SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૧ પાંડવ ચરિત્રમ્ પરમાત્માના ચરણકમળથી પવિત્ર ધયેલી રૈવતાચલની રજ (ધૂળ) જલશુદ્ધ ક૨ના૨ કતકચૂર્ણની જેમ પવિત્ર કરે છે. સર્ગ - - ૧૮ જલ સ્થલ અને આકાશમાં ઉડનારા જે વો અહીંયા (આ પર્વત ૫૨) રહે છે. અથવા પર્વતને સ્પર્શ કરે છે. તેઓ ત્રણ ભવમાં મુક્તિ પામે છે. આ પર્વત પર વૃક્ષો, પત્થરો, ભૂમિ, વાયુ, પાણી અગ્નિના જીવો, ચેતના વિનાના (જડજેવા) રહેલ હોવા છતાં પણ કેટલાક દિવસોમાં તેઓનું પણ કલ્યાણ થાય છે. જેવી રીતે પારસમણિના સ્પર્શથી લોખંડ સોનાપણાને પામે છે. તેવી રીતે આ પર્વતના સ્પર્શથી શરીરધારી ચિદાનંદરૂપ બને છે. (પામે છે.) એ પ્રમાણે રૈવતાચલનું માહાત્મ્ય સમજાવતાં પ્રભુની અંતિમ દેશના સાંભળીને કેટલાકે સંયમવ્રત અંગીકાર કર્યું, કેટલાકે શ્રાવકપણું લીધું, કેટલાક ભદ્રપરિણામી થયા. એવા પ્રકારની અંતિમ દેશના આપી. પછી દેશના પૂર્ણ થતાં શ્રી નેમિજિનસ્વામિએ પર્વતના શિખર ઉપર પાંચસોને છત્રીસ (૫૩૬) સાધુઓ સાથે એક મહિનાનું પાદપોગમન અનશન સ્વીકાર્યું. પછી શ્રાવણ (ગુજરાતી અષાઢ) કૃષ્ણની (વદની) અષ્ટમી દિને ચિત્રાનક્ષત્રમાં ચંદ્રનો યોગ થતાં તે સાધુઓથી પરિવરેલા સકલ કર્મક્ષય કરીને સ્વામિ નેમિ જિનેશ્વર મોક્ષે ગયા. કુમાર અવસ્થામાં ૩૦૦ (ત્રણસો) વર્ષ ગૃહવાસમાં રહીને, ૫૪ (ચોપન) દિવસ છદ્મસ્થપણામાં ભૂતલપર વિચરીને, ચોપન દિવસ ઓછા ૭૦૦ (સાતસો) વર્ષ કેવલીપણામાં ભવ્યજનોને પ્રતિબોધ આપીને નેમિજિન આવ્યાબાધ (નિર્વાણપદ) મોક્ષને પામ્યા. ત્યારે જ કૃષ્ણની આઠરાણીઓ અને બીજાપણ સાધુ-સાધ્વી રાજીમતિ વગેરે ઘણા શિવ એટલે મોક્ષપદને પામ્યા. પ્રભુની માતા શિવાદેવી, આદિ પિતા સમુદ્રવિજયયાદિ, બીજાપણ દશાર્હો સ્વામિની સાથે મૃત્યુ પામી દેવ થઇને આવ્યા. ત્યારે ઇન્દ્રની આજ્ઞાથી ધનદે (કુબેરે) શિબિકા બનાવી. પછી બધાય દેવેન્દ્રોએ વિધિપૂર્વક જિનેશ્વરની પૂજા કરી. પ્રભુના શરીરને વસ્ત્ર આભૂષણથી શણગારીને તે શિબિકામાં મૂક્યું. તે પછી સુરેન્દ્રોએ ઉપાડીને તે વનમાં જ નૈઋત્ય દિશામાં રતની શિલા ઉપર ગોશીર્ષ ચંદનની ચિતા બનાવી તે ચિત્તામાં પ્રભુનો દેહ સ્થાપીને સુરોની સાથે ઇન્દ્રે અગ્નિસંસ્કાર કર્યો. તે પછી અર્ધ બળેલી પ્રભુની ચિતાને દેવોએ ક્ષીરોદધિના પાણીથી બૂઝવીને યથાયોગ્ય પ્રભુના અસ્થિ આદિ ગ્રહણ કર્યા. તે અગ્નિના સંસ્કારથી પવિત્ર થયેલી રત્નશિલાપર સૌધર્મેન્દ્ર શ્રી નેમિનાથ (પ્રભુ)નું મંદિર બનાવ્યું. તે જિનમંદિરમાં શ્રી નેમિનાથની રત્નની પ્રતિમા સ્થાપીને તે પ્રતિમાને સારી રીતે નમસ્કાર કરીને અશ્રુવાળા નેત્રો સાથે દેવ, દેવેન્દ્ર, નરેન્દ્રો (રાજાઓ) આદિ પોતપોતાને સ્થાને ગયા. વિદ્યાધર મુનિના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy