SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૩૯૬ સર્ગ - ૧૮ હવે પ્રવ્રયા (દીક્ષા) લેવા ઉત્સાહી, તીવ્ર મનવાળા તે પાંડવોએ જેલમાં રહેલા કેદીઓને છોડી મૂક્યા. પછી ગરીબ, અનાથ, દુઃખીઓને ઇચ્છિત સુવર્ણ, રત્ન, મણિ, માણિજ્યાદિનું દાન આપ્યું. પછી તેઓએ જિર્ણ થઈ ગયેલા અને નવા ચૈત્યો કરાવ્યા. ત્યારબાદ સાતક્ષેત્રમાં ધનને વાવ્યું-વાપર્યું. જેમ કે જિનચૈત્ય, જિનપ્રતિમા, સાધુ, સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ, આ સાતક્ષેત્રમાં વાવેલું અનંત ગુણ, કલ્યાણકારી ફલને આપનારૂં થાય છે. એથી વધુ બીજું શું કહેવું ? તેવી રીતે ચારે બાજુ વરસાવતા સુવર્ણની રાશિ વડે ગરીબો પરના દેવાનું ઋણનું નામ પણ ભૂંસી નાખ્યું. એ પ્રમાણે દાન આપીને દરેક હાથી પર બેઠેલા, શ્વેત છત્રને ધરનારા, વારાંગના સ્ત્રીઓથી વીંઝાતી ચામરોવાળા, નગરજનો અને મંત્રીઓ સાથે રસ્તે ચાલતા પાર્ટુસેન રાજા સામાનિક દેવો સાથે દેવેન્દ્રની જેમ શોભતા, સૈન્યસમૂહથી પરિવરેલા, વાજિંત્રોના નાદથી પૂરાયેલી દિશાઓવાળા, મંગલ પાઠકો વડે સ્તુતિ કરાતા ગુણસમૂહવાળા, દ્રૌપદી વગેરે નારી સમૂહો શિબિકામાં બેઠેલી આગળ ચાલતા માર્ગવાળા એવા પ્રકારના પાંડવો પ્રવ્રયા (સંયમ-દીક્ષા), અંગીકાર (લેવા) કરવા માટે ગુરુની પાસે ચાલ્યા જાય છે. તે પાંડવો રસ્તામાં લોકોના નેત્રના અગ્રુબુંદોને અને નારીઓના ઓવારણા દ્વારા વધાવાતાં લાજ કણોને લેતા બહારના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં તે ઉદ્યાનમાં ગુરુ પાસે જઈને હાથી પરથી ઉતરીને રાજચિહ્નોને દૂર કરી તે પાંચેય પાંડવો પત્નીઓ સાથે પ્રભુ ધર્મઘોષ નામના મહામુનિની પાસે આવ્યા. (ઉપસ્થિત થયા.) તે પાંડવોએ પત્નીઓની સાથે ધર્મઘોષ મુનિને પ્રદક્ષિણા આપીને હાથ જોડીને દીક્ષા આપવા વિનંતી કરી (માંગી). હે પ્રભો ! અમારા ઉપર પ્રસન્ન થઈ દીક્ષાને આપો. પછી સ્વામિ ધર્મઘોષ મહામુનિએ તે પાંચેય પાંડવોને પત્નીઓ સાથે દીક્ષા આપી. તેઓને દીક્ષા લીધેલા જોઈને સર્વ નગર આદિ લોકો હર્ષપૂર્વક વંદન કરીને પાડુ મથુરામાં પાછા આવ્યા. હવે તે પાંડવો ધર્મઘોષ ગુરુની પાસે ક્રિયા શીખીને શરીરથી પણ નિઃસ્પૃહી ગુરુની સાથે વિહાર કર્યો. એ પ્રમાણે પાંચેય પાંડવ મુનિઓ સંયમને સારી રીતે પાળતાં કેટલાક વર્ષના અંતે ક્રમપૂર્વક અભ્યાસ કરતાં બાર અંગો ભણ્યા. એમ તેઓએ બધા સિદ્ધાંતો ભણવાથી ગીતાર્થતા પ્રાપ્ત કરી. વળી જેમ રસ (પારસમણિ)ના સ્પર્શથી લોખંડ સુવર્ણતાને પ્રાપ્ત કરે છે, તેમ તેઓએ પણ તે મુનિના (ધર્મઘોષ મુનિના) સંગમથી સર્વ સિદ્ધાંતો ભણી ગીતાર્થતા પ્રાપ્ત કરી. એ પ્રમાણે દ્રૌપદી પણ સાધ્વી પ્રવર્તિની પાસે ક્રમસહ અગિયાર અંગો ભણી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy