SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૮ ૩િ૯૧) પાંડવ ચરિત્રમ્ અને આ બાજુ કોઈક ખેડૂતને વર્ષો સમય આવતાં મેઘ ગર્જરવથી પૂરાયેલી દિશામાં જલ્દી પર્વતના શિખરથી ઉતરતા અને સમતલ ભૂ ભાગમાં આવીને આગળ ચાલતાં પત્થરથી ભાંગી ગયેલા રથને સારથિ વડે સજ્જ કરતો જોઈને બલભદ્રે કહ્યું : “રે મૂઢ ! આ રથના કણ કણ થઈ ગયા છે. હવે તારો તેને જોઈન્ટ (સાંધવામાં) કરવામાં તારી મહેનત ફોગટની છે.” તે સાંભળીને બલભદ્રને સારથિએ કહ્યું, સેંકડો યુદ્ધમાં જયને પ્રાપ્ત કરનાર હાલમાં પગમાં પ્રહાર લાગવાથી મરેલો એવો તારો ભાઈ જો જીવશે તો પછી સમતલ પૃથ્વીના ભાગ પર ભાંગેલો રથ પણ તૈયાર થશે. બલભદ્ર બોલ્યા, રે મૂઢ ! મારો ભાઈ મૃત્યુ ક્યાં પામ્યો છે ? જીવતો જ છે. મારા પર ક્રોધ આવવાથી બોલતો નથી. તું અહીંથી જા ! મારી નજરથી દૂર થા. એમ કહીને બલભદ્ર આગળ ચાલ્યા. ક્યારેક પત્થરમાં કમળને રોપતાં જોઈને કંઈક ઊંચા સ્વરે બલભદ્ર હસતાં હસતાં કહ્યું : “કે આ તારો પ્રયત ફોગટનો છે.” બલભદ્રે તેને કહ્યું કે : “હે મૂઢ આત્મા ! સરોવરમાં રોપવાને યોગ્ય કમલિનીને કઠીન પત્થરમાં કેમ રોપે છે ?” તેને કહ્યું : “જો તારો ભાઈ જીવિતપણાને પામે તો આ પત્થરમાં પણ કમલ ઉગશે. એવી તેની પણ વાણી સાંભળીને મોહને વશ થયેલ બલભદ્ર તેની ઉપેક્ષા કરીને તેવી જ રીતે આગળ ચાલ્યા.' આગળ જતાં દાવાનલથી બળેલા ઝાડને સિંચતા એવા કોઈ માળીને જોઈને રામે (બલભદ્ર) કહ્યું: “હે મૂઢ આત્મા! શું ક્યારેય જોયું છે ? અથવા સાંભળ્યું છે. બળેલું ઝાડ પણ પાણી સિંચવાથી અંકુરોને ઉગાડે છે.” તેણે કહ્યું “જો તમારા ખભા ઉપર રહેલું શબ જો જીવશે તો આ ઝાડ પણ ફરીથી લીલુંછમ બનશે.” એવી તેની તે વાતને અવગણીને ફરી તેવી જ રીતે આગળ ચાલ્યા. તેની તે વાણીને સાંભળતાં જ બલભદ્ર આગળ ચાલ્યા. કોઈને ગાયના શબના મુખની પાસે ઘાસ મૂકતાં જોયો. કોઈક પુરુષે ગાયના મુખની પાસે ઘાસનો પૂળો મૂકતાં જોઈને બલભદ્રે કહ્યું : “હે મૂઢ આત્મા ! મૃત્યુ પામેલી ગાય શું ઘાસનો પૂળો ખાય છે ? તેણે પણ પ્રત્યુત્તર આપતાં કહ્યું : જો તારા ખભા પર રહેલા કૃષ્ણ બે પગ વડે ચાલશે, તો આ પણ મૃત્યુ પામેલી ગાયના ઘાસના અંકુરોને ખાશે?” આ પ્રમાણેનું વારંવાર સાંભળીને બલભદ્ર ભાઈની સામે જોતાં સ્વસ્થ મનથી વિચારે છે. ખરેખર આ મારો નાનો ભાઈ મૃત્યુ પામ્યો છે. કારણ કે આ બધા લોકો એક સરખું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy