SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ (૩૬૮ સર્ગ - ૧૭. જેમ અગ્નિ વડે સર્વ વસ્તુ, લોખંડ વડે સર્વ ધાતુ પ્રસાય છે, તેમ શત્રુંજયના સ્મરણથી સકલ અંધકાર (પાપ) નષ્ટ થાય છે. I/૧૧/ આ શત્રુંજય સિદ્ધાચલ પર્વત ઉપર જિનેશ્વરના દર્શનથી મોર-સર્પ-સિંહાદિ હિંસક પ્રાણીઓ પણ સિદ્ધ થયા છે. સિદ્ધ થાય છે અને ભવિષ્યમાં સિદ્ધ થશે. (ટૂંકમાં આસન્નભવિપણું પ્રાપ્ત કરે છે.) I/૧૨ા બાલ્યકાળે, યૌવનકાળે, વૃદ્ધત્વમાં અને તિર્યંચ જાતિમાં જે કાંઈ પાપ કર્યા છે, તે પાપ સિદ્ધાચલનો સ્પર્શ કરવાથી પણ વિલય (નાશ)ને પામે છે. ૧૩ તેના ત્રણ પ્રકારના દાન, ચારિત્ર, શીલ અને તપ વળી તેનું ધ્યાન સફળ છે, જેને એક વખત શત્રુંજયની ભક્તિ (સેવના) કરી છે. ૧૪ll અહીં યાત્રા-પૂજા-સંઘરક્ષા યાત્રિકોનો સત્કાર કરનાર ગોત્ર સાથે સ્વર્ગલોકમાં પૂજાય છે. I૧પો. હત્યાદિ પાપો અહીંયા ચારે બાજુ ત્યાં સુધી ગર્જના કરે છે. જ્યાં સુધી અહીં આવીને ગુરુમુખથી શત્રુંજય વ્યાખ્યાન અર્થાત્ તેનો મહિમા સાંભળ્યો નથી. ૧૬ પ્રમાદથી પાપ થઈ ગયેલા હોય તેવા પાપી માણસોએ ગભરાવાની કોઈ જરૂરત નથી, આ સિદ્ધક્ષેત્રની એકવાર કથા સાંભળી લો. I૧૭ll સિદ્ધક્ષેત્રે એક દિવસની જિનની ભક્તિ શ્રેષ્ઠ છે, નહિ કે ક્લેશના ભાજનરૂપ લાખો તીર્થમાં ભ્રમણ કરવું. ll૧૮ , (લાખો તીર્થમાં ભ્રમણ કરવા છતાં જે પાપ નથી ખપતું તે પાપ સિદ્ધક્ષેત્રમાં એક દિવસની ભક્તિથી દૂર થાય છે.) સિદ્ધાચલની યાત્રાએ જતાં ક્રોડભવમાં થયેલા પાપો પણ ડગલે ડગલે નાશ પામે છે. ll૧૯ પુંડરીકગિરિ (સિદ્ધાચલ)ની તરફ એક એક ડગલું ભરતાં કોટિ ભવમાં કરેલા પાપોથી છૂટાય છે. lol શત્રુંજયની સ્પર્શના કરેલા મનુષ્યને ન રોગ, ન શોક, ન સંતાપ, ન દુઃખ, ન વિયોગપણું અને દુર્ગતિમાં જવું પડતું નથી. ર ૧// વિશેષ પ્રકારે આદિ દેવથી શોભતો આ ઉત્તમ પર્વત જેમ તપ દુષ્કર્મોનો નાશ કરે છે. તેમ ગાઢ પાપોનો નાશ કરે છે. રેરા જોકે ભૂતલ પર રહેલા બધાય તીર્થો પુણ્ય બંધાવનાર છે, તોપણ તે સિદ્ધાચલનો વાણી થકી મોટો મહિમા ગાયો છે. કારણ કે તે પાપનો નાશ કરે છે. રિયા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy