SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ (૩૯) સર્ગ - ૧૮ ભયંકર ક્રોધથી ઊંચા સ્વરે સિંહનાદ કર્યો. જે અવાજથી વનના હરણીઆઓ ત્રાસ પામ્યા. જે અવાજથી પૃથ્વી કંપવા લાગી, એવા પ્રકારનો સિંહનાદ કરીને ઊંચા અવાજે કહ્યું : “અહો ! એવા કોણ પાપીએ સૂતેલા એવા મારા ભાઈને હણ્યો છે.” જેમ કે સૂતેલો, નશાવાળો અને બેધ્યાન (બેભાનમાં) રહેલો, બાળક, સ્ત્રી, મુનિ અને ગાય એ બધાને કયો ક્રૂર કર્મ કરનાર ચંડાલ પણ જાણી જોઈને શું હશે? જે કોઈને પણ તાવની જેમ બાહુબલનું અત્યંત અભિમાન હોય તે મારી આગળ ખુલ્લો થાય. જેથી કરીને હું તેના બાહુબલના અત્યંત ગર્વનો નાશ કરૂં. બલભદ્ર એમ બોલતાં વારંવાર મૂચ્છને પામ્યા. ફરી ઠંડા વાયુથી ચેતના પામેલા વિલાપ કરે છે. જેમ કે હા ! જગતમાં એક વીર ! શત્રુઓ ઉપર અત્યંત ગુસ્સાવાળા ! હા ! ગુણીઓમાં એક અગ્રેસર ! હા ! વડીલો પર વાત્સલ્યભાવવાળા ! બહુમાન ભાવવાળા ! હે ભાઈ ! તું જરાસંઘના તે તે શસ્ત્રના ઘાથી મર્યો નથી, તો આ પગ ઉપરના પ્રહારથી તારૂં મૃત્યુ કેવી રીતે સાચું મનાય? તે વનમાં બલવાન બલભદ્ર, કૃષ્ણના સ્નેહથી જકડાયેલા સ્નેહીબંધુને ખભા ઉપર લઈને, શિકારી (જંગલી) પશુઓથી ભરેલા વનમાં અહીં તહીં ભમવા લાગ્યા. ભમતાં આ પ્રમાણે બોલે છે, હે ભાઈ ! પગના ઘાની પીડાથી રસ્તે ચાલવા અસમર્થ મારા ખભા પર બેઠેલા એવા તને મેં વારંવાર બોલાવવા છતાં પણ મારી સાથે બોલતો કેમ નથી? તારો સ્નેહ ક્યાં ગયો ? આ પ્રમાણે આકંદ (તો) કરતો હોવા છતાં પણ મને ઉત્તર આપતો નથી. આથી ઉત્તર આપ. તારા વચનરૂપ અમૃતને પીવા માટે મારું મન ઘણું અધીરૂં બન્યું છે (તરસ્ય બન્યું છે). પહેલાં તે મારા પર અપરાધ હોવા છતાં પણ ક્રોધ કર્યો નથી, તો પછી હમણાં અપરાધ ન હોવા છતાં પણ મારા પર આ તારો લાંબાકાળ સુધીનો રોષ (ક્રોધ) કેવો? એ પ્રમાણે બોલતાં ઝાડને શત્રુની બુદ્ધિથી પગની એડીના પ્રહારથી મારે છે. ક્યારેક ભાઈને વૃક્ષની નીચે મૂકીને ઊંચે સ્વરે ગીત બોલે છે. ક્યારેક તાલ-લયથી યુક્ત નૃત્ય કરે છે. ક્યારેક શત્રુની બુદ્ધિથી ઝાડ સાથે યુદ્ધ કરે છે. ક્યારેક કૃષ્ણના માથા પર છત્ર ધરીને સેવા કરે છે. ક્યારેક હાથમાં લાકડી લઈને (પહેરેગીર બનીને) આગળ બેસે છે. ક્યારેક પથારીમાં બંનેય એક થઈને ગાઢ આલિંગન આપીને સૂએ છે. ફરી પ્રભાત થતાં ભાઈને જગાડવાની ચેષ્ટા કરતો ખભા પર લઈને માર્ગે રસ્તે ચાલે છે. જેમ કે ભાઈના સ્નેહથી ભાન ભૂલેલો બલભદ્ર રાત-દિવસ નદી, પર્વત અને વનમાં ભમે છે. અને વનના ઝાડના પુષ્પો વડે નિત્ય કૃષ્ણને પૂજે છે. એ પ્રમાણે વનમાં ફરતાં બલભદ્ર છ મહિના પસાર કરી દીધા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy