SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૨૦ સર્ગ - ૧ એ પ્રમાણે વિવાહ કાર્ય કરીને ધરણ પાડુનો સત્કાર મેળવીને પોતાના સ્થાને ગયો. તે પછી દેવક રાજાની પુત્રી કુમુદવતીને વિદૂર સાથે ગાંગેયે પરણાવી. વળી પણ પાડુરાજાએ બીજી પતી તરીકે મદ્રરાજાની માદ્રી નામની પુત્રીને પ્રાપ્ત કરી (પરણ્યો). કામદેવ જેમ રતિ અને પ્રીતિની સાથે સુખ ભોગવે છે તેમ પાડુ રાજા કુન્તી અને માદ્રી સાથે વૈષયિક સુખ ભોગવવા લાગ્યો. એ પ્રમાણે રાજ્યનું પાલન કરતો હોવા છતાં પણ ભીષ્મ અને ધૃતરાષ્ટ્ર ઉપર અત્યંત ભક્તિભાવવાળો બની રહ્યો અને તે બંનેનો તેના પર પણ પ્રતિભાવ રહ્યો છે. એ પ્રમાણે તે ત્રણે ભાઈઓ સુખને અનુભવતાં અનુભવતાં વસંતઋતુ આવી ગઈ અને ઉદ્યાનમાં જઈને સ્વેચ્છાપૂર્વક ક્રિડા કરવા લાગ્યા. તે આ પ્રમાણે- કામદેવના આદેશને વશ થયેલો તે ક્યારેક વનોમાં પ્રેયસીઓની સાથે યથેચ્છ ફરે છે (વિહરે છે)... (૧) માળીએ લાવેલા અનેક પ્રકારના પુષ્પગુચ્છ વડે દુભાયેલા મનવાળી તે સ્ત્રીઓને પ્રિય બનાવી... (માળીએ લાવેલા પુષ્પગુચ્છથી રીસાયેલી સ્ત્રીઓને ખુશ કરી)... (૨) વનમાં ફરવાથી થાકી ગયેલા (શ્રમિત થયેલા) જલક્રીડાની ઇચ્છાવાળા તે પ્રિયાની સાથે સુંદર ક્રિડા કરવાની વાવડીઓમાં તરે છે (રમે છે)... (૩) ક્યારેક નિજ આવાસે, ક્યારેક વનોમાં, ક્યારેક વાવડીઓમાં, ક્યારેક ક્રિડા કરવાના પર્વતમાં કામદેવના બાણોને સહન કરનારા તેઓ જ સ્ત્રીઓની સાથે છએ ઋતુના ચક્રને એ પ્રમાણે પસાર કરે છે.... (૪) આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિના સામ્રાજ્ય પંડિત દેવવિજય ગણિ રચિત ગદ્યબદ્ધ સુંદર પાણ્ડવ ચરિત્રમાં પાણ્ડવના પૂર્વજોના વર્ણનરૂપ નામનો પ્રથમ સર્ગ પૂર્ણ થયો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy