SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૨ મોકલેલી હજારો પ્રકારની ભેટો આવી. તેવી રીતે સૂર્યપુરથી કુન્તીના પિતાના ઘરેથી કોરક પણ ભેટ લઈને આવ્યો. કૃત્યનિષ્ણાત એવા પાડુરાજાએ ગૌરવયુક્ત વિશેષતા વડે તેનો સત્કાર કરીને ક્ષેમકુશળ પૂક્યા. ત્યારપછી તેણે કુન્તીને પ્રણામ કર્યા એટલે અત્યંત વાત્સલ્યથી કુન્તીએ કોરકને કહ્યું કે, સાસરામાંથી એક પણ દિવસ હું પિતાના ઘેર મૂકાઈ નથી તો અત્યારે બંધુવર્ગની કુશળતા તું મને કહે અને બંધુઓના સંતાનની વૃદ્ધિ વડે મને આનંદિત કર. એ પ્રમાણે પૂછાયેલા હર્ષિત થયેલા કોરકે કહ્યું : તે આ પ્રમાણે “હે દેવ ! તમે સાંભળો.” રાજા અંધકવૃષ્ણિએ સમુદ્રવિજય પુત્રને રાજ્ય પર બેસાડીને જાતે સંયમ ગ્રહણ કર્યું અને તેવી રીતે ભોજવૃષ્ણિનો પુત્ર ઉગ્રસેન મથુરાનું રાજ્ય કરે છે તથા સમુદ્રવિજય સ્વેચ્છાપૂર્વક રાજ્ય કરતે છતે નાનો ભાઈ વસુદેવ પૂર્વ ઉપાર્જિત સૌભાગ્યથી સ્વેચ્છાપૂર્વક નગરમાં ફરે છે. પરંતુ તેના સૌભાગ્યથી નગરની નારીઓ સર્વકાર્યો છોડીને વસુદેવને અનુસરે છે (પાછળ ફરે છે). એક દિવસ ત્યાં રહેલા સુભદ્ર નામના વણિકે મહાઉદ્ધત પોતાના પુત્ર કંસને વસુદેવને આપ્યો. વસુદેવે પણ કંસની સાથે સર્વ કલાઓ શીખી લીધી તથા તેની સાથે નગરમાં સ્વચ્છંદ રીતે ફરવા લાગ્યો. આ બાજુ રાજગૃહી નગરમાં ત્રણ ખંડનો માલિક જરાસંઘ રાજા રાજ્ય કરે છે. તે રાજાએ એક દિવસ એકાએક દૂત મારફત અમારા સ્વામિને કહેવડાવ્યું, તે સમુદ્રવિજય ! તું સિંહપુરના રાજા સિંહરથને જીવિત પકડીને તે પાપીને બાંધીને અહીંયા લાવ. કારણ કે તે મારી આજ્ઞા માનતો નથી. સિંહરથને લાવ્યા પછી હું તને જીવયશા નામની પુત્રીને આપીશ તથા દહેજ (કરિયાવર)માં તને ઇચ્છિત એક નગર આપીશ. આ પ્રકારના દૂતના વચનો સાંભળીને હર્ષિત થયેલો સમુદ્રવિજય તે દૂતનું સન્માન કરીને ઘણા સુવર્ણાદિથી સારી રીતે સત્કાર કરીને પૂજીને) અને વિદાય આપીને જાતે જ સિંહરાજાની ઉપર જ્યાં ચડાઈ કરવા નીકળે છે, ત્યાં નાનો ભાઈ વસુદેવ બોલ્યો : “હે રાજેન્દ્ર ! સિંહરાજા ઉપર તમારે ચડાઈ કરવી યોગ્ય નથી, હું તમારો સેવક છું. જાતે ત્યાં જઈને તેને બાંધીને હું લાવું છું (લાવીશ).” પછી બળવાન સૈનિકોની સાથે પરિવરેલો વસુદેવ સારથી એવા કંસની સાથે ચાલ્યો. ત્યાં જઈને સિંહરાજાની સાથે યુદ્ધ કરીને સિંહરાજાને બાંધીને. અને જય મેળવીને ક્ષેમકુશળ પોતાના નગરે આવ્યો. રાજા સમુદ્રવિજયે નગરમાં મહામહોત્સવ કરાવ્યો. વસુદેવે સિંહ રાજાને સમુદ્રવિજય રાજાને સોંપ્યો. હવે સમુદ્રવિજયને નાનાભાઈની સાથે રાજગૃહ, તરફ જતાં જોઈને અષ્ટાંગ નિમિત્તના જાણકાર કોષ્ટકી નામના નૈમિત્તિકે ખાનગીમાં આ પ્રમાણે બતાવ્યું (કહ્યું). આ જરાસંઘની પુત્રી પિતાના અને સસરાના કુળનો ક્ષય કરનારી છે. આથી આપને એની સાથે લગ્ન ન કરવા, પરંતુ આને કંસને આપવી. પછી નૈમિત્તિકને છૂટો કર્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy