SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧ [૧૯]. - પાંડવ ચરિત્રમ્ આ પ્રમાણે પૂર્વદિશા સોના જેવી પીળી થઈ છે. ત્યારે સોનાના દિવડા તેલ વિહોણા શોભતા નથી. તેમ ગુણ વિનાના પુરુષો શોભતા નથી. ચાંદની વિનાનો ચંદ્ર, ક્ષીણ તેજવાળા તારા અને ગામડાની સભામાં પંડિતની જેમ ઉદ્યમ વગરના રાજાઓ શોભતા નથી. આવા વચનો સાંભળીને પાડુરાજા પ્રભાતનું કાર્ય કરીને રાજ્યકાર્ય કરવામાં આવધાન (તત્પર) બન્યા. ઋતુસ્નાન કરેલી પ્રૌઢ કન્યા એવી તે કુન્તી પણ તેજ દિવસે નસીબજોગ પાડુના સંયોગથી ગર્ભવતી બની. ગર્ભ રહ્યો છે, એવું જાણીને ધાવમાતાએ કોઈપણ બહાનું કાઢીને કુન્તીને છૂપી રાખી. ઈન્દ્રના દોહદવાળો તે ગર્ભ ધારણ કરવાથી તે કુન્તી પરાક્રમ પ્રગટ થવાથી ઈન્દ્રના બળને પણ તૃણ સમાન માને છે અને તેવી રીતે ઉદારતા પણ જાગી. સર્વસ્વ દાન કરવા છતાં પણ મેં શું આપ્યું છે? એ પ્રમાણે ચિંતવે છે અર્થાત્ કશું જ નથી આપ્યું. તે ગર્ભ રહે છતે તેણીને સર્વ શસ્ત્રો પ્રિય લાગ્યા, એવા પ્રકારના ભાવોને ભાવતી તેણીએ નવ માસ થયે છતે શુભદિને, શુભલગ્ને પુત્રરતને જન્મ આપ્યો. પૂર્વદિશાના સૂર્યમંડલ જેમ દિશાઓ પ્રકાશમય થઈ, તે પુત્રરતને જોઈને હર્ષ અને વિષાદથી દુઃખી (સંકુચિત)મનવાળી તે ચિંતવે છે. તેટલામાં ધાત્રી બોલી : “હે પુત્રી ! આ લોકવિરૂદ્ધ (વિરોધી) કાર્યથી જન્મેલો હોવાથી તેનો ત્યાગ કરવો જોઈએ. પછી તે કુન્તીએ પણ રોતી રોતી મણિકુંડલથી શોભતા તે પુત્રને મણિથી મંડિત (યુક્ત) પેટીમાં નાખીને તે પેટી ગંગા નદીમાં તરતી મૂકી દીધી. તે પુત્રનો ત્યાગ કરતાં અત્યંત શોકાકુળ (દુઃખી) બની થઈ. કારણ કે, આવા પ્રકારના પુત્રરતનો ત્યાગ કરતાં (વિયોગ થતાં) કોણ ખેદ ન પામે?” હવે એક દિવસ સુભદ્રારાણીએ ધાત્રીને પૂછ્યું : હે સખી ! તારી પુત્રી કુન્તી હમણાં જાણે બીજા પ્રકારનો આકાર ધરે છે. તેનું શું કારણ ? આથી ધાત્રીએ તેની આગળ અથથી ઇતિ સુધીનો સર્વ વૃત્તાંત કહ્યો. રાણીએ પણ તે બધી જ વાત રાજાને કહી. રાજાએ પણ તેને આ પ્રમાણે કહ્યું : હે પ્રિયે ! હમણાં દીકરીના બીજા વર માટે વાત ન કરો.” એ પ્રમાણે કહીને અંધકવૃષ્ણિએ પોતાના ધરણ નામના પુત્રને શિક્ષાને આપીને કુન્તીની સાથે હસ્તિનાપુર મોકલ્યો. ધરણ પણ અસ્મલિત ગતિએ હસ્તિનાપુરના પરિસરમાં પહોંચ્યો, ત્યારે ગાંગેય સામે આવ્યો. બંને એકબીજા મળ્યા. ગાંગેયે પુરના પરિસરમાં રહેલા રમ્ય સ્થાને પોતાનો આવાસ તેને આપ્યો. પછી રાગિણી એવી કુન્તીને અનુરાગવાળા પાણ્ડની સાથે ધરણે પરણાવી. પાણિગ્રહણ (લગ્ન) થયા પછી પાર્ટુને જે આપ્યું તે કહે છે. તે આ પ્રમાણે- સો હાથી, એક હજાર ઘોડા, કરમોચન સમયે વર એવા પામ્હને તેણે (ધરણે) આપ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy