SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ [૧૨] સર્ગ - ૧ સ્વયંવર મંડપમાં આવેલા રાજાઓના સમૂહને સમુદ્રની જેમ હલાવી નાખ્યા. તેની પાસેથી કન્યારૂપી રતોને ઝુંટવીને રથમાં બેસાડીને અત્યંત પરાક્રમી ભિષ્મ માર્ગમાં ચાલવા લાગ્યો માર્ગમાં રથમાં બેઠેલી તે કન્યાઓને વિહ્વળ (ભયવાળી) જોઈને ભીષ્મ આ પ્રમાણે બોલ્યો : “હે વત્સ! હું શાન્તનુનો પુત્ર અભીષ્મ ભીષ્મ છું. તમારું કાંઈપણ અનિષ્ટ નહિ કરું, પરંતુ સારૂં કરીશ.. કારણ કે હસ્તિનાપુરના રાજા શાન્તનુનો પુત્ર વિચિત્રવીર્ય રાજા છે, તેનો મોટો ભાઈ ગાંગેય એવો હું બ્રહ્મચારી છું. પરંતુ વિચિત્રવીર્યને માટે તમારૂં મેં અપહરણ કર્યું છે. તમે અભૂત એવા હસ્તિનાપુરના સામ્રાજ્યને લાંબો સમય ભોગવો. એટલે કે ત્યાં લાંબા કાળ સુધી રહો.” એ પ્રમાણે તેઓને કહીને ધનુષ્યને વાળેલા એવા ગાંગેયે તે બધા રાજાઓને ઊંચા અવાજે આ પ્રમાણે કહ્યું “હે રાજાઓ ! મોટા ગર્વવાળા પર્વતોના જેવા તમે બધા મારૂં કહ્યું સાંભળો ! હું ભીષ્મ તમારા દેખતાં જ કન્યાને હરૂં છું (લઈ જાઉં છું). જો તમારામાં કોઈપણ બહાદુર શૂરવીર જાગતો હોય તો કોઈપણ શસ્ત્રને હાથમાં લે. તે સાંભળીને ક્રોધિત થયેલા રાજાઓએ શસ્ત્રો લઈને ગાંગેયની સાથે સંગ્રામમાં આવ્યા.” ગાંગેયે પણ તેઓની સાથે યુદ્ધ શરૂ કર્યું. તેઓને જીતીને જયપતાકાને લઈને ગાંગેય સ્વયં કાશીને જીત્યું માને છે. પછી ગાંગેયે કાશી રાજાને સુધા સમાન વચનો કહીને સંતોષ પમાડી વિચિત્રવીર્યાળે કન્યા માંગી, તેણે કન્યાને આપી. આશ્ચર્યચકિત થયેલા નેત્રવાળી તે બાલાઓની સાથે ગાંગેય હસ્તિનાપુર ગયો (પહોંચ્યો અને ત્યાં ત્રણે કાશી પુત્રીઓએ મહામહોત્સવપૂર્વક વિચિત્રવીર્ય સાથે આનંદથી લગ્ન કર્યા. તે ત્રણે વિચિત્રવીર્ય રાજાને મેળવીને સ્વર્ગ સરીખું સુખ અનુભવવા લાગી. કહ્યું છે કે – “૧૬ વર્ષની સ્ત્રી ૨૫ વર્ષનો પુરુષ આ બંનેની ગાઢ પ્રીતિને સ્વર્ગ એમ કહેવાય છે.” એ ત્રણે સ્ત્રીઓ કલ્પવૃક્ષની લત્તાની જેમ તે રાજાની માયારહિત સેવા કરે છે. કહ્યું છે કે – “ઠંડુ ભોજન, જુગારથી પ્રાપ્ત ધન, બાલક વિનાનું ઘર અને માયાવી માણસો વાસ્તવિક સુખ આપનારા નથી.” એ પ્રમાણે રાણીઓ સાથે સુખનો અનુભવ કરતાં અત્યંત વાસનાએ (કામે) સારી રીતે ધર્મ અને અર્થને ગ્રસી લીધા. એટલે કે ભૂલાવી દીધા. જેમ રાહુ, સૂર્ય, ચંદ્રને ગ્રસી લે છે, તેમ કામાસક્ત તે રાજાના બળનો ક્ષય થવા માંડ્યો. સુખને આપનારો કામદેવ ફક્ત દુઃખને આપનારો થયો. ધ્રુજારી (કંપવા), પરસેવો, થાક, મૂછ, ચક્કર, ગ્લાનિ, બલક્ષય અને રાજસ્મા આદિ રોગો અબ્રહ્મના કારણે ઊભા થાય છે. તેથી ગાંગેયે તેવા પ્રકારનું શરીર જોઈને કહ્યું : “હે બાંધવ ! જો તું અશરીરી એવા કામદેવના બાણથી જીતાયો છે, તો તું આવતા એવા શત્રુના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy