SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ [૧૬] સર્ગ - ૧ તે માટે કેટલાક પોતાના પુરુષને કોરકની સાથે શૌર્યપુરે મોકલ્યા. કોરકે પણ જઈને પોતાના રાજાને નમસ્કાર કરીને તેણે પહેલાં કહેલા સ્વરૂપને કહીને પટ બતાવ્યો. તે પટમાં રહેલા પાડુના રૂપને જોઈને શૌર્યપુરનો રાજા અંધકવૃષ્ણિ ચિંતવે છે. આ વસુંધરા (પૃથ્વી) ને ધન્ય છે, જે ધરામાં આવા પુરુષો દેખાય છે. સર્વ કલાના સમૂહરૂપ આ પાત્ર નયનને માટે એક આનંદનો ઉત્સવ છે. રોહિણી સાથે ચંદ્રની જેમ કુન્તીની સાથે આ વર યોગ્ય છે. પછી ફરી કોરક બોલ્યો : “હે રાજેન્દ્ર ! તે ગાંગેયે આ પોતાનો માણસ મોકલ્યો છે. હવે જે કાંઈ કરવા યોગ્ય હોય તે બધું આને તમે જાતે જ આદેશ કરો.” રાજાએ કહ્યું: “સવારે કહીશ.” વિસર્જન કરેલો કોરક પોતાના ઘેર ગયો. તે માણસ પણ કોરકના ઘરે ગયો. આ સમાચાર રાજાની પાસે રહેલી કુન્તીએ સાંભળ્યા, સાંભળીને તેણી પણ કન્યાના અંતઃપુરમાં આવી. પાડુ રાજાના શુભ્ર ગુણો ધાત્રી આગળ કુન્તીએ કહ્યા : “હે માત ! વિનયથી, પરાક્રમથી, રૂપથી, ન્યાયથી પાડુ સરીખો કોઈપણ મને દેખાતો નથી. પરંતુ જાણી શકાતું નથી કે મારું ભાગ્ય કેવા પ્રકારનું થશે.” વિધાતા પ્રતિકૂળ થાય તો બધા કાર્યો ઉલટા થઈ જાય. કારણ કે જો ઇચ્છિત પ્રાપ્ત ન થાય. તેમાં સ્વામીનો દોષ નથી. તે મારા કર્મનો દોષ છે. દિવસ હોવા છતાં પણ જો ઘુવડ જોઈ શકતો નથી, તેમાં સૂર્યનો દોષ કેવી રીતે ? સવારના સમયે કોરકને બોલાવીને રાજાએ કહ્યું : “હે કોરક ! તું આ ગાંગેયના સેવકને આ પ્રમાણે કહેજે. હું મારી પુત્રી કુન્તી પાડુરોગવાળો હોવાથી પાડુને આપીશ નહિ.” તેવા રાજાના વચનને કોરકે ગાંગેયના સેવકને કહ્યા.” સેવકે પણ હસ્તિનાપુર આવીને એકાંતમાં ગાંગેયને લઈ જઈને અંધકવૃષ્ણિ રાજાએ કહેલું બધું કહ્યું. તે સાંભળી ગાંગેય મૂક જેવો બની ગયો. હવે પાડુ રાજા તે સેવકને પૂછે છે, હે ભદ્ર ! તેણી મારા પર રાગવાળી છે કે નહિ. તેણે કહ્યું, જ્યારે કોરકે તમારું રાજા આગળ વર્ણન કર્યું અથવા કહ્યું ત્યારે તે કુન્તી પિતાની પાસે ઊભી રહેલી રોમરાજી ખીલી ગઈ છે તેવા શરીરવાળી આશ્ચર્યથી જેના નેત્રો વિસ્ફારિત થયા છે, તેવી તમારા ગુણોને સાંભળવા માટે તત્પર બનેલી એને મેં જોઈ. બીજું બધું દેવ (ભગવાન) જાણે છે. એમ કહીને મૌન રહ્યો. પાડુએ તે સેવકને સુવર્ણ આપીને સંતોષ પમાડીને એના ઘેર જવા રવાના કર્યો (છોડી દીધો). હવે અત્યંત કામથી પીડાયેલો પાડુ રાજા કોઈપણ જગ્યાએ ચેન, આનંદ યા સુખને પામતો નથી. જેવી રીતે ઘડીકમાં રાજા ઘરમાં રહે છે તો ઘડીકમાં રેંટની જેમ ઘરમાં ફરે છે. ઘડીકમાં પાંદડાના પલંગમાં તો ઘડીકમાં ફૂલની શયામાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy