SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૩િ૯ સર્ગ - ૧૮ પાંડવ ચરિત્રમ્ તે પાંચેય પાંડવ મુનિઓ ગીતાર્થ ધર્મઘોષ મુનિને જણાવીને (અનુજ્ઞા લઈને) ગ્રામનગરાદિઓમાં જાતે વિચરતા જગતના પાપોને હરે છે. એક દિવસ ભીમસેન મહામુનિએ સકલ કર્મને દૂર કરવા માટે આવો મહાઅભિગ્રહ કર્યો. જો કોઈ પુરુષ ભાલાની અણી ઉપર (દ્વારા) માંડાદિ (પુડલાદિ) ભિક્ષામાં આપશે, ત્યારે પારણું કરીશ, નહીં તો નહિ. તે ભીમસેન મહામુનિના પુણ્ય પ્રભાવથી તે અભિગ્રહ છ મહિને પૂર્ણ થયો. એ પ્રમાણે એ પાંચેય અભિગ્રહને કરતાં અને કર્મક્ષયને કરતાં દિવસો પસાર કરે છે. દરેક ગામને, દરેક સ્થાનને, દરેક વનને, તે તે વચન વડે ધર્મમય કરતાં પોતાના દેહમાં પણ નિસ્પૃહી એવા તે પાંડવ મુનિઓના ઘણા વર્ષો વ્યતીત થયા. (વહી ગયા.) હવે ઔચિત્યપૂર્વક વિહાર કરતાં તે મુનિઓ કોઈ ઊંચા પર્વતના શિખરની પાસે રહેલી ભૂમિ પર પહોંચ્યા. પૃથ્વીતલે વિહાર કરતાં તેઓના ગુરુ પણ તે જ વનમાં ધર્મદેશના આપતા તેઓએ જોયા. દેવ, મનુષ્યની પર્ષદામાં દ્રાક્ષ જેવી મીઠી વાણી દ્વારા નિર્મળ ધર્મને કહેતા તેમને જોઈને પાંડવ મુનિઓ પણ ત્યાં જ આવ્યા. ગુરુ પણ તેઓને આવેલા જોઈને પ્રીતિ તરંગથી ખુલી ગયેલા લોચનવાળા એકદમ ઉઠીને સામે ગયા. આનંદના અશ્રબ્દથી ભરેલી પાંપણવાળા ગુરુના ચરણકમળમાં મૂકેલા મસ્તકવાળા પાંડવ મુનિઓએ ધર્મઘોષ મુનિવરને વંદન કર્યું. વિકસ્વર થયેલા ગાલ અને આંખવાળા ગુરુએ પણ તે પાંડવ મુનિઓને સુખશાતા પૂછી. પછી ફરીથી પણ પોતાના આસન પર બેસી ગુરુ સર્વ દેવ, મનુષ્ય, પશુવર્ગની આગળ તેવી જ રીતે ધર્મકથા કહેવા લાગ્યા. અર્થાત્ ધર્મદેશના આપવા લાગ્યા. ધર્મઘોષ ગુરુની દેશના પૂર્ણ થયા પછી બધાય સભામાં રહેલા લોક તેમને વંદન કરીને પોતપોતાના સ્થાને ગયા. સભામાં રહેલા પશુવર્ગને જોઈને આશ્ચર્ય પામેલા મનવાળા યુધિષ્ઠિરે મુનિશ્રી ધર્મઘોષ ગુરુને પૂછ્યું: “હે પ્રભો ! જંગલી પશુઓ જે તમારી દેશના સાંભળે છે, તે તમારા આવવાના પ્રભાવથી જ આવે છે અથવા બીજું કોઈપણ કારણ છે ? તે મને પ્રસન્ન થયેલા તમે સર્વ વૃત્તાંતને કહો.” યુધિષ્ઠિર મુનિએ કહેલું સાંભળીને ગુરુએ કહ્યું : “હે યુધિષ્ઠિર નગર, આકર, પુર, પ્રામાદિમાં વિહાર કરતાં આ પર્વત પર સિદ્ધાર્થ દેવે કરેલી સહાયવાળા બલભદ્ર મહામુનિ આવ્યા હતા. તે આ પર્વત ઉપર માસક્ષમણાદિ તપને કરતાં પારણાના દિવસે નજીકમાં રહેલા ગામ, પુર વગેરેમાં ગોચરી લેવા માટે જતા હતા. એક દિવસ માસક્ષમણના પારણે કોઈ ગામમાં પ્રવેશ કરતાં કૂવાના કાંઠા પર રહેલી સ્ત્રીએ બલદેવના રૂપમાં મોહિત થવાથી વ્યગ્ર ચિત્તવાળી થયેલી તેણે ઘડાની ભ્રાંતિથી પુત્રના ગળામાં દોરડાનો પાશ નાખ્યો અને જ્યાં તે પુત્રને કૂવામાં નાખે છે, તેટલામાં બલભદ્ર મુનિએ કહ્યું : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy