SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૭ ૩િ૬૫ પાંડવ ચરિત્રમ્ અષ્ટપ્રાતિહાર્યના નામ આ પ્રમાણે છે. (૧) અશોકવૃક્ષ, (૨) પુષ્પવૃષ્ટિ, (૩) દિવ્યધ્વનિ, (૪) ચામર, (૫) સિંહાસન, (૬) ભામંડલ, (૭) દેવદુંદુભિ અને, (૮) છત્ર. ઈત્યાદિ અષ્ટપ્રાતિહાર્યથી યુક્ત (શોભતા) નેમિજિન ત્યાં આવ્યા. નેમિજિનથી પવિત્ર થયેલી તે નગરના ઉદ્યાનની ભૂમિને ભાવપૂર્વક વાયુકુમારોએ સંવર્તક વાયુ વડે યોજન સુધી (જેટલી) ભૂમિને શુદ્ધ (સાફ) કરી. તે ભૂમિમાં પુણ્યરૂપ બીજોને વાવવાની જાણે ઇચ્છાવાળા મેઘકુમાર દેવોએ સુગંધિ પાણી વડે તે ભૂમિને સિંચી. આત્માને લાગેલા કર્મોના બંધનને કાપતાં વ્યંતરદેવોએ તે સંપૂર્ણ ભૂમિને રત્નશિલા વડે રત્નમયી બનાવીને તે ભૂમિને ચારે દિશામાં રત્નોની કાંતિથી આકાશને ચમકાવતા ચાર તોરણો, બાજ અને છત્રો વડે અલંકૃત કરી. તે પીઠ ઉપર રત્નશિખાથી પ્રકાશિત અત્યંતર દિશાના મુખને પ્રકાશમાન કરતો રત્નનો કિલ્લો વૈમાનિક દેવોએ કર્યો. મધ્યમ (વચ્ચેનો) કિલ્લો સુવર્ણમય રત્નના કાંગરાથી શોભતો જ્યોતિશ્કેન્દ્રોએ કર્યો. ત્રીજો બહારનો કિલ્લો ચાંદીનો સુવર્ણના કાંગરાવાળો ભુવનપતિએ બનાવ્યો. માણિક્યરત્નના બારશાખથી શોભતા બધા કિલ્લાની ચારે દિશામાં ચાર દરવાજા હતા. પહેલા અને બીજા કિલ્લાની વચ્ચે દેવછંદો બનાવ્યો અને બહારના કિલ્લાના ચારે દ્વાર પર વિકસ્વર કમળોવાળી ચાર વાવડીઓ વ્યંતરદેવોએ બનાવી (વિકુવો. અંદરના રત્નના કિલ્લા વચ્ચે અશોકવૃક્ષની નીચે ચાર દિશામાં દેવોએ બનાવેલા ચાર સિંહાસનો રહ્યા છે. તે દરેકની ઉપર ચાંદીના ત્રણ ત્રણ છત્ર મૂક્યા છે. તે સિંહાસનની આગળ દેવોએ ધર્મચક્ર બનાવ્યું. પછી તે સ્વામિની આગળ માણિક્ય રત્નવાળો ધર્મધ્વજ રાખ્યો. તે પછી દેવોએ દેશના ભૂમિ પર જાનુપ્રમાણ નીચે ડીંટાવાળી પુષ્પવૃષ્ટિ કરી. હવે સ્વામિ નવસુવર્ણ કમળ પર પગ મૂકીને પૂર્વારે પ્રવેશ કરીને અશોકવૃક્ષને પ્રદક્ષિણા આપીને “તીર્થને નમસ્કાર” એમ કહીને પૂર્વાભિમુખ (પૂર્વદિશા તરફ)ના સિંહાસન પર બેઠા. ત્યારે જ સૂર્યમંડળનો તિરસ્કાર કરતું પ્રભુની પાછળ ભામંડલ પ્રગટ થયું. ત્યારે જ ઉદ્યાનપાલકે (માળીએ) સભા મધ્યે આવીને કરકમલને જોડીને રાજા યુધિષ્ઠિરને જણાવ્યું કે, હે રાજેન્દ્ર ! તમારા ઉદ્યાનમાં દેવ અને મનુષ્યના સમૂહથી પરિવરેલા શ્રીમદ્ નેમિજિનેશ્વર સમવસર્યા (પધાર્યા) છે. તે સાંભળીને હર્ષિત થયેલા મનવાળા યુધિષ્ઠિરે માળીને સાડાબાર લાખ સોનામહોર આપ્યા. પછી બધાય ભીમાદિ ભાઈઓ ગજ (હાથી) પર બેઠેલા મસ્તક પર છત્ર ધરેલા, વારવધૂ (ગણિકા)ઓ વડે ચામરોથી વીંઝાતા, પરિવાર સહિત દેવો વડે પરિવરેલા દેવેન્દ્રની જેમ સ્વામિને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy