SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧ પાંડવ ચરિત્રમ્ ૧૦ દિવસ હું કાલિન્દી (જમના)ના કાંઠે રહેલા વૃક્ષ નીચે વિશ્રામ માટે આવ્યો હતો, ત્યારે કોઈએ છોડી દીધેલી તાજી જન્મેલી એક બાલિકા જોઈ. હું તે બાલિકાને લેવા માટે જ્યાં ચાલ્યો, ત્યાં વિચાર આવ્યો કે આ ખરાબ જાતિ કે સારી જાતિ હશે, એમ વિચારી ઘર તરફ પાછો ફર્યો, તેટલામાં આકાશવાણી થઈ.’’ રતપુરે રતાંગદ નામનો રાજા છે. તેની રાણી રતવતી નામની છે. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલી આ પુત્રી પિતાના વૈરી ખેચરે હરણ કરીને યમુના કાંઠે મૂકી છે. વળી આકાશમાં આ પ્રમાણે વાણી થઈ. એના પ્રેમથી વિંધાયેલો હસ્તિનાપુરનો રાજા શાન્તનુ આને પરણશે. દેવે કહેલા તે વચનો સાંભળીને આ બાલિકાને મેં લઈ લીધી. ક્રમે કરીને મોટી કરી અને સત્યવતી નામ આપ્યું. બાળક વિહોણી મારી પતીએ ધર્મપુત્રી માનીને મોટી કરી. તે આ સત્યવતી.બીજાની પુત્રી છે, મારી પોતાની પુત્રી નથી જેથી કરીને બાળક વિહોણા મારા જેવા પિતા ક્યાંથી થાય ? જેવી રીતે કલ્પવૃક્ષનું સ્થાન મેરૂપર્વત છે, મરુભૂમિ નથી. મેં પણ પિતા પર તારી ભક્તિ જોઈ. તેથી હવે મારી ધર્મપુત્રી સત્યવતીને રથમાં બેસાડીને સ્વસ્થાને જાઓ. રાજા શાન્તનુ સાથે એનું પાણિગ્રહણ (લગ્ન) કરાવો. આજથી તમે જ એના સુખ દુઃખમાં વિશ્રામભૂત છો. એ પ્રમાણે કહીને નાવિક પતિએ સત્યવતી ગાંગેયને આપી. ગાંગેયે પણ ઘરે આવીને શુભમુહૂર્તે બંનેના લગ્ન કરાવ્યા. ત્યાંથી શાન્તનુ પુત્ર ગાંગેયને બાજુમાં બેસાડીને વારંવાર ફરીફરીને પ્રશંસા કરતો આ પ્રમાણે બોલે છે : “તું ધન્ય છે કે આવું વ્રત ગ્રહણ કરીને પિતાની ઇચ્છા પૂર્ણ કરી.” એ પ્રમાણે સુખ અનુભવતાં રાજા-રાણી દિવસો પસાર કરે છે. તે પછી નવા પ્રેમવાળી પત્ની સત્યવતીને પ્રાપ્ત કરીને રાજા અત્યંત કામપ્રિય (કામાતુર) થયો. તે પત્નીની સાથે સુખ અનુભવતાં રાજાને ક્રમે કરી ચિત્રાંગદ નામનો પુત્ર જન્મ્યો. તે કેવો થયો ? તે કહે છે. તેજસ્વીઓમાં તિલકસમાન, પાદના પ્રહાર વડે રાજાઓને જિતનારો જન્મતાં જ બાલસૂર્યની જેમ દુઃસહ... સહન ન કરી શકાય તેવો થયો. કેટલાક વર્ષ પછી તે રાજાની સત્યવતીની કુક્ષિથી જન્મેલો વિચિત્રવીર્ય નામનો બીજો પુત્ર થયો. બંને રાજાના હાથ જેવા હતા. પરંતુ ત્યારે ગંગાપુત્ર (ગાંગેય)નો અને તે બેનો સર્વ પ્રકારના હિતકાર્યમાં ભાતૃસ્નેહ અત્યંત વધ્યો. તે ગાંગેયે તે બે બાળકોને પોતાના ખોળામાં બેસાડીને રમકડાંઓથી ઘણા ૨માડ્યા. તે બંને રમતા-ખેલતા ક્રમે કરીને સાત-આઠ વર્ષના થયા. તે સમયે પોતાના આયુષ્યનો અંત નજીક આવતાં રાજા શાન્તનુ શુભધ્યાને માનવનું શરી૨ ત્યજીને અને સુકૃત દ્વારા સ્વર્ગમાં ગયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy