SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૭ ૩િ૬૭) પાંડવ ચરિત્રમ્ ગાંધારીના પુત્રો દુર્યોધનાદિ ભાઈઓને માર્યા, એ પ્રમાણે અનેક શૂરવીર યુવરાજોને તથા હાથી, ઘોડા, પાયદળ, યુદ્ધમાં હણ્યા. આથી ભવિષ્યમાં અમારી કઈ ગતિ થશે ?” પ્રભુએ કહ્યું: “હે પાંડવો ! યાત્રાપૂર્વક શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરેલા તમે સંઘપતિનું બિરૂદ પ્રાપ્ત કરીને મોક્ષપુરીમાં જશો (મોક્ષ પ્રાપ્ત કરશો). આ તીર્થનો સ્પર્શ કરવાથી સમસ્ત પાપનો ક્ષય થાય છે.” જેમ કે – જિનેશ્વરોમાં જેમ આદિજિનેશ્વર, ચક્રીયોમાં જેમ તેમનો પુત્ર ભરત, ભવોમાં જેમ મનુષ્યભવ, અક્ષરમાં જેમ ૐ ll૧] રાષ્ટ્રોમાં સૌરાષ્ટ્ર, વ્રતોમાં પણ જેમ શીલ શ્રેષ્ઠ (મુખ્ય) છે, તેમ તીર્થોમાં શત્રુંજય તીર્થ મુખ્ય (પ્રધાન) છે. ll૧-૨ા યુગ્મ. જ્યાં ખુલ્લ ખુલ્લા દારિદ્રનો દ્રોહ કરનાર એટલે કે દારિદ્રને હરાવી જયને પ્રાપ્ત કરનાર જ્યાં સિદ્ધાચલ છે, ત્યાં જેનો અંત મુશ્કેલ છે. એવા પાપના પુંજનો આતંક (તોફાન) ક્યાંથી હોય? કેવી રીતે થાય. રા. સમુદ્રની ગંભીરતા (ઊંડાઈ) મેરૂપર્વત જાણે છે, બીજા નહિ. તેમ કલ્યાણકારી પહાડ (સિદ્ધાચલ)નું માહાત્ય જિનેશ્વર ભગવંત જ જાણે છે. જો જોવા માત્રથી (દર્શન કરતાં પણ પ્રાણીઓના પાપના સમૂહનો નાશ કરવામાં સમર્થ ત્રણ ભુવનમાં મુખ્ય આ એક સિદ્ધાચલ તીર્થ છે. 'પા મહામુશ્કેલીથી નાશ થઈ શકે તેવા અંધકાર (પાપ)ના સમૂહનો નાશ કરવા પ્રકાશ (અગ્નિ) સમાન એવા સિદ્ધાચલના શૃંગે (ટોચે-શિખરે) શ્રી આદિનાથ પ્રભુ બિરાજે છે–શોભે છે. III | વિશ્વમાં ઉત્તમ અતિશય ધરનારા સિદ્ધાચલને અને આદિજિનને એ બંનેને જોઈને પ્રાણીઓ હત્યાદિ સર્વ પાપથી છૂટે છે. છા ટંકણખારથી જેમ સોનું, પાણીથી મીઠું જેમ ગળે છે, તેમ શત્રુંજયનું સ્મરણ કરવાથી કર્મરૂપ કાદવ ગળી જાય છે. એટલે કે નાશ પામે છે. ll૮ જેવી રીતે સૂર્ય વડે અંધકાર, પુણ્ય વડે દરિદ્રતા નાશ પામે છે, તેવી રીતે શત્રુંજયના સ્મરણ વડે તે કર્મનો નાશ થાય છે. હા જેમ વજથી પર્વત, સિંહથી હરણ ભેદાય-વિંધાય છે, તેમ શત્રુંજયના સ્મરણથી પૂર્વકમ ભેદાય છે. ll૧૦ના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy