SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩િ૭૦) પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૧૭. તમે પહેલા ગિરનારનો ઉદ્ધાર કર્યો છે. હવે સિદ્ધાચલના ઉદ્ધારનું પુણ્ય મને આપો. કૃષ્ણ કહ્યું : “હે યુધિષ્ઠિર ! એમાં પ્રાર્થના શી? આપણા બેમાં કાંઈપણ અંતર નથી. તમે જ તે પુણ્યને ગ્રહણ કરો. એટલે કે તમે જ ઉદ્ધાર કરાવીને પુણ્ય સંચય કરો.” પછી સાનંદ યુધિષ્ઠિરે શિલ્પીઓ વડે નિત્ય શાશ્વત ચૈત્ય સમાન શ્રી શત્રુંજયના ઉદ્ધારરૂપ મોટું ચિત્ય (મંદિર) કરાવ્યું. પછી દિવ્ય પારિજાત (કલ્પવૃક્ષ) વૃક્ષના લાકડામાંથી શિલ્પીઓ વડે એક ઋષભદેવની પ્રતિમા બનાવી. પછી તેના હૃદય ઉપર એક (તેજથી શોભતું) તેજસ્વી મણિ બેસાડ્યું. તે પછી સુગંધી દ્રવ્ય વડે અને રક્તવર્ણવાળો લેપ કરીને શુભલગ્ને વરદત્ત ગણધરના હાથે તે પ્રાસાદે જિનબિંબની પ્રતિષ્ઠા કરાવીને તે પ્રાસાદમાં તે પ્રતિમાને સ્થાપના કરી. કહ્યું છે કે શું ભક્તિરૂપ રાગથી રંગાયેલી ન હોય, શું પુણ્ય પુજના ઉદયવાળી ન હોય, તેવી ભક્તિરૂપ સ્ત્રીના ભાલ પર રહેલા કંકુ સમાન શોભાને ધારણ કરતી તે ચૈત્ય અને જિન પ્રતિમાની શુભ મુહૂર્તે વરદત્ત ગણધર ભગવાને અને યુધિષ્ઠિરે પ્રતિષ્ઠા કરી. VI૧-૨ા . વિશ્વના અલંકાર રૂપ હોવા છતાં તે જિન પ્રતિમાની યુધિષ્ઠિરે અલંકારોના સમૂહ વડે સુંદર આંગી રચી પછી પૂર્ણ થયેલા મનોરથવાળા યુધિષ્ઠિરે પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરીને જિનમંદિર ઉપર શ્રેષ્ઠ ધર્મના લક્ષણરૂપ મહાધ્વજા ચડાવી. પછી હર્ષપૂર્વક ઇચ્છા મુજબ લોકોને ઇચ્છિત દાન આપ્યું. યાચકોને દાન આપીને યુધિષ્ઠિરે વસ્ત્ર, અલંકાર વગેરે વડે કરીને શ્રીસંઘની પૂજા કરી. પછી ઇન્દ્રોત્સવ કરીને અને જિનેશ્વર પ્રભુના મસ્તક પર છત્ર ધરીને આરતી ઉતારી. જિનેશ્વરની આગળ મંગળદીપ પ્રગટાવીને ચામરો વીંઝી તથા સમસ્ત ધર્મકાર્ય કરીને સર્વ રાજસમૂહ સાથે અનુમોદના કરીને શત્રુંજય પર્વતથી નીચે ઉતર્યા. ત્યાંથી ચાલતા પાંડવો ચંદ્રપ્રભાસ તીર્થમાં પ્રભાસ પાટણમાં) ચંદ્રપ્રભસ્વામીને અને ગિરનાર શ્રી નેમિનિને નમીને અને આબુ પર્વત પર બિરાજીત યુગાદીશ્વરને સ્તવીને એ પ્રમાણે વૈભારગિરિ પર, સમેતશિખરે (૨૪) અરિહંતોને દશત્રિક પૂર્વક પૂજા કરીને પૂજ્યા. એ પ્રમાણે સંઘપતિનું કર્તવ્ય સારી રીતે પૂર્ણ કરીને પવિત્ર હૃદયવાળા પાંડવોએ કૃષ્ણની સાથે દ્વારિકાપુરીને પ્રાપ્ત કરી (દ્વારિકામાં આવ્યા). તે દ્વારિકામાં કૃષ્ણને છોડ્યા. પછી કૃષ્ણ સ્વીકારેલા પાંડવો રાજાઓના સમૂહથી પરિવરેલા, શત્રુંજય તીર્થની યાત્રા કરેલા, તીર્થોદ્ધાર કરેલા પોતાના નગરમાં આવ્યા. પછી યુધિષ્ઠિર બધા રાજાઓને અને લોકોને વિદાય કરીને હસ્તિનાપુરમાં રહેલા બંધુની સાથે પોતાના પુણ્યને અનુસરનાર દાન-માનને આપતાં સાંસારિક સુખનો અનુભવ કરતાં વિચરે છે. એ પ્રમાણે કાળ પસાર થાય છે (થયા કરે છે). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy