્છા મુજબ ફરે છે. નગરની સ્ત્રીઓથી જોવા તો ચાર અક્ષર વસુદેવ વસુદેવરૂપ મંત્રની જેમ સ્તુતિ કરાતો અને ધ્યાન કરાતો થયો. એક દિવસ નગરજનોએ આવીને રાજા સમુદ્રવિજયને આ પ્રમાણે કહ્યું : “હે રાજન્ ! તમારા જેવો સ્વામી હોવા છતાં અમે અત્યંત દુ:ખી છીએ.” રાજાએ કહ્યું : “શું દુ:ખ છે ?’’ લોકોએ કહ્યું : “હે દેવ ! તમારો ભાઈ દેવરુપ જેવો વસુદેવ કામદેવના સ્વરૂપથી લોકોને આશ્ચર્ય પમાડે છે. નગરની નારીઓ જેને જતાં જોઈને ઘરોને શૂન્ય મૂકીને પાછળ દોડે છે. વળી નગરમાં ફરતાં વસુદેવને પાછો વાળો. જેથી અમે સુખપૂર્વક રહી શકીએ.” રાજા સમુદ્રવિજયે તે સર્વ લોકોને પ્રીતિપૂર્વક સાંત્વન (આશ્વાસન) આપીને વસુદેવને બોલાવીને આ પ્રમાણે આદેશ કર્યો. “હે વત્સ ! નગરમાં સ્વેચ્છાપૂર્વક ફરતાં તું દુર્બલ થયો છે. આથી તું મહેલમાં રહીને કલાનો અભ્યાસ કર. તે પણ રાજાના વચનને સ્વીકારીને મહેલમાં જ રહીને મિત્રોની સાથે ખેલે છે.’’ હવે એક વખત વિલેપન કરનારી અંતઃપુરથી આવતી કોઈ એક દાસીને વસુદેવે પૂછ્યું : “હે સુંદરી ! તારા હાથમાં શું છે ?”” દાસીએ કહ્યું : ‘‘ચંદન છે ? કોને મોકલ્યું છે ?' શિવાદેવી રાણીએ પ્રિય એવા સુભદ્રવિજય માટે મોકલ્યું છે. વસુદેવે લીલામાત્રમાં તેના હાથમાંથી ચંદનને લઈને પોતાના શરીર પર જાતે વિલેપન કર્યું. તેથી ક્રોધે ભરાયેલી દાસીએ વસુદેવને આ પ્રમાણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy