SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૩િ૮૦) સર્ગ - ૧૭ ભીલ્લ પાસે ભીલ્લાની ત્રણ સ્ત્રીઓમાંથી એક પાણી માંગે છે. બીજી હરણ માગે છે અને ત્રીજી ગીત સાંભળવાનું કહે છે. ત્યારે ભીલે કહ્યું : સશે ન0િ (સર=સરોવર નથી, સરો–બાણ નથી, સરો કંઠ નથી) એમ ત્રણેય અર્થ એક શબ્દમાંથી નીકળતા હોઈ, ત્રણેય સમજી ગઈ. જો ભીલની વાણીમાં આવા પ્રકારની ચતુરાઈ હોય તો પ્રભુની વાણીમાં વચનની ચતુરાઈ કેમ ન હોય? હવે પ્રભુ દેશના આપે છે. તે આ પ્રમાણે – લક્ષ્મી વીજળી જેવી ચંચળ છે, યૌવન કેટલાક દિવસનું છે, સુખદુઃખ, રૂપ, ગંધવાળું શરીર અનિયત રોગવાળું છે. સંત-સજ્જનોની સાથે વાર્તાલાપ દુર્લભ છે. બહુ કહેવાથી શું આ સંસાર અસાર છે. માટે નિપુણજનો જાગો. ભયંકર વનમાં આ શરીરરૂપ ઘર બહુ છિદ્રવાળું છે અને કાલરૂપી ચોર બલવાન છે. નિશ્ચિત મોહરૂપ રાત્રિ કાળી છે. જ્ઞાનરૂપ તલવાર, વિરતિરૂપ ઢાલ, શીલરૂપ કવચ લઈને સ્વસ્થ થઈને અત્યંત સ્થિર આંખોવાળા હે જનો ! જાગતા રહેજો. કાયા ઘણા રોગવાળી છે, પ્રકૃતિ (સ્વભાવ) ચંચળ છે. લક્ષ્મી પણ ચપળ છે, ભોગો મહારોગ જેવા છે. સ્ત્રીઓ સર્પ જેવી છે. ગૃહસ્થપણામાં વાસ બંધનરૂપ છે. પ્રિયજનના સુખમાં સ્થિરપણું નથી, તેથી આ સંસાર અસાર છે. તે નિપુણ (ચતુર)જનો જાગતા રહેજો (રહો). માતા નથી, પિતા નથી, સગો ભાઈ નથી, અર્થ નથી, ધન નથી, તેથી જાગો... જાગો. જે કાલે કરવાનું છે તે આજે કર, આજે કરવાનું છે તે હમણાં જ (તાત્કાલિક) કર, એક ક્ષણ ઘણા વિધ્રોવાળી છે. ઢીલને કર નહિ. ઇત્યાદિ પ્રભુની દેશના સાંભળીને વૈરાગ્ય મનવાળા પાડુ અને કુન્તીએ પ્રભુને નમીને દીક્ષા આપવાની માગણી કરી. પ્રભુએ પણ પાંડવોની રજાથી તે બેઉને દીક્ષા આપી. તેઓ પણ પ્રભુ પાસે દીક્ષા લઈ સ્વામિની સાથે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. માતાપિતાના વિરહમાં કેટલાક દિવસો પાંડવોએ ખેદમાં (શોકમાં) પસાર કર્યા. પરંતુ મોક્ષસુખ આપનારા ધર્મમાં તો પ્રસન્ન મન રાખ્યું. વળી ત્યાં માતાપિતાના દીક્ષાસ્થળ વનમાં ચૈત્ય બનાવીને પાંડવો દરરોજ પૂજવા લાગ્યા. એ પ્રમાણે કાળ જતાં એક દિવસ પાંડવો સાથે ક્રીડા કરતી દ્રૌપદીએ પૃથ્વી જેમ નિધાનને ધારણ કરે તેમ ગર્ભને ધારણ કર્યો. નવ માસને સાત દિવસ પછી દ્રૌપદીએ અત્યંત તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. તે જગતને આનંદદાયક પુત્ર જન્મતાં યુધિષ્ઠિરે કેદીઓને છોડી મૂક્યા. તેમજ દાન આપ્યું. જિનગૃહે પૂજા કરીને સ્વકુલોચિત રિવાજ પાળીને પાંડવોએ પાડુસેન એવું નામ સ્થાપ્યું આપ્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy