SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૩૬૬ સર્ગ - ૧૭ (પ્રભુને) વંદન કરવા માટે ગયા. સમવસરણની નજીકમાં આવેલા પાંડવો માતા-પિતા આદિને આગળ કરીને ચામરાદિ રાજ ચિહ્નોને ત્યજીને સમવસરણમાં પ્રવેશ્યા. ત્યાં દેવ, મનુષ્યના સમૂહથી સેવાતા શ્રી નેમિજિનને જોઈને આનંદિત મનવાળા યુધિષ્ઠિરે પરિવાર સહિત જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા આપીને હર્ષના અશ્રુથી ભીની આંખે હાથ જોડીને આ પ્રમાણે સ્તુતિ બોલવાની શરૂ કરી. (૧) અત્યંતર અંધકારના સમૂહનો નાશ કરનાર હે સૂર્ય ! જય હો, (૨) આપના ચરણકમળની ભક્તિ પ્રાણીઓને કલ્પલત્તા (કલ્પવૃક્ષ) જેવી છે. (૩) ત્રણે જગતની સંપત્તિને પ્રાપ્ત કરવા માટે ભવરૂપી વનમાં ભમવાથી શ્રમિત વિશ્વને વિશ્રામ માટે વૃક્ષમા આપના ચરણકમલ મને કલ્યાણરૂપ ફળને આપનારા થાઓ. (૪) એ પ્રમાણે સ્તુતિ કરીને સાષ્ટાંગ નમીને અશ્રુબિંદુને વેરતાં શ્રીમદ્ નેમિજિનેશ્વરને યુધિષ્ઠિરે નમસ્કાર કર્યા. એ પ્રમાણે યુધિષ્ઠિર પ્રભુની સ્તુતિ કરીને પિતા અને ભાઈઓ સાથે શક્ર (ઇન્દ્ર)ની પાછળ બેઠા. પછી પ્રભુએ તે બધા દેવદેવી, મનુષ્ય, તીર્થંચોની આગળ ધર્મદેશના શરૂ કરી. તે આ પ્રમાણે. જેમ કે અહો ! કોઈપણ રીતે અપાર એવી આ સંસાર નામની અટવીને પ્રાણીઓ અનંતકાલે પણ પાર કરી શકતા નથી. શિથિલ થઈ ગયેલા સાંધાઓથી જર્જરિત, પરિણામે (અંતે) બલહીન આ શરીર નિશ્ચિત નાશ પામનાર છે. તે મૂઢબુદ્ધિ ! ઔષધો વડે શું (કેમ) દુઃખી થાદ્ય છે. નિરામય (નિરોગી) ધર્મરૂપ ઔષધને લે. આરોગ્ય અનિત્ય છે, યૌવન અનિત્ય છે, વૈભવ અને જીવિતપણું પણ અનિત્ય છે. તે અનિત્યપણાથી હણાયેલા પ્રાણીઓને કામ (વાસના)માં આનંદ કેવી રીતે આવે છે. ' હે ભવિ જીવો ! આવા પ્રકારની સંસારની અસારતાને જાણીને ધર્મમાં ઉદ્યમ (પ્રયત) કરવો જોઈએ (કરો). જે ધર્મથી સ્વર્ગ અને મોક્ષના સુખની પ્રાપ્તિ થાય છે ઇત્યાદિ ભગવાનની દેશના સાંભળી મુક્તિની નજીક આવેલા કેટલાક મનુષ્ય ભગવાનની પાસે દીક્ષા લીધી. કેટલાકે બારવ્રત ગ્રહણ કર્યા તથા યુદ્ધમાં જે નારીઓ વિધવા થઈ હતી, તે બધી સ્ત્રીઓએ ભગવાનની પાસે (હાથે) આનંદપૂર્વક સંયમ અંગીકાર કર્યું. ગાંધારી અને ધૃતરાષ્ટ્ર સમ્યક્તપૂર્વક બારવ્રતરૂપ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. કેટલાક દેશવિરતિનો, કેટલાકે સર્વવિરતિનો સ્વીકાર કર્યો. પછી શુક્ર (ઇન્દ્ર) વગેરે દેવો પોતાના સ્થાનમાં ગયા. યુધિષ્ઠિરાદિ ભગવાનની દેશના સાંભળીને પ્રભુને નમસ્કાર કરીને દેશના પૂર્ણ થયે ઉઠીને પશ્ચાતાપપૂર્વક બે કરકમલ જોડીને નેમિજિનને જણાવ્યું કે, “હે વિભો ! રાજ્યના લોભથી હારેલા (ઘવાયેલા) એવા અમે યુદ્ધના અવસરે મહાઇત્યાદિ મહાપાપો કર્યા છે, જે આ પ્રમાણે છે : પહેલા જ તમારા પિતામહ ગાંગેયને હણ્યા. ધૃતરાષ્ટ્ર, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy