SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧ પાંડવ ચરિત્રમ્ પણ પુણ્યનું આચરણ કરતાં તેવી જ રીતે ચોવીસ વર્ષ પસાર કર્યા. નીતિવાન રાજા જેમ રાષ્ટ્રનું રક્ષણ કરે છે, તેમ ગંગા સહિત શસ્ત્ર શાસ્ત્રકલામાં પારંગત ગાંગેય તે વનનું રક્ષણ કરે છે. એક દિવસ કોઈ શિકારીએ આવીને શાન્તનુ રાજાને વિજ્ઞપ્તિ કરી “હે દેવ ! ગંગાના કાંઠાથી બહુ દૂર નહિ એવું એક વન આવેલું છે. જે વનમાં નિર્ભય રીતે મૃગી રહે છે. ઘુઘૂર અવાજ કરતા ભંડો વસે છે. મોટી કાયાવાળા ચિત્તાઓ વસે છે. મધ્યાહ્ન સમયે નદી તરફ જનારા કાસારો છે.” તે સાંભળીને ખુશ થયેલ રાજાએ તે શિકારીને ઇનામ આપ્યું અને પછી શિકારીનો વેષ પહેરી શિકારીઓથી પરિવરેલા તેણે વનમાં પ્રવેશ કર્યો ત્યારે શિકારીઓએ વનમાં હાકોટા કર્યા. તેના અવાજથી પશુઓ ચારે દિશામાં નાસવા લાગ્યા અને તેઓએ ગાંગેયથી રક્ષિત વનમાં (બગીચામાં પ્રવેશ કર્યો. અત્યંત બલવાન શિકારીઓથી પરિવરેલા રાજાએ પણ ભયંકર બાણોની વર્ષા કરતા અટ્ટહાસ્ય (ભયંકર હાકોટા) કરીને તે વનને ખળભળાવી મૂક્યું. પાપીઓને પાપની સંખ્યા (બીક) હોતી નથી. પ્રવેશ કરેલા તે વનને રાજાએ ડહોળાવવાથી કુંભિત થયેલા સમુદ્રની જેમ વનને ખળભળાવેલું જોઈ ગાંગેય ઉભય પક્ષથી બદ્ધ બાણના ભાથાવાળો અને ધનુષ્યને વાળેલું છે એવો તે વનનો રક્ષક (ગાંગેય) અર્જુનની જેમ સ્થૂલ અંગવાળા કામદેવ સમાન રાજાની આગળ આવીને રાજાને વનમાં પ્રવેશવાનો નિષેધ કર્યો. ત્યારે રાજા બોલ્યો : “હે ભદ્ર ! વનમાં ફરતા પશુઓને મારતા શિકાર કરવાના શોખવાળા સ્વેચ્છાથી ફરતા મને શા માટે અટકાવે છે ?” તે (ગાંગેય) પણ બોલ્યો : “હે મહાભાગ્યશાળી, નિરપરાધી પ્રાણીઓને મારતા શું તમને શરમ નથી આવતી ? કારણ કે તમારા જેવા સર્વ જીવોને પ્રિયંકર એવા પ્રાણને હણનારા બનશો તો રક્ષણહાર કોણ થશે ? સર્વ પ્રાણીઓને પ્રાણ પ્રિય હોય છે, તેથી આ પ્રાણીઓનું તમે રક્ષણ કરો.” આ પ્રમાણે નિષેધ કરાયો હોવા છતાં પણ રાજા શિકારભાવથી પાછો ફરતો નથી... તેટલામાં તે પણ તેવી જ રીતે ધનુષ્યનો ટંકાર કરતો રાજાને હણવા માટે દોડ્યો. બાપ-બેટા બંનેનું યુદ્ધ શરૂ થયું, પરંતુ બેમાંથી એક પણ જય કે પરાજય મેળવ્યો નહિ. આ પ્રમાણે યુદ્ધ કરતાં મૃગો જેમ સિંહને રોકે તેમ રાજાના સૈનિકોએ ગાંગેયને રોકવા પ્રયત કર્યો. ગાંગેય એક હોવા છતાં પણ રાજાએ તે અવસરે અનેકવિધ ગાંગેયને જોયા. તેની તાકાતને જોઈને મનમાં ચકિત થયેલો અને કોપને વશ થયેલો તે રાજા જ્યાં ધનુષ્યમાં શત્રુને હણનારું બાણ ચડાવે છે તેટલામાં ગાંગેયે બાણને બાણ વડે તોડી પાડ્યું. રાજા વિલખો પડી ગયો. એ પ્રમાણે રાજાને દેખીને પ્રાસાદની અગાશીમાં ઉભી રહીને જોતી એવી ગંગાએ યુદ્ધભૂમિમાં આવીને પુત્ર ગાંગેયને વારતા બોલી : “હે વત્સ ! તારા પિતાની સાથે કેમ યુદ્ધ (કલહ) કરે છે.” પુત્રે કહ્યું : “હે માતા ! વનવાસી એવા મારા આ પિતા કેવી રીતે !” ત્યારે માતાએ બધો જ પૂર્વવૃત્તાંત કહ્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy