SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૮ ૩િ૮૯) પાંડવ ચરિત્રમ્ ભય, ન્યાયમાં અન્યાયનો ભય, શરીરમાં યમનો ભય રહ્યો છે. ખરેખર બધામાં ભય રહ્યો છે, પરંતુ ભયનો અભાવ એવો આ એક વૈરાગ્ય જ (વિરક્ત ભાવ) અભય છે. એ પ્રમાણે વૈરાગ્યભાવનો ઉપદેશ આપી મુનિ અટક્યા ત્યારે યુધિષ્ઠિરે ભાઈઓ સાથે બે હાથ જોડી મુનિપતિને કહ્યું કે : “હે પ્રભો ! આપની પાપને હરનારી વાણી સાંભળીને આનંદ પામેલા અમે આપની પાસે દીક્ષા લઈશું.” પૂર્વે પણ સ્વામિની પાસે દીક્ષા લેવાની ભાવનાથી અમે નેમિ પ્રભુનું મનથી વિચાર્યું (ધ્યાન કર્યું) હતું. સ્વામિએ અમારા ઉપર કૃપા કરી આપશ્રીને મોકલ્યા છે. આપના આવવાથી અમે ધન્ય થયા છીએ. આથી તે સ્વામિ ! આપ અમારા માટે સાક્ષાત્ જગત્પતિની મૂર્તિ છો. તેથી આ સંસાર સાગરથી અમારો ઉદ્ધાર કરો. આપના જેવા જ્ઞાનના સાગર અતીન્દ્રિયના અર્થને બતાવવામાં રત, આપની દૃષ્ટિમાં કંઈપણ અજ્ઞાન નથી. આથી તે સ્વામિ ! કહો, કૌશામ્બ વનમાં વટવૃક્ષની નીચે સુખપૂર્વક સૂતેલા હરિના (કૃષ્ણના) પાદતલને જરાકુમારે બાણથી વીંધ્યું. પછી શું થયું? પાણી લાવવા માટે ગયેલા બલભદ્ર શું શું કર્યું? જે જે કર્યું હોય તે તે જ્ઞાનથી જોઈને મને બધું કહો. હું આપની પાસે એ બધું સાંભળવા ઈચ્છું છું. યુધિષ્ઠિરે કહેલું સાંભળીને જ્ઞાનમાં જોઈને મુનિએ તેઓને સંપૂર્ણ કથા કહેવાનું શરૂ કર્યું. તે રાજન્ ! સાંભળો. કૌશામ્બ વનમાં કૃષ્ણને મૂકીને બલભદ્ર સ્વયં જલ લેવાને માટે સરોવરમાં ગયા. જલ લાવીને જ્યાં પાછા ફર્યા, ત્યાં રસ્તામાં આવતાં ડગલે ડગલે અપશુકનોએ વાળેલા ચિંતવે છે. હા ! આ શું! હવે શું થશે ? એમ વિચારતાં બલદેવે જલથી ભરેલું વાસણ કૃષ્ણની બાજુમાં (પાસ) મૂક્યું. સુખપૂર્વક સૂતેલા કૃષ્ણને જોઈને બલભદ્ર બોલ્યા : “હે ભાઈ ! ઊઠ, સુગંધી શીતલ જલ પી. માર્ગથી થાકી ગયેલા, હાથ-પગ ધોઈને સ્વસ્થ થા. મારી સાથે વાત કર. કેમ રીસાયેલાની જેમ મૌન ધારણ કરીને તું સૂતો છે ? જલ લાવવામાં વિલંબ થયો. તેથી તું ક્રોધે ભરાયો છે? હું શું કરૂં? જલ મળ્યું નહિ. તેથી હું દૂર ગયો. તેથી તે કારણે) મોડું થઈ ગયું. હવે હું જલ્દી લાવીશ. ઊઠ, પાણી પી. હમણાં ગુસ્સાનો અવસર નથી. એમ કહીને બાહુ વડે પકડ્યો તો પણ ન ઉઠ્યો. ફરી તેવી જ રીતે પથારીમાં સૂઈ ગયો.” ત્યારે બલદેવે ચિંતવ્યું કે, ખરેખર મારો ભાઈ રસ્તાના થાકથી સૂઈ ગયો છે, ઝોકા આવે છે. તેથી આ નિર્ભય બની સૂઈ ગયો છે. એમ વિચારીને બલભદ્ર કેટલોક સમય કૃષ્ણના મુખ પર દૃષ્ટિ નાખીને જ્યાં ઊભા રહ્યા, તેટલામાં કૃષ્ણના મુખ પર ચારે બાજુ કાળી માખી જોઈને વિચારે છે. આ શું દેખાય છે ? પછી સંપૂર્ણ અંગ જોતાં ચરણપલ્લવને રક્તથી ખરડાયેલા બાણના ઘાવાળા પગના તળિયાને જોઈને બલભદ્ર મૂચ્છિત (બેભાન) થઈ ગયા. ફરી ઠંડા વનના પવનથી ચેતના પામેલા તેણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy