SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૧ ૬ તે સાંભળીને ગાંગેયે માતાને કહ્યું : “હે માતા ! આ પિતા હોવા છતાં પણ મારો શત્રુ છે. જે બાળકની જેમ પાળેલા વનમાં ફરતાં પ્રાણીઓને ત્રાસ આપતો વર્તમાનકાળે આ અવસરે યમની જેમ તેનો હણનારો થયો છું. આથી પિતા હોય કે બીજો હોય, હું એને મારીશ.' તે સાંભળીને ત્યાં જઈને ગંગાએ રાજાને કહ્યું, આ તમારો ગાંગેય નામનો પુત્ર છે. તેનું વાક્ય સાંભળીને રોમરાજી ખીલી ગઈ છે, એવો તે રાજા રથથી ઊતરીને અત્યંત આનંદપૂર્વક પુત્રની સામે ગયો. પુત્ર પણ પિતાને સામે આવતા જોઈ હર્ષાશ્રુથી ભીની આંખવાળો અને બાણ ધનુષ્ય તજીને ભૂમિને સ્પર્શ કરતો (નમીને) હોય તેમ પિતાના પગમાં પડ્યો. પિતાએ પણ પુત્રને આલિંગન દઈને પોતાના ખોળામાં બેસાડીને વારંવાર મસ્તકને (ભાલને) ચૂમ્યું. આ પ્રમાણે તે બંનેના પરસ્પર સ્નેહને પ્રત્યક્ષથી જોઈને ગંગાએ જે હર્ષ પ્રાપ્ત કર્યો તે તો તે જ (ગંગા) જાણે શાન્તનુએ ગંગાને કહ્યું : “હે પ્રિયે ! આ પુત્રને તે કેવી રીતે મોટો કર્યો. કોણે ભણાવ્યો અથવા આવા પ્રકારની યૌવન અવસ્થાને કેવી રીતે પ્રાપ્ત કરાવી. તે સત્ય કહે !” ત્યારે ગંગાએ કહ્યું : “હે રાજન્ ! સાવધાન થઈને તમે પુત્રનું ચરિત્ર સાંભળો ? તમારાથી રિસાઈને હું પિતાના ગૃહે ગઈ. ત્યાં ગાંગેય તેના મામીઓના ખોળામાં ખેલતાં ૨મત માત્ર (એક પલકારા)માં પાંચ વર્ષનો થઈ ગયો. પછી તેના પવનવેગ નામના મામાએ અત્યંત આદરપૂર્વક ગાંગેયને ભણાવવા માટે શરૂઆત કરી. ત્યાં વિનયવાન એવા તમારા પુત્રે થોડા જ કાળમાં બધી કળાઓ શીખી લીધી. તેવી જ રીતે તેણે કંટાળ્યા વિના ધનુર્વિદ્યા પણ પ્રાપ્ત કરી લીધી, પણ તે પછી તે સકલ વિદ્યાધરોની વિદ્યાના પારને પામેલા વિદ્યાધરના પતિને પણ તૃણવત્ (ઘાસના તણખલાની જેમ) ગણવા લાગ્યો અને મારા પિતાના ઘરે હાસ્યથી પણ કોઈ તેની અવહેલના કરે તો તેઓની સાથે આ તમારો પુત્ર ઝઘડો કરતો હતો. તેથી પુત્રને લઈને આ વનમાં આવેલા આ મહેલમાં શ્રી જિનેશ્વરના મંદિરમાં જિનેશ્વર ભગવંતની પૂજામાં તત્પર રહેતી એવી હું આવીને રહી છું. તમારો પુત્ર આ ગાંગેય પણ ચારણ શ્રમણ મુનિના મુખથી અર્હત્ ધર્મને સાંભળીને હૃદયપૂર્વક અત્યંત દયા ધર્મમાં તત્પર થયો છે. (અહિંસા ધર્મનું પાલન કરનારો બન્યો છે.) તેથી અત્યંત કરૂણાધારી તમારા પુત્રે ચૌદ યોજન પ્રમાણ આ વનમાં બધે જ જીવરક્ષા પ્રવર્તાવી છે. એથી આ વનમાં તમારા પુત્રની ધાકથી યમરાજ અલ્પ પણ જંગલી પશુઓનું મૃત્યુ કરવા માટે સમર્થ નથી બનતો. હે આર્યપુત્ર ! તમે પણ સારા વચનને લઈને વનમાં ફરતા પશુઓનું રક્ષણ કરો. રાજા બોલ્યો : ‘‘હે પ્રિયે! આજથી તારા વચનને માન્ય કરી શિકાર છોડી દઉં છું.” તેથી તું પુત્ર સાથે ચાલ. હમણાં જ પુત્ર સાથે તું રાજ્યસ્વામિની થા. તે સાંભળીને ગંગા બોલી, “હે રાજેન્દ્ર ! હમણાં મારું મન ધર્મ કરવામાં સારી રીતે લાગેલું છે. તેથી હું રાજ્યમાં આવીશ નહિ, પરંતુ જિનેશ્વરની પૂજામાં તત્પર હું અહીંયા રહીશ. તમે તમારા પુત્રને લઈને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy