SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ સર્ગ - ૧ પાંડવ ચરિત્રમ્ અંધકવૃષ્ણિ પુત્રોને શૌર્યપુરનું રાજ્ય આપીને જાતે દીક્ષા લઈને શિવરૂપ લક્ષ્મીને વર્યા. સુવીર ભોજવૃષ્ણિને મથુરાનું નગર આપીને સિધુ દેશમાં ગયો. ત્યાં પ્રખ્યાત સોવીર નામનું નગર વસાવીને સુખપૂર્વક રાજ્ય કરતો ત્યાં રહ્યો છે. મથુરાનું રાજ્ય ભોગવતાં ભોજવૃષ્ણિને મહાતેજસ્વી ઉગ્રસેન નામનો પુત્ર થયો. શૌર્યપુરના રાજા અંધકવૃષ્ણિની સુભદ્રા નામની પટરાણીને દશ દિકપાલો સમાન દશ પુત્રો થયા. તેઓના નામો આ પ્રમાણે છે (૧) સમુદ્રવિજય, અક્ષોભ, સ્વિમિત, સાગર, હિમવાન, અચલ, ધરણ, પુરણ, અભિચંદ્ર અને વસુદેવ નામના આ દશ દશાર્ક તરીકે પ્રસિદ્ધ થયા છે. તે પુત્રોની ઉપર બે પુત્રીઓ જન્મી. એકનું નામ કુન્તી તેનું બીજું નામ પૃથા અને બીજી પુત્રીનું નામ નામ માદ્રી, એ પ્રમાણે પિતાએ નામ પાડ્યું. પ્રથમ પુત્રી કુન્તી ક્રમે કરીને યૌવન વયને પામી. પિતાને વરને માટે ચિંતા થઈ, પછી અંધકવૃષ્ણિએ મોટા પુત્ર સમુદ્રવિજયને આ પ્રમાણે કહ્યું : “હે પુત્ર ! આ મારી પુત્રીને યોગ્ય કોણ વર થશે, એ પ્રમાણે મારા મનમાં મોટી ચિંતા થાય છે.” ત્યારે સમુદ્રવિજયે કહ્યું : “હે તાત ! બહેન કુન્તીના રૂપને પટ પર ચિત્રાવીને સમગ્ર દેશમાં વરની પરીક્ષામાં વિચક્ષણ કોઈ પુરુષને મોકલો. જેથી કરીને રૂપથી શોભિત શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલ એવા યોગ્ય વરને તે શોધશે. પરંતુ સ્વયંવર મંડપ કરવાથી રાજાઓ ઇર્ષાને કારણે કન્યા માટે કલહ કરશે.” - એ પ્રમાણે યેષ્ઠ પુત્રના કહેવાથી કુન્તીના રૂપને પટમાં ચિતરાવીને કોરક નામના પોતાના સેવકને આ પ્રમાણે આદેશ કર્યો. હે કોરક ! આ ચિત્રપટને લઈને દૂર દેશમાં જઈને પૃથ્વી પર ફરીને કુન્તીને યોગ્ય જે નર હોય તે જલ્દી આવીને મને કહે એ પ્રમાણે કહીને રાજાએ મોકલેલો હું પૃથ્વી પર ફરતો ફરતો અહીંયા આવ્યો છું. હે ભીષ્મ ! હે રાજેન્દ્ર ! આ શૌર્યપુરના રાજા અંધકવૃષ્ણિ રાજાની પુત્રી કુન્તીનું રૂપ છે, તે તમે જાણો. જેમ આ કુમાર પાડુ રાજાના રૂપથી કામદેવ નાગને હરનારા છે. તેવી રીતે કુન્તી પણ કામદેવની સ્ત્રીના રૂપનું અનુકરણ કરનારી છે. (કામદેવની સ્ત્રી રતિના જેવું સૌદર્ય છે.) માલતી ફૂલ અને ભ્રમરની જેમ એ બંનેનો યોગ સાધુ (સજ્જન) પુરુષને પ્રશંસાને પાત્ર થાઓ (થશે), સાથે બીજું પણ કંઈક સાંભળ. કુન્તીની સહોદરા માદ્રી નામની બીજી નાની બહેન છે, તે ચેદી દેશના રાજા દમઘોષને આપી છે. તે પણ તેને પરણશે. પરંતુ કુન્તીનું પ્રથમ લગ્ન થાય તે રીતે કરવું. કારણ કે કુન્તી મોટી છે. તેથી મોટી બહેન બાકી હોય ત્યાં સુધી નાની બહેનનું લગ્ન કરવું યોગ્ય ન ગણાય. એ પ્રમાણેની તેની પ્રાર્થના ગાંગેયે સ્વીકારી. પાડુના રૂપને પટ પર ચીતરાવીને કોરકના હાથમાં પટને આપીને કાર્ય બરાબર થઈ જાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy