SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧ પાંડવ ચરિત્રમ્ કે સત્યવતીના સ્નેહથી મોહિત બનેલા મારા પિતા ઘણા દુઃખી થાય છે.” વળી પાછું તને કહું છું : “સત્યવતીને આપ, હું રાજ્યને કરીશ નહિ.. લઈશ નહિ. રાખીશ નહિ.” ઊંચા હાથ કરીને ગાંગેય બોલ્યો : “મારી એક પ્રતિજ્ઞા સાંભળો. સત્યવતીના પુત્રનું રાજ્ય થશે. બીજા કોઈનું નહિ થાય. જો કોઈ તે લેવા આવશે તો હું ધનુષ્યબાણ સાથે હરહંમેશ તેને હણવા માટે જાગતો તૈયાર રહીશ. જો હું શાન્તનુનો પુત્ર હોઉં તો સત્યવતી સદ્ધક્ષ્મણી થતાં જોતાં ખુશ મનવાળા બને, તો આજે મને રાજ્ય મળ્યું છે અને દેવતા મારા પર ખુશ થયા છે..” એ પ્રમાણે ગાંગેયની વાણી સાંભળીને આશ્ચર્ય પામેલા ખેચરોએ આકાશમાં વિમાનો સ્થિર બનાવ્યા. તેથી અત્યંત લુબ્ધ થયેલો સત્યવતીનો પિતા ફરી બોલ્યો : “હે કુમારેન્દ્ર ! સારું સારું તું જ પિતાનો ભક્તપુત્ર છે. જેથી આવા પ્રકારનું રાજ્ય પિતાને માટે છોડી દે છે. વળી પણ એક વાત સાંભળ. જો તું રાજ્યની ઈચ્છા નથી રાખતો, પરંતુ તારા સિંહબાળ જેવા પુત્રો પરંપરાથી આવેલું રાજ્ય તારી જેમ શી રીતે ત્યજી દેશે.” ઇત્યાદિ વિકલ્પોથી (વિચારોથી) મારું મન અચકાય છે. તે સાંભળીને ગાંગેય બોલ્યો : “તમે સાંભળો. આકાશમાં ફરતાં સિદ્ધ-ગાંધર્વ, ખેચરો, તમે સાંભળો. સમસ્ત પાપોને હરનારો મારો એક અભિગ્રહ સાંભળો. જેના સ્વર્ગ અને મોક્ષ બે ફળ પ્રસિદ્ધ છે, તે આજથી આજન્મ સુધી હું બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરું છું. કારણ કે ચારણ શ્રમણ મુનિઓએ મને વ્રતોમાં પહેલું અને ચોથું શ્રેષ્ઠ કહ્યા છે. આથી મેં પ્રાણીઓને અભય આપવારૂપ વ્રત (અહિંસા વ્રત) પહેલાં અંગીકાર કરેલું છે. આજ બ્રહ્મવ્રત પણ અંગીકાર કરું છું (સ્વીકાર્યુ) છે. તેવી જ રીતે આજન્મ પિતાની સેવા કરવારૂપ ચોથું વ્રત પણ સ્વીકારું છું.” તેવા ગાંગેયના વચન સાંભળીને દેવોએ (આકાશ) દેવલોકમાંથી ગાંગેયના મસ્તક ઉપર સુંદર મનોહર પુષ્પવર્ષા કરી અને દેવોએ જય જયકાર કર્યો અને બોલ્યા કે – હે દેવી ! હે જાહ્નવી ! તમો ધન્ય છો. એ પ્રમાણે વાણી મોટેથી બોલ્યા અને તે શાન્તનુ! તમે પ્રશંસનીય છો. આવા પ્રકારનો તમારો પુત્ર છે અર્થાત્ આવા પુત્રને જન્મ આપ્યો છે.” ત્યારે દેવોએ વિદ્યાધરોએ નગરજનોએ અને શ્રમણ ભગવંતોએ સર્વે મળીને ભીષ્મવ્રત ગ્રહણ કર્યું હોવાના કારણે પુત્ર ગાંગેયનું ભીષ્મ એ પ્રમાણે બીજું નામ પાડ્યું. ત્યારથી શાન્તનુના પુત્ર ગાંગેયમાં પ્રશંસનીય (૧) અહિંસા, (૨) બ્રહ્મચર્ય (૩) પિતૃભક્તિ રૂપ ત્રણ ગુણો ત્રણલોકમાં પ્રશંસાને પામ્યા. તે પછી દેવો, ગાંધર્વો, વિદ્યાધરો અને મનુષ્યો સદ્દગુણ ગાઈને ગાંગેયની સ્તુતિ કરીને પોતપોતાના સ્થાને ગયા. હવે નાવિકપતિએ સત્યવતીને પોતાના ખોળામાં બેસાડીને (બાજુમાં બેસાડીને) પુત્રીના ગુણોને વારંવાર કહ્યા : “હે કુમારેન્દ્ર ! તમે સાંભળો. તમે ધન્ય છો, કારણ કે પિતાના માટે કઠીન વ્રતને સ્વીકાર્યું છે. હમણાં તો તમને એક જ વાત કહું છું. તમે સાવધાન થઈને સાંભળો. એક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy