SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧ પાંડવ ચિરત્રમ્ ૧૪ રાજાઓ સીમાનું ઉલ્લંઘન કરતા નથી. તે કુમારોને શસ્ત્રમાં અને શાસ્ત્રમાં ભીષ્મ ગુરુ (તરીકે) થયા. ત્રણે લોકમાં મનુષ્યલોકની જેમ પાણ્ડ મધ્યમ હોવા છતાં પણ વિશેષ હતા. તેથી ધૃતરાષ્ટ્ર મોટા હોવા છતાં પણ નાનાભાઈ પાણ્ડને માન આપતા હતા, કેમ કે તે ગુણમાં મોટા હતા. એક દિવસ ભીષ્મે ધૃતરાષ્ટ્રને કહ્યું : “હે વત્સ ! આ તને રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થઈ છે (મળી છે.) આથી આ રાજ્યને ગ્રહણ કર.” ધૃતરાષ્ટ્ર બોલ્યો : “હે કાકા ! હું રાજ્યને યોગ્ય નથી, પરંતુ રાજ્યલક્ષ્મીને યોગ્ય પાણ્ડ છે. તેથી રાજ્યલક્ષ્મી પાડુને આપો. વળી પણ અંગનો (દેહનો) સારી રીતે આશ્રય કરીને આ પૃથ્વીતલ પર જાણે કામદેવ અવતર્યો ન હોય, જેનું (પાણ્ડનું) આવું અદ્ભુત રૂપ દેખીને સંપૂર્ણ લોક પણ આશ્ચર્ય પામે છે. પછી ગાંગેય વગેરે બંધુઓએ પાણ્ડને રાજ્ય પર બેસાડ્યો. તેણે પણ અત્યંત બાહુબલના પ્રભાવથી બધાય રાજાઓને વશ કરી લીધા.’’ એક દિવસ ગંધાર દેશના શકુની નામના રાજાએ ભીષ્મ પાસે જઈને નમસ્કા૨પૂર્વક કહ્યું : ‘હે ગાંગેય! કુલદેવીના કહેવાથી મારી ગાંધારી વગેરે આઠે બહેનો ધૃતરાષ્ટ્રને માટે સ્વયંવરા થઈ છે, તો આ મારી બહેનોના સર્વ ગુણ સંપન્ન અંબિકાના પુત્ર ધૃતરાષ્ટ્ર સાથે લગ્ન કરાવો, એ પ્રમાણે વારંવાર પ્રાર્થના કરવાથી ગાંગેયે એ આઠે બહેનોના ધૃતરાષ્ટ્ર સાથે લગ્ન કરાવ્યા.', અર્થાત્ ધૃતરાષ્ટ્રને પતિરૂપે કર્યા. અત્યંત તેજસ્વી પાણ્ડની કોણ સ્ત્રી થશે ? એ પ્રમાણે ભીષ્મને મનમાં ચિંતા ઉપજી (થવા લાગી). એક દિવસ પાણ્ડ સાથે ભીષ્મે રાજમાર્ગ પર હાથમાં ચિત્રપટ લઈને ઉભેલા કોઈ નરને જોયો. તે પટમાં નારીરૂપને જોઈને પાણ્ડુએ ચિંતવ્યુ કે.. આના જેવી રૂપવાળી સ્ત્રી મનુષ્યોમાં કે ઇન્દ્રિયાણીઓમાં કોઈ નથી તો શું આ કામદેવની સ્ત્રી છે ? અથવા શું લક્ષ્મી છે ? અથવા શું આ રોહિણી છે ? તેનું રૂપ જોઈને તેના ઉપર મોહિત થયો. પછી તે મુસાફરને ઘરે લાવીને ગાંગેયે પૂછ્યું : “હે પાન્થ ! આ પટમાં ચિતરેલી શું દેવી છે, કિન્નરી છે કે વિદ્યાધરી અથવા શું કોઈ રાજકન્યા છે ? જેનું ચિત્ર આ પટમાં ચિતરેલું છે.” તે સાંભળીને પાન્ચ (મુસાફ૨) બોલ્યો : “મથુરા નામની નગરી છે. જેને તરંગરૂપ બાહુ વડે આલિંગતી ન હોય તેવી યમુના નદી છે. તે નગરીમાં યદુ નામનો રાજા થયો હતો. તેના નામથી યાદવ રાજાઓનો વંશ થયો. શૂર નામનો તેનો પુત્ર હતો, તેને બે પુત્રો હતા. તેના નામ શૌરી અને સુવીર હતા. તે બંનેને યથાક્રમ રાજ્ય અને યુવરાજ પદે સ્થાપીને તપને અંગીકાર કરીને શૂર રાજા સ્વર્ગે ગયો.' શૌરી સુવીરને મથુરાનું રાજ્ય આપીને સ્વેચ્છાપૂર્વક કુશાવર્ત દેશે ચાલી ગયા. તે દેશમાં નવીન શૌર્યપુ૨ નામનું નગર વસાવ્યું. તે શૌરી (શૌર્યપુર)નું રાજ્ય કરતાં અંધકવૃષ્ણિ વગેરે ઘણા પુત્રો થયા. સુવીરને પણ મથુરાનું રાજ્ય કરતાં ભોજવૃષ્ણિ આદિ બહુ પુત્રો થયા. શૌરી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy