SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧ | [૧૭] પાંડવ ચરિત્રમ્ એ પ્રમાણે ક્યાંય ચેનને ન પામતાં કુન્તીના વિરહના અતિ દુઃખના પ્રતિકારની ચિકિત્સાની ઇચ્છાવાળો બગીચામાં ફરતાં ફરતાં એક ખદિર વૃક્ષને જોયું. તેના થડ પર લોખંડની ખીલીઓથી લગાયેલા (પીડાતો) કોઈક પુરુષને પાડુએ જોયો. તેનો આકાર જોઈને તેના રૂપમાં મોહ પામેલા પાડુ રાજાએ તેની લોખંડની ખીલીઓ ખેંચી નાખી. પછી ચંદનાદિથી ચેતનાને જાગૃત કરી. તે પછી તે પુરુષને પોતાની વીંટીમાં રહેલા મણિના અભિષેકના પાણીથી તેના ઘાની શ્રેણીને સીંચી સીંચીને જાતે જ રુઝવીને રાજા બોલ્યો : “હે ભદ્ર ! તું કોણ છે? કેવી રીતે તે આવી સ્થિતિને પ્રાપ્ત કરી, તે સર્વ મારી આગળ સત્ય કહે.” ત્યારે તે વિદ્યાધરે કહ્યું : “હે રાજેન્દ્ર ! મારૂં ચરિત્ર સાંભળો.” વૈતાઢ્ય ગિરિની શોભારૂપ હેમપુર નામનું નગર છે. તેનો સ્વામી વિશાલાક્ષ નામનો હું વિદ્યાધર છું. હું સ્વેચ્છાપૂર્વક ફરતાં આ ઉદ્યાનમાં આવી ગયો. ત્યાં જ્યાં વનની શોભાને જોતો અહીં તહીં ભમતો હતો, તેટલામાં કપટ (છલને પામીને વૈરીએ હાથીઓને બાંધવાવાળા બંધકો જેમ હાથીણીમાં લુબ્ધ હાથીને બાંધે છે, તેમ મને બાંધ્યો છે. વળી વિદ્યાધરે કહ્યું : “હે પાડુ રાજા ! હું તમારા ઉપકારથી ખુશ થયો છું. જે ગમે તે માંગો. ત્યારે પાડુએ કહ્યું, તું કુશળ રીતે વિદ્યાધર રાજાપણું પાળીશ.” તેથી બીજું મને શું પ્રિય હોય ? ત્યારે વિદ્યાધરે કહ્યું : “તું પણ મનમાં દુઃખી દેખાય છે. આથી મારી આગળ તારા મનની વાત કહે. કારણ કે મિત્રોને જણાવેલ મનોરથો ફળે જ છે.” પછી પાડુએ સાચો સ્વઅભિપ્રાય કહેતા વિદ્યાધરે ઇચ્છિત વસ્તુને આપનારી મુદ્રિકા (વીંટી) આપીને આ પ્રમાણે કહ્યું. સામુદ્રિકા વિંટી સ્મૃતિમાં લાવવા માત્રથી સર્વ ઇચ્છિત આપશે. દેવે આપેલી આ વિંટી સર્વ કાર્ય કરવામાં સમર્થ છે. જેવી રીતે અદશ્ય કરવું, વશ કરવું, ઘાને રુઝવવું અને વિષનો નિગ્રહ કરવો તે વિંટીનું પ્રાથમિક ફળ છે (પ્રભાવ) છે. ઇત્યાદિ અનેક મહિમા કહીને વિંટી આપીને વિદ્યાધરેન્દ્ર પોતાના સ્થાને ગયો. પાડુ રાજાએ પણ તે મુદ્રિકાને પોતાની આંગળીમાં પહેરી પછી પોતાના ઘેર આવીને રાત્રિને વિષે (રાત્રિ થયે છતે વિંટીને કહ્યું: “હે મુદ્રિકે તું ઈચ્છિતને આપનારી કલ્પલત્તા સમી છો. આથી પ્રાર્થના કરું કે કુન્તીની પાસે મને લઈ જા. દિવ્ય પ્રભાવથી યુક્ત વિંટી પાડુને ત્યાં લાવીને મૂક્યો કે જયાં (જે) વનમાં કુન્તી રહેલી છે. કારણ કે મણિમંત્ર ઔષધિઓનો અચિંત્ય પ્રભાવ છે.” હવે હું કુન્તીનું સ્વરૂપ કહું , તે પ્રમાણે કુન્તી પોતાની ધાત્રીની સાથે વાત કરે છે. તે માત ! મારી આવી દુઃખી અવસ્થા વડે દિવસ તો કેમ કરીને પસાર થયો, પરંતુ રાત્રિ કેવી રીતે જશે? આ ચંદનનું વિલેપન અને આ કમળો પણ મને શુષ્ક લાગે છે અને મારા શરીરને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy