SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૭ ૩૮૧ પાંડવ ચરિત્રમ્ અનુક્રમે વધતા બાલ્યકાળમાં પણ કાર્તિકેયની જેમ મહાપરાક્રમી આઠ વર્ષની વયે બુદ્ધિમાનોમાં પ્રથમ તેણે બધી કલા શીખી લીધી. ક્રમે કરીને ઘણી રાજકન્યાઓ પરણાવી, તેથી તેને જગતમાં ચમત્કારી ગુણથી શ્રેષ્ઠ જાણી પાંડવોએ યુવરાજ પદે સ્થાપ્યો. એ પ્રમાણે રાજ્ય કરતાં તે પાંડવોનો કેટલોક કાળ ચાલ્યો ગયો. આ બાજુ એક દિવસ કાળા મેશ જેવા મુખવાળો હાથમાં રહેલા કૌસ્તુભ રત્નવાળો કૃષ્ણનો નાનો ભાઈ જરાકુમાર સભામાં રહેલા પાંડવોની પાસે ઉપસ્થિત થયો (આવ્યો). તેથી મળવા માટે ઊભા થયેલા યુધિષ્ઠિરને ગાઢ રીતે ભેટીને મોટા અવાજે જરાકુમાર રડવા લાગ્યો. પાંડવોને ખબર પડી ગઈ. જિનેશ્વરનું વચન સત્ય થયું છે નહિ તો કૌસ્તુભ રત્ન આના હાથમાં કેવી રીતે આવે ? તેને રોતો જાણીને સભામાં બેઠેલા બધાય મોટા અવાજે રડવા લાગ્યા. તેથી પાંડવોએ પૂછ્યું : હે જરાકુમાર ! તમારા ભાઈ કૃષ્ણનું શું થયું છે? દ્વારકાનું શું થયું ? જે થયું હોય તે બધું અમને કહે.. જરાકુમારે કહ્યું : પ્રભુનું વચન શું ખોટું પડે ? અથવા ફોગટ જાય ? પહેલાં પ્રભુએ જે નારાયણ-કૃષ્ણની આગળ કહ્યું હતું તે સર્વે સત્ય થયું. શું શું થયું? તે બધું અમને કહે. એણે ફરી કહ્યું. હે બંધો ! કૃષ્ણના વધની વાત સાંભળી ત્યારે હું શસ્ત્રની સહાયવાળો વનમાં ગયો. તે વનમાં શિકારવૃત્તિથી હું કેટલોક કાળ (જીવન વીતાવતો તે વનમાં) રહ્યો. એક વખત મેં વનમાં ભમતા (ફરતા) હરણ પર બાણ છોડ્યું. તે બાણ કોઈ પુરુષના પગમાં વાગ્યું. તેથી તે ઊઠીને મોટા અવાજે મારી તર્જના કરતો આ પ્રમાણે બોલ્યો - અહો ! કયા પાપીએ સુખપૂર્વક સૂતેલા એવા નિર્દોષના પગના તળિયાને બોલ્યા વિના બાણ વડે વીંધ્યું. જેનાથી હું વીંધાયો છું, તે પોતાનું નામ અને ગોત્રને કહો. જેથી હું પણ તેના તરફ તીર તાકું. એવા પ્રકારના ધીર અને ઉદારપણે તેનું જાણ્યું. પુરુષની વાણી સાંભળીને મેં ચિંતવ્યું: અહો ! મૃગની બ્રાન્તિથી કોઈ સુખપૂર્વક સૂતેલો પુરુષ હણાયો છે, તેથી નજીક જઈને નામ અને ગોત્ર કહું. એમ વિચારીને કંઈક નજીક જઈને આવીને) વેલડીઓના પાછળથી સંતાઈને બીકથી કંપતા શરીરે બોલ્યો. જેમ કે દશમા દર્શાણનો આનકદુમીનો એટલે કે વસુદેવનો જરાદેવીએ જેને જન્મ આપેલો તે હું જરાકુમાર છું. કોઈપણ કારણથી નિર્જન વનમાં હું રહું છું. તું કોણ છે, એ પ્રમાણે ફરી મોટેથી દૂર ઉભા રહીને તેને પૂછ્યું. ll૧-રા (યુમ) આ શબ્દ સાંભળી કૃષ્ણ કહ્યું : “બંધો ! તારું વનવાસાદિમાં રહેવાનું નિષ્ફળ ગયું છે. પ્રભુએ કહેલું શું નિષ્ફળ થાય? આવ ભાઈ ! આપણે મળીએ. આ જન્મમાં આપણા બેયનું આ છેલ્લું મિલન છે.” કૃષ્ણ એ પ્રમાણે કહેતાં સમીપ આવીને કૃષ્ણને જોઈને હું મૂચ્છ પામતો મૂર્છાથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy