SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૭ ૩૬૯ પાંડવ ચરિત્રમ્ જગતના ગુણોને જેણે જોયા છે, તેવા કેવલી ભગવંતો આ તીર્થપતિ (સિદ્ધાચલ)નો મહિમા જાણે છે. તે પણ કહેવા માટે સમર્થ નથી. રજા આ સિદ્ધાચલ તીર્થે, અન્યની નિંદા નહિ, બીજાના દ્રોહનું ચિંતન નહિ, પરસ્ત્રીમાં લોલુપતા નહિ, બીજાના દ્રવ્ય પર બુદ્ધિ નહિ, મિથ્યાત્વીનો સંસર્ગ નહિ કરવો અને તેઓના વચનમાં આદર પણ ન કરવો, તેઓની નિંદા પણ ન કરવી અને તેઓના શાસ્ત્રનો આદર ન કરવો. રપ-૨૬ આ સિદ્ધાચલે જેઓ યાત્રિકોને ભક્તિપૂર્વક વસ્ત્ર અને અન્ન વડે પૂજે છે (ભક્તિ કરે છે) તેઓ વિશાલ ઋદ્ધિ (વૈભવનું) સુખ ભોગવીને અંતે મુક્તિનો ભોક્તા બને છે. , આ તીર્થમાં બુદ્ધિશાળીઓએ પોતાની શક્તિ અનુસાર બીજા પણ પુણ્યકાર્યો કર્યા હોય, તે પાપકાર્યોની ઉર્મિને કુંઠીત કરવા થકી આ ભવ અને પરભવ એમ બે ભવની વિશુદ્ધિ માટે થાય છે. ૨૮ ઇત્યાદિ નેમિનાથના મુખથી શત્રુંજયના મહિમાને સાંભળીને તે પાંચેય પાંડવો પ્રભુને નમીને હાથી, ઘોડા અને રથમાં બેસીને પોતાના હસ્તિનાપુરના સ્થાને ગયા. પ્રભુ પણ દેવસમૂહથી પરિવરેલા બીજા દેશ પ્રતિ વિહાર કરી ગયા. હવે પોતાના જન્મને સાર્થક કરવાની ઇચ્છાવાળા તે પાંડવોએ યાત્રાનો મનોરથ કર્યો, ઈચ્છા કરી. પછી પ્રીતિવાળા તે પાંડવોએ ત્યારે જ બધા રાજાઓને યાત્રા માટે આમંત્રણ આપ્યું. પછી હર્ષ સાથે બહુ પરિવારવાળા, તે રાજાઓ પોતપોતાની ઋદ્ધિ સાથે હસ્તિનાપુર પહોંચ્યા. પાંડવો વડે સત્કાર કરાયેલા તે રાજાઓ અત્યંત આનંદને પામ્યા. શુભ દિવસે, શુભ મુહૂર્ત પાંડવો સ્વર્ણ જિનાલયમાં બિરાજમાન જિનેશ્વરની મણિમય પ્રતિમાને આગળ કરીને સેના અને વાહનો સાથે શ્રી વિમલાચલ તરફ ચાલ્યા. રસ્તામાં સાધર્મિક વાત્સલ્યને કરતાં, ગુરુનું, જ્ઞાનનું અને જિનેશ્વરનું પૂજન કરતાં જિર્ણ થયેલા જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કરતાં આગળ માર્ગ કાપતા હતા. એ રીતે રસ્તામાં સંઘ સાથે ચાલતાં સૌરાષ્ટ્રની સીમમાં પાંડવોને આવેલા જાણી કૃષ્ણ પણ યાદવોની સાથે આવીને પાંડવો સાથે ભળી ગયા. પછી તે રાજાઓએ વિધિપૂર્વક તીર્થની પૂજા અને સંઘપૂજા કરીને શત્રુંજય પર્વત પર સાનંદ ચડ્યા. વરદત્ત ગુરુની સાથે પરસ્પર હાથમાં હાથ નાખેલા વાસુદેવ અને યુધિષ્ઠિરે જ્યાં ચૈત્ય (મંદિર) જોયું, ત્યાં દિવાલોમાં તિરાડો જોઈ. અત્યંત તૃણ અંકુરા ફૂટેલાવાળો ભગવાનનો પ્રાસાદ (જિનાલય)ને જોઈને વૃદ્ધત્વથી જર્જરિત (શિથિલ) જોઈને મનમાં દુઃખી થયેલા કૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું : “હે યુધિષ્ઠિર ! આપણે બંને રાજ્ય કરતાં હોવા છતાં કાળના પ્રભાવથી આ તીર્થ સારી રીતે જીર્ણ થયેલું છે, તે જાણો.” ત્યારે અવસરને જાણીને યુધિષ્ઠિરે કૃષ્ણને કહ્યું : “હે કૃષ્ણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy